SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ કારણ લેખે કે એક પરિણામિનિત્ય યા કેઈ એક ફૂટસ્થનિત્ય તત્વ નથી; પણ એના કારણરૂપે મૂળમાં અનન્ત કૂટસ્થ દ્રવ્યો છે. એ અનન્ત મૂળ દ્રવ્ય પરમાણુરૂપ હોય કે વિભુરૂપ; પણ તે બધાં એકબીજાંથી અત્યન્ત વ્યાવૃત્ત હાઈ પરસ્પર ભિન્ન છે. મૂળ દ્રવ્યગત આ ભેદ વાસ્તવિક છે, અને છતાં તે દ્રવ્યોમાં સમાનતાનું નિયામક એક સામાન્ય તત્ત્વ યા જાતિ પણ છે. આ રીતે કણદે સામાન્ય અને વિશેષ એ બે તો તદ્દન વાસ્તવિક અને સ્વતન્ત્ર માની સામાન્ય-વિશેષ ઉભયરૂપ બુદ્ધિનો ખુલાસે કર્યો. એણે મૂળ કૂટનિત્ય પરમાણુઓમાંથી નીપજતાં કાર્યોને પણ કારણથી ભિન્ન અને છતાં વાસ્તવિક માન્યાં. એનાં ગુણકર્મોને પણ એણે ભિન્ન અને વાસ્તવિક માન્યાં. એ દ્રવ્ય-ગુણ-કર્મના પ્રપંચમાં એણે, કારણભેદને લીધે યા કાર્યભેદને લીધે, વિશે વાસ્તવિક સ્વીકાર્યા અને તેમાં અનેકવિધ સામાન્યને પણ વાસ્તવિક તત્ત્વરૂપે સ્વીકાર્યા. આ રીતે એણે મૂળ કારણદ્રવ્યોને શંકરની જેમ કૂટનિત્ય માનવા છતાં સામાન્ય ને વિશેષ એવા બે વાસ્તવિક તત્ત્વના સ્વીકારથી બુદ્ધિગત ઉભય આકારનું સમર્થન કર્યું. - આ રીતે આપણે જોયું કે દરેક દાર્શનિક કાર્ય-કારણભાવ સ્વીકારીને જ સામાન્ય-વિશેષ ઉભયાકારવાળી બુદ્ધિનું ઉપપાદન કરવા પ્રવૃત્ત થયે; અને છતાંય દષ્ટિભેલ્થી દરેકનાં મન્ત સાવ જુદાં પડ્યાં. સત્કાર્ય અને અસત્કાયવાદની સમજૂતી મૂળ કારણને જે પરિણમિનિત્ય માને છે તે કાર્યમાત્રમાં મૂળ કારણના અંશેને વાસ્તવિક પુરવઠો યા અસ્તિત્વ સ્વીકારે છે. એટલે તે સત્કાર્યવાદી કહેવાય છે. કાર્યોમાં કારણનું વાસ્તવિક અસ્તિત્વ એ એક અર્થ, અને મૂળ કારણમાં કાર્યોનું શક્તિરૂપે અસ્તિત્વ એ એને બીજો અર્થ. શંકર જેવા અદ્વૈતવાદી પણ સત્કાર્યવાદી છે, પણ તે જુદા અર્થમાં. એ અર્થ એટલે પારમાર્થિક સ-અધિષ્ઠાનમાં કાર્યપ્રપંચનું ભાન, બૌદ્ધો માત્ર વિશેષવાદી છે. તેમને મતે કઈ મૂળ કારણ ત્રિકાલવતી છે જ નહિ; એટલે એક વિશેષમાંથી બીજો વિશેષ ઊપજે છે. પણ તે ઊપજનાર વિશેષ પ્રાર્તન વિશેષમાં અસ્તિત્વ ધરાવતે ન હોઈ એ અસત્કાર્યવાદમાં આવે છે. ન્યાયવૈશેષિક જેવા પણ અસત્કાર્યવાદી છે, કે તેઓ મૂળ દ્રવ્યને સદાતન માને છે અને કાર્યદ્રવ્યો એમાં જ ઉત્પન્ન થાય છે. છતાં એ કાર્યરૂપ દ્રવ્ય યા ગુણ-કર્મ, સામગ્રીબળે, તદ્દન નવેસર ઉત્પન્ન થતાં હાઈ એ અસત્કાર્યવાદની કટિમાં આવે છે." ૧. સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદની ચર્ચાએ દાર્શનિક પરંપરાઓમાં બહુ મોટે ભાગ ભજવ્યો છે અને એ અનેક શતાબ્દીઓ થયાં ચાલતી પણ રહી છે. ઈશ્વરકૃષ્ણ (કા. ૯ ) સત્કાર્યવાદની સ્થાપના કરી છે અને અસત્કાર્યવાદને નિષેધ કર્યો છે. ગસૂત્રકાર પતંજલિ અને તેને ભાષ્યકાર પણ સત્કાર્યવાદને માને છે. ઉક્ત કારિકા ઉપર વિવરણ કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy