SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ સામાન્ય રીતે આજ સુધીમાં મનાતું રહ્યું છે કે તત્ત્વચિન્તનનાં પ્રારંભિક ખીજક ઋગ્વેદનાં કેટલાંક સૂક્તોમાં છે. આવી ધારણા વિચારકને એમ માનવા પ્રેરે છે કે જાણે તત્ત્વચિન્તનના પ્રારભ તે તે સૂક્તોના ૠાએથી જ થયેા હાય પર તુ હવે આ ધારણામાં સુધારા થવા માંડ્યો છે. જ્યારથી સિન્ધુસંસ્કૃતિ અને દ્રાવિડસંસ્કૃતિની શેાધ વિષે ચર્ચા શરૂ થઈ અને સિન્ધુસંસ્કૃતિના ધર્મ અને ઉપાસનાવિષયક મળી આવતા અવશેષો વિષે વિચાર થવા લાગ્યા તેમ જ વૈદિક આર્યાના આગમન તેમ જ પ્રસરણ પહેલાંના યુગમાં તળપદ ભારતીય લેાકેાના આચાર-વિચાર વિષે કાંઇક સબળ અનુમાનેા થવા લાગ્યાં, ત્યારથી હવે વિચારકાને વધારે ને વધારે ચાક્કસપણે એમ સમજાતું જાય છે કે એ વેદપ્રાક્કાલીન સિન્ધુ અને દ્રાવિડસ’સ્કૃતિના આચાર-વિચારવિષયક પ્રવાહ ઉત્તરકાલીન પ્રજાઓના આચાર-વિચારમાં કેટલેક અંશે આવી ગયેલા છે, રૂપાન્તર પામ્યા છે; પણ એના સમૂલ નાશ થયા નથી, થવાના સંભવ પણ નથી. એ ખરું છે કે સિન્ધુસંસ્કૃતિના અવશેષોમાં જે લિપિબદ્ધ અશા છે તેના અસંદિગ્ધ અર્થ હજી સુધી તારવી શકાયા નથી. એ પ્રાચીન દ્રાવિડસિન્ધુસ ́સ્કૃતિના કયા અંશે! કેવે રૂપે ઉત્તરકાલીન સાહિત્યમાં સચવાઈ રહ્યા છે, એ નક્કી કરવાનું કામ હજી બાકી છે અને ઘણું શ્રમસાધ્ય પણ છે. આ ઉપરાંત ડૉ. દેવદત્ત ભાંડારકરે એમના ‘Some Aspects of Ancient Indian Culture ' પુસ્તકમાં વેદસાહિત્યનું પૃથક્કરણ કરી વેદપ્રાપ્કાલીન ભારતના પૂર્વપ્રદેશની ધર્મસ‘સ્કૃતિની જે શકયતા બતાવી છે તે પણ નેાંધવી જોઈ એ. ગ્રીક અને ભારતીય તત્ત્વચિંતનને સંબધ સામાન્ય રીતે એમ મનાય છે કે ગ્રીક અને ભારતીય એ એ તત્ત્વચિન્તનની ધારાએ પ્રાચીન છે. વિદ્વાને લાંખા વખત થયા વિચાર કરતા રહ્યા છે કે આ એ વિચારધારાઓના પારસ્પરિક કાંઈ સબધ છે કે નહિ. આવા પ્રશ્ન મૂળે તેા પ્રાશ્ચાત્ય સંશોધકે એ જ ઊભા કર્યાં. એનેા ઉત્તર આપવાની કેશિશ પણ પહેલવહેલાં એમણે જ શરૂ કરી. ત્યાર બાદ એને ઉત્તર આપવામાં ભારતીય વિદ્વાના પણ ભાગ લેતા રહ્યા છે. કેટલાક જર્મન અને બીજા વિદ્વાને, પેાતાના તુલનાત્મક અધ્યયનને મળે, એમ માનતા કે ગ્રીક તત્ત્વચિન્તનની ભારતીય તત્ત્વચિન્તન ઉપર અસર છે; તે ગામે ૨ જેવા એમ પણ માનતા કે ભારતીય તત્ત્વચિન્તનની ગ્રીક તત્ત્વચિન્તન ઉપર અસર છે. મેક્સમૂલરે આ પ્રશ્ન વિષે ઠીક ઠીક ઊહાપાહ કર્યાં છે. એનું ચાક્કસ મતવ્ય એ છે કે કાઈ એક વિચારધારાને બીજી વિચારધારા ઉપર પ્રભાવ પડ્યો ગ્ ૧. ઋગ્વેદ ૧.૧૬૪; ૧૦.૫, ૨૭, ૮૮, ૧૨૯ આદિ. ૨. Philosophy of Ancient India (1897), પૃ. ૩૨થી આગળ 3. The Six Systems of Indian Philosophy (1903), પૃ. ૧૮-૬૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy