SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ દશવૈકાલિક સૂત્ર હવે ત્રસકાય અને ભેદા કહે છે – વળી આ હાલતા ચાલતા ત્રસ (બે ઈકિયાદિ) જીવે પણ અનેક પ્રકારના કહ્યા છે. તે જીવોને ઉત્પન્ન થવાનાં મુખ્યતય આઠ સ્થાને છેતે કહે છે -(૧) અંડજ (ઈડાથી ઉત્પન્ન થાય) તે પક્ષી વગેરે, (૨) પિતજ (ચર્મથી વિંટાયેલા જન્મ પામે) તે હાથી વગેરે, (૩) જરાયુજ (ઓરથી વિંટાયેલા જન્મે) તે ગાય ભેંસ વગેરે, (૪) રસજ (બગડી ગયેલા રસમાં ઉત્પન્ન થાય) તે બે ઈદ્રિય વગેરે, (૫) સ્વેદજ (પરસેવાથી ઉત્પન્ન થાય) તે જૂ, માકડ વગેરે, (૬) સંમૂર્ણિમ (નરમાદાના સંયોગ વિના જન્મ) તે માખી, કીડી વગેરે, (૭) ઉભિજી (ધરતી ફાડીને નીકળે) તે તીડ, પતંગ વગેરે, (૮) ઔપપાતિક (ગર્ભ વિના સ્થાનમાં ઉત્પન્ન થાય) તે દેવ તથા નારકીના છો. તેનાં લક્ષણે કહે છે – જે કઈ પ્રાણીઓનું સન્મુખ આવવું, પાછું જવું, સંકોચાઈ જવું, વિસ્તૃત થવું, શબ્દોચ્ચાર કરવો, ભયબ્રાન્ત થવું, ત્રાસ પામો, ભાગી જવું, આગમન થવું અને ગમન કરવું ઈત્યાદિ ક્રિયાઓ સ્પષ્ટ થતી દેખાય તે પરથી તે ત્રસ જેવો છે તેવી પ્રતીતિ જાણવી. હવે તેના ભેદ કહે છે:––જે કીડા, કુંથવા વગેરે બે ઈક્રિય વાળા,કીડી વગેરે ત્રણ ઈન્દ્રિયવાળા, પતંગ, ભમરા વગેરે ચતુરિન્દ્રિય વાળા છ તથા પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચ યોનિના જીવો તેમજ સર્વ નારકી, સર્વ મનુષ્ય અને સર્વ દેવતાઓ એ બધા પંચેન્દ્રિયના છેકહેવાય છે. ઉપર કહ્યા તે તથા બધા પરમાધાર્મિક (નરકોનિમાં નારકીને જીવોને દુઃખ આપનાર) દેવો પણ પાંચ ઈંધિવાળા હોય છે અને તે બધા ને આ છઠ્ઠો જવનિકાય તે ત્રસકાયના નામે ઓળખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy