SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ જે પરંપરા જે પ્રકારના આચારે કે સામાજિક વ્યવસ્થાને માનતી હશે, તે પરંપરાએ પણ તે જ આચાર। અને તે જ વ્યવસ્થામાં પરલેાકલક્ષી જીવનદૃષ્ટિ દાખલ કરી અને પરલેાંકલક્ષી ધર્મોની પ્રતિષ્ઠા વિશેષ સ્થિર થતી ગઈ. જેએ વર્તમાન જન્મમાંથી જન્માન્તર કેવી રીતે પમાય છે તેને વિચાર કરતા, તેઓએ પણ પાતપેાતાની કલ્પનાએ કરી જન્માતરગમનની વ્યવસ્થા સ્થિર કરી, અને સ્વતંત્ર જીવના સ્વરૂપ વિષે અનેક પ્રકારની વિચારણાઓ અસ્તિત્વમાં આવી અને સ્થિર બની. આ વિચારણાનાં જુદાં જુદાં પરિણામે જુદી જુદી પર પરામાં સચવાઈ રહ્યાં : છે ને ઉત્તરકાલીન દાનિક સાહિત્યમાં એ ચર્ચા-પ્રતિચર્ચાનાં કેન્દ્ર પણ બન્યાં છે. પરંતુ દરેક ધાર્મિકે અને વિચારકે એટલું તે સ્વીકારી જ લીધું કે સ્વત ંત્ર ચેતન જેવું કાંઈક તત્ત્વ છે અને તે કદી નાશ પામતુ નથી. એ જ કૃતકર્મનું ફળ અનુભવે છે, અને સકલ્પ પ્રમાણે ઉત્થાન પણ કરી શકે છે. જીવસ્વરૂપ પરત્વે જૈન દૃષ્ટિ સ્વતંત્ર જીવવાદોમાં પ્રથમ જૈન પરપરાનું સ્થાન આવે છે, તે એ દૃષ્ટિએ : એક તે એ પરપરાની જીવિષયક કલ્પના એવી છે કે જે બીજી વિકસિત કલ્પનાએ કરતાં પ્રાથમિક અને સર્વ સાધારણને બુદ્ધિગ્રાહ્ય લાગે છે. બીજી એ કે ઈ. પૂ. આઠમા સૈકામાં થયેલ ભગવાન પાર્શ્વનાથની નિર્વાણુસાધનાના આધાર લેખે એ જીવવાદની કલ્પના સુસ્થિર થયેલી હતી. જૈન પર‘પરામાં જીવ યા આત્મવાદની જે માન્યતા પહેલાં હતી તેમાં અત્યાર સુધીમાં કશે। મૌલિક ફેરફાર થયા જ નથી, જેવા કે બૌદ્ધ અને વૈદિક પર પરાઓમાં મૌલિક ફેરફાર થયા છે. પહેલેથી આજ સુધીના જે જીવસ્વરૂપવિષયક મન્તવ્યા સચવાઈ રહ્યાં છે, તે એક જ પ્રકારનાં છે. તેના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છે : ૧. જીવ છે અને તે સ્વાભાવિક ચેતનામય છે. તે સ્વતંત્ર છે અને તેથી તે અનાદિ-નિધન છે. ર. જીવા નાના અને અનંત છે; દેહભેદે ભિન્ન છે. ૩. જીવમાં અનેક શક્તિઓ પૈકી મુખ્ય અને સર્વ ને સંવિનિંત થઈ શકે એવી શક્તિ છેઃ જ્ઞાનશક્તિ, પુરુષા -વીય શક્તિ અને શ્રદ્ધાશક્તિ યા સકલ્પશક્તિ, કે જે એનું અભિન્ન સ્વરૂપ છે. १ नित्यावस्थितान्यरूपाणि । २. नाणं च दंसणं चेव चरितं च तवो तहा । बीरियं उवओगो य एयं जीवस्स लक्खणं ॥ Jain Education International For Private & Personal Use Only -તરવાર્થ...રૂ. उत्तराध्ययन. ૨૮.૧૧ www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy