SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વિવર્તવાદ –(૧) કોઈ એક પારમાર્થિક સત્યને સ્વીકાર, જે નથી ઉત્પાદક કે નથી પરિણામી; (૨) સ્થૂલ યા સૂકમ ભાસમાન જગતની ઉત્પત્તિને તથા તેને મૂળ કારણને પરિણામ માનવાને સર્વથા નિષેધ, (૩) સ્થૂલ જગતનું અવાસ્તવિક યા કાલ્પનિક અસ્તિત્વ અર્થાત્ માયિક ભાસમાત્રતા. આટલા સંક્ષિપ્ત વિવેચન ઉપરથી જાણી શકાશે કે કાર્ય-કારણને સિદ્ધાન્ત સર્વસંમત હોવા છતાં પણ, દષ્ટિભેદને લીધે તેનો ઉપયોગ જુદી જુદી રીતે થવાથી, દાર્શનિક પ્રસ્થાનભેદે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા. પ્રમાણુશક્તિની વિચારણા માનાધીના મધ્યવરથા” અથવા તે “અમેસિદ્ધિ પ્રમUTદ્ધિ આ સિદ્ધાન્ત ભારતીય બધા દાર્શનિકે એ સ્વીકાર્યો છે. તેથી તે સર્વતંત્રસિદ્ધાન્ત છે. દરેક દાર્શનિક તત્ત્વ યા પ્રમેય વિષે પિતાનું દર્શન યા મક્તવ્ય પ્રમાણુને બળે જ સ્થાપે છે. આમ પ્રમાણશક્તિને આશ્રય લેવા છતાં દાર્શનિકે તાત્ત્વિક મન્તવ્યની બાબતમાં અનેક વાર પ્રબળ મતભેદ પણ ધરાવતા રહ્યા છે, જેને લીધે અનેક દાર્શનિક પ્રસ્થાને અસ્તિત્વમાં આવ્યાં છે. આમ બનવાનું મૂળ કારણ પ્રમાણુશક્તિનું તારતમ્ય છે. એક અમુક દાર્શનિક પિતાનું મતવ્ય નિરૂપે ત્યારે તે અમુક પ્રકારની જ પ્રમાણશક્તિને છેવટની માની તેને આધારે મન્તવ્ય સ્થાપે છે, ત્યારે બીજો દાર્શનિક તેથી વધારે વિકસિત એવી પ્રમાણશક્તિ સ્વીકારી પ્રવૃત્ત થાય છે. આ રીતે પ્રમેય યા તત્ત્વના જે સ્થલ, સૂમ, સૂકમતમ અને અગમ્ય પ્રદેશ વિષે દર્શનમાં ચિન્તન થયું છે, તે પ્રમાણશક્તિના ઉત્તરોત્તર વધતા તારતમ્યને બળે જ થયું છે. ભૌતિકવાદી ચાર્વાકથી માંડી ચેતનવાદી અને તેમાંય અતવાદી દર્શનની માન્યતાના મૂળમાં કઈ કઈ પ્રમાણુશક્તિ કામ કરે છે તે અહીં વિચારવું પ્રાપ્ત છે. ભૌતિકવાદી ચાર્વાકે ઈન્દ્રિયશક્તિને જ અંતિમ માને છે. તેઓ કહે છે કે જે તત્વ ઈન્દ્રિયગમ્ય હોય તે વાસ્તવિક છે. ઈન્દ્રિયગમ્ય થઈ ન શકે એવાં તત્ત્વ વિષે તે માત્ર કલ્પના કરવાની રહે છે પણ એવી કલ્પનાઓની યથાર્થતાની કસોટી શી? તેથી તેઓ ઈન્દ્રિયશક્તિ ઉપર મુખ્ય આધાર રાખી ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રમાણે માને છે, અને કહે છે કે પ્રત્યક્ષ એ એક જ પ્રમાણ છે. તેઓ અનુમાનપ્રમાણુ સ્વીકારે છે, પણ તેની મર્યાદા છે. તેઓ કહે છે કે ઈન્દ્રિયગમ્ય ન હોય એવા વિષયનું અનુમાન પણ પ્રમાણટિમાં ત્યારે જ આવી શકે, જે એ અનુમિત વિષય ઈન્દ્રિયગમ્ય થવાની શક્યતા ધરાવતું હોય. આનો અર્થ એ થયે કે છેવટે અનુમાનના પ્રામાણ્યને આધાર પણ પ્રત્યક્ષ શક્તિ ઉપર છે. તેથી જ અમુક અંશે ૧. સવ્યાિ ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy