SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ પણ અનન્તાનન્ત પરમાણુઓનું વ્યક્તિત્વ સદાવન રહે છે. આ રીતે આ ત્રણે પરંપરાઓ પિતપતાની રીતે નિત્યધમીવાદી છે; જ્યારે બૌદ્ધ પરંપરા આથી સાવ જુદી પડે છે. તે કહે છે કે પૂર્વ અને ઉત્તર ક્ષણરૂપે જે બે ભિન્ન કાર્યો થાય છે, તેમાં કઈ એક અનુગામી ધમ તત્વ નથી રહેતું. એટલે બૌદ્ધ દષ્ટિએ કેઈ એક અખંડ વ્યક્તિને આધારે સૂક્ષમણૂલ ભૌતિક સર્જને નથી થતાં, પણ તે એકને લઈને બીજું અને બીજાને લઈને ત્રીજું એમ પ્રતીત્યસમુત્પન્નરૂપે રૂપજગતનું પરિવર્તન ચાલ્યા જ કરે છે. બૌદ્ધ પરંપરા કઈ એવું ઉપાદાનતત્ત્વ નથી કલ્પતી કે જે કાર્યરૂપે પરિણમે અથવા જેમાં કાર્યો જન્મ. તે તે એટલું જ કહે છે કે પૂર્વ ક્ષણમાં કઈ એક અવસ્થા છે, જેને લીધે ઉત્તર ક્ષણમાં નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. આ રીતે ધમીરૂપે એક યા અનેક મૌલિક તને અસ્વીકાર કર્યા છતાં તે બહુત્વવાદી તો છે જ. બૌદ્ધસંમત રૂપબહત્વ એ સંતતિબહત્વ છે. એમાં પણ એક વિશેષતા એ છે કે એક જ સંતતિમાં એક ક્ષણે જુદી જુદી ઈન્દ્રિયેથી અનુભવાતા રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ આદિ ગુણે એ પણ પરસ્પર અવિભાજ્ય હોવા છતાં ભિન્ન છે. તેથી બૌદ્ધ દષ્ટિએ પરમાણુનો અર્થ એટલે જ ફલિત થાય છે કે એકક્ષણજીવી જે રૂપધર્મ યા રસધર્મ તે જ રૂપ, રસ, ગન્ધ આદિ અંતિમ ભૂત પરમાણુઓ. આ રીતે બૌદ્ધ પરંપરાએ ધમીનો નિષેધ કરી માત્ર ક્ષણિક ધર્મોને સ્વીકાર્યા. એવા ધર્મોની અનન્ત સંતતિએ એ જ ભૌતિક જગત એવી સંતતિએ ક્યારેક પ્રથમ અસ્તિત્વમાં આવી અને ક્યારેક સર્વથા અન્ત પામશે, એમ ન મનાતું હોવાથી તે અનાદિઅનંત મનાય છે. આ રીતે પરિણામિનિત્યતા અને કૂટસ્થનિત્યતાની તાર્કિક સમાચનાને પરિણામે બૌદ્ધ પરંપરામાં સંતતિનિત્યતાવાદ અસ્તિત્વમાં આવ્યું. સામાન્ય રીતે એમ કહી શકાય કે સાંખ્ય, ન્યાય-વૈશેષિક અને જૈન પરંપરામાં જે તત્ત્વ પરત્વે મૌલિક ધારણુએ પ્રથમ સ્થપાઈ તેમાં આજ સુધી કોઈ અન્તર પડ્યું નથી. જ્યારે બૌદ્ધ અને ઔપનિષદ પરંપરાઓની સ્થિતિ ને ખી છે. જેમ ઉપનિષદોને આધારે તત્ત્વને વિચાર કરનાર વેદાન્તીઓમાં એકબીજાથી તદ્ધ જુદી પડતી માન્યતાઓ અસ્તિત્વમાં આવી છે—જેમ કે પરિણામવાદી બધાયન અને માયાવાદી શંકર આદિની–તેમ બૌદ્ધ પરંપરામાં પણ બન્યું છે. બુદ્ધના ઉપદેશને આધાર લેનાર સર્વાસ્તિવાદી પરંપરા જે સ્વરૂપે છે તે કરતાં તે જ ૧. નિચારિતાચાળ છે વળ દ્રારા ઇત્યાદિ–તરવાથ૦ ૬. ૩-૪. ૨. તત્ત્વસંગ્રહ-ગત સ્થિરભાવપરીક્ષા, કર્મફલસંબંધ પરીક્ષા, દ્રવ્ય પરીક્ષા, સ્યાદ્વાદપરીક્ષા અને સૈકાલ્ય પરીક્ષા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy