SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ આ સાથે બીજા મુદ્દાઓ પણ સંકળાયેલા છે. તેય વિચારવા જેવા છે. તત્ત્વવિદ્યા અને તત્ત્વદર્શન જેવા શબ્દોની પેઠે બીજા પણ કેટલાક શબ્દ એ જ અર્થમાં પ્રયુક્ત થાય છે, જેમ કે તત્વચિન્તન, તત્ત્વવિચારણા, તત્ત્વજિજ્ઞાસા અને તત્ત્વજ્ઞાન આદિ. ઉપર ઉપરથી જેનારને તે એમ જ લાગે કે દર્શન, તત્ત્વચિન્તન આદિ ઉક્ત શબ્દો પર્યાય હોઈ એક અર્થના બેધક છે, પણ શાસ્ત્ર અને અનુભવની મર્યાદાથી તપાસીએ તે વસ્તુસ્થિતિ જરા જુદી છે. એ વસ્તુસ્થિતિ જાણીએ તે જ સમજાય કે દર્શન જેવી જ્ઞાનશુદ્ધિની સર્વોપરિ ભૂમિકાએ પહોંચવા માટે કેટલે અને કે માનસિક વ્યાપાર કરવો પડે છે અને તે વ્યાપારનાં મુખ્ય મુખ્ય કયાં પાન છે, તેમ જ દર્શન અને તત્ત્વચિન્તન આદિ ઉક્ત શબ્દોની અર્થ છાયામાં શું અન્તર છે. અતીન્દ્રિય વસ્તુઓનું દર્શન સૌને કાંઈ એકાએક થતું નથી. ત્યાં સુધી પહોંચવાને કમ છે. એનાં મુખ્યપણે ત્રણ સે પાન છે. પહેલાં તે અનુભવીએ પાસેથી અથવા અનુભવીઓને સંગૃહીત ઉગારો ઉપરથી જે તત્ત્વના દર્શનની લાલસા હોય તે વિશે જાણવું પડે છે. આ થઈ શ્રવણભૂમિકા. જે સાંભળ્યું અને તે ઉપરથી કાંઈક સમજાયું તેના ઉપર તર્ક, ન્યાય તેમ જ યુક્તિને આધારે વધારે ચિન્તન-મનન કરવું પડે છે. આ થઈ બીજી ભૂમિકા. ત્યાર બાદ વિશેષ એકાગ્રપણે અને કલેશમુક્ત ચિત્તે વસ્તુના હાર્દમાં પ્રવેશવાને પ્રયત્ન કરવો પડે છે. આ થઈ ત્રીજી ભૂમિકા. આ ત્રણ ભૂમિકાઓ યથાવત્ સિદ્ધ ન થાય ત્યાં લગી દર્શન યા સાક્ષાત્કારની ભૂમિકા કદી સિદ્ધ થતી જ નથી; અને એ ત્રણ ભૂમિકાઓ સિદ્ધ થઈ તે પછી દર્શન પ્રાપ્ત થતાં વિલંબ થતું નથી. આ રીતે જોઈએ તે દર્શન એ તત્ત્વબેધનું શિખર છે અને પહેલાંની ત્રણ ભૂમિકાએ એ એનાં ક્રમિક પાન છે. તત્ત્વજિજ્ઞાસા, તત્ત્વચિન્તન, તત્ત્વવિચારણા અને તત્ત્વમીમાંસા જેવા શબ્દો એ દર્શનની કક્ષા પહેલાને માનસિક વ્યાપાર સૂચવે છે; નહિ કે દર્શન-વ્યાપાર પરન્તુ દ્રષ્ટા વિરલ હોય છે, જ્યારે અધ્યાત્મજિજ્ઞાસુ ઘણું સંભવે છે. કેઈ પહેલી ભૂમિકામાં હોય કે કેઈ બીજી યા ત્રીજી ભૂમિકામાં, પણ એ બધા દર્શનાભિમુખ હોવાથી १. आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः। मैत्रेयि ! आत्मनो वा अरे दर्शनेन श्रवणेन मत्या विज्ञानेनेदं सर्वं विदितम् ॥ __ बृहदारण्यकोपनिषद्. २.४.५. आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते योगमुत्तमम् ॥ ચોમૂત્ર. ૧.૪૮ ભાષ્યમાં ઉદ્દત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy