SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ # આપેલી છે. આ અધ્યયનમાં આવતાં શિક્ષાપટ્ટા કુંદનમાં જડેલા હીરાની માફક ઝળકી રહે છે. છઠ્ઠા અને આઠમા અધ્યયનમાં પણ અઢાર સ્થાનાનું નિરૂપણુ કરીને સાધુજીવનના નિયમે તથા ઉપનિયમે બતાવ્યા છે. સાતમા અધ્યયનમાં ભાષાશિક્ષા, નવમા અધ્યયનમાં ગુરુભક્તિનું માહાત્મ્ય અને દસમા અધ્યયનમાં આદર્શ સાધુની વ્યાખ્યા આપી છે. પ્રથમ ચૂલિકામાં બાહ્ય તેમજ આંતરિક મુશ્કેલીને લીધે સૈંયમી જીવનને છેાડી છ ગૃહસંસારી થઈ જવાની સાધુની મનેાદશાની શક્યતા બતાવી માત્ર જૈનદનના સિદ્ધાંતાનુંજ નહિ બલ્કે મનુષ્ય માત્રના માનસમાં ઉત્પન્ન થતી સારી કે માડી, નબળી કે સબળ સ્વાભાવિક લાગણીઓને આષેત્ર ખ્યાલ આપે છે. આ અધ્યયન તેના સંપાદક માનસશાસ્ત્રના કેટલા ઊંડા અભ્યાસી હતા. તેની પણ સાક્ષી પૂરે છે. દ્વિતીય ચૂલિકામાં આર્યના નિયમા આપે છે. આ રીતે દશવૈકાલિકનું સાદ્યંત સુંદર સંકલન પૂરું થાય છે. દશવૈકાલિકની વિશિષ્ટતા દશવૈકાલિકમાં પ્રવેશતાંજ તે આપણને સીધા મેાક્ષને માર્ગ બતાવે છે. મેાક્ષ એટલે વીતરાગ ભાવની પરાકાષ્ટા; તેના મા તેજ ધર્મ, ધર્મ એટલે વસ્તુના સ્વભાવ. અહીં આત્મસ્વભાવની પ્રાપ્તિ કરાવે તે ધર્મની સુંદર વ્યાખ્યા આપી છે. અને તેવા આત્મધના અધિકારી અને તે ધર્મોની સાધનાને અનુક્રમ પણ બતાવ્યા છે. જ્યાં સુધી માનવ પેાતાની યેાગ્યતાને પ્રાપ્ત ન કરે અર્થાત્ કે. માનવધર્મને ન પામે ત્યાંસુધી તે આત્મધર્મની સાધનામાં સફળ ચઈ શકે નહિ. એ અનુક્રમ સમજાવવા સારુ ધર્મ સાથે વૃક્ષની સુટિત ઉપમા આપી ધર્મનું મૂળ વિશિષ્ટનીતિ સમજાયું છે. વિશિષ્ટનીતિમાં માનવતા, સજ્જનતા, શિષ્ટતા અને સાધુતાનાં સમાવેશ થાય છે અને એ બધાં મેાક્ષમાર્ગનાં પગથિયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy