SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જ માન્યા. અને સૌએ પિતે માનેલ મૂળ તમાંથી પિતપતાની રીતે દશ્યમાન સૂકમ-સ્થૂલ કાર્યપ્રપંચને વાસ્તવિક રૂપે ખુલાસે કર્યો. એટલે કે આ પ્રપંચ જે મન અને ઇન્દ્રિયથી અનુભવાય છે તે પરિવર્તનશીલ હોય છતાં મૂળ કારણમાંથી યથાર્થ રૂપે નિષ્પન્ન થયેલે હાઈ વાસ્તવિક છે. જેનું અજ્ઞાન સર્વથા નિવૃત્ત થયું હોય તેની દષ્ટિએ પણ દશ્યમાન વિશ્વપ્રપંચ તે જ છે, દ્રષ્ટા જ્ઞાની હોય કે અજ્ઞાની, તેથી કાંઈ વિશ્વના સ્વરૂપમાં ફેર પડતું નથી. આ વાસ્તવવાદી વિચારધારા થઈ. જગતના સ્વરૂપ પરત્વે મહાયાની અને કેવલાદ્વૈતી દષ્ટિની તુલના પણ મહાયાની અને શાંકર વિચારધારા જુદી જ કટીને આધારે પ્રવૃત્ત થઈ હોય યા સમથિત થઈ હોય એમ લાગે છે. તેઓ એમ માનતા રહ્યા છે કે ઇન્દ્રિયજ્ઞાનને આધારે જગતનું સ્વરૂપ અને તેનું મૂળ કારણ થયાવત્ જાણી ન શકાય. ઈન્દ્રિયો બહુ જ અધૂ છું અને દૂષિત સાધન છે. તે માત્ર વર્તમાન અને સન્નિકૃષ્ટ વસ્તુથી આગળ જતી જ નથી; એટલું જ નહિ, પણ એક જ વસ્તુના જે રૂપ, રસ આદિ ગુણ હોય તે જુદા જુદા પ્રાણીવર્ગની ઇન્દ્રિયેથી તદ્દન જુદી જુદી રીતે જ ગ્રહાય છે. માત્ર માનવવર્ગની વાત કરીએ તેય દરેકની ઇન્દ્રિય શક્તિ એકસરખી નથી હતી અને એ શક્તિઓ પણ એકસરખું કામ નથી આપતી. તેથી જગતના સ્વરૂપ અને તેના મૂળ કારણને નિશ્ચય કરવામાં ઇન્દ્રિયજ્ઞાન સફળપણે કાર્યસાધક થઈ ન શકે. મન એ બાહા ઈન્દ્રિય કરતાં ભલે વિશેષ શક્તિશાળી હોય, છતાં તેને થતાં સુખ-દુઃખ-મહાત્મકતાના અનુભવને આધારે પણ જગતનું સ્વરૂપ અને તેનું મૂળ કારણ યથાવત્ જાણી ન શકાય. એક જ વસ્તુ સમકાળે જુદાં જુદાં મનને જુદી જુદી રીતે અનુભવાય છે, અને એક જ મનને પણ કાળભેદે એક જ વસ્તુમાં એકસરખો અનુભવ નથી થતું. વળી જ્યારે મન નિરુદ્ધ દિશામાં યા વિવેકદશામાં હોય ત્યારે તે, એનાં એ ભેચ્ય પદાર્થો અને ભેગસાધને હવા છતાં, સુખ, દુઃખ યા મહાત્મક્તાનો અનુભવ કરતું નથી. જે ભેગ્ય, ભેગસાધન અને ભક્તા–મન એ ત્રણે સ્વાભાવિક રીતે સુખ-દુઃખમહાત્મક હોય, તે મન કઈ પણ દશામાં એવા અનુભવથી મુક્ત રહી શકે નહિ. તેથી સ્થૂલ જગતના સ્વરૂપ અને તેના કારણના સ્વરૂપની બાબતમાં કોઈ જુદું જ ધોરણ સ્વીકારવું જોઈએ, જે બાહ્ય ઇન્દ્રિયો તેમ જ મનના અનુભવ ઉપર આધાર રાખતું ન હોય, એવા કોઈ ધરણની ધમાંથી મહાયાની અને કેવલાદ્ધતી વિચારધારા પ્રવૃત્ત થઈ હોય તેમ લાગે છે. ૧. જુઓ, તત્ત્વસંગ્રહ. કા૦ ૩૬થી. તથા ન્યાયાવતારવાર્તિકવૃત્તિનું ટિપ્પણ, પૃ. ૧૫૫ તથા ૧૩૫ ( હિતો.વિ). જુઓ, મામા ૧ ૧.૨ "તનું સમવાત' તથા ભાષ્યની ગોસ્વામી પુરુષોત્તમજીની પ્રારા ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy