SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ S . છે. જ્યારે છેલ્સમાં શ્રમણજીવનના યમનિયમ સંબંધી થયેલ ભૂલોનું પ્રાયશ્ચિત લઈ વિશુદ્ધ થવાના ઉપાય છે. દશવૈકાલિકમાં સાધુજીવનના યમનિયમનું વર્ણન મુખ્યતયા હેવાથી ઠાણાંગ સૂત્રના ચોથા ઠાણામાં વર્ણવેલા ચાર વેગે પૈકી ચરણકરણનુયોગમાં તેને સમાવેશ કરી શકાય. મૂળ સંજ્ઞા શા માટે ? અંગ, ઉપાંગ અને છેદ એ ત્રણે વિભાગોના સંબંધમાં તે તે સંજ્ઞા તેને કેમ મળી છે તે તેના અર્થ અને વિષયપરથી સ્પષ્ટ સમજાય છે. તેથી તેમાં કોઈ પણ પશ્ચિમાત્ય કે પિત્ય વિદ્વાનોને લેશમાત્ર મતભેદ નથી, પરંતુ મૂળસૂત્ર શા માટે કહેવાયાં તે સંબંધમાં ભિન્નભિન્ન વિદ્વાને ભિન્નભિન્ન કલ્પનાઓ કરે છે. શાપેન્ટિયર નામના એક જર્મન વિદ્વાન મૂળસંસાનું કારણ બતાવે છે કે તેમાં “ Mahavir's own words” એટલે કે તે સૂત્રોમાં ભગવાન મહાવીરનાં જ શબ્દો ગ્રથિત થયો છે અને તેથી જ તેને મૂળ સંજ્ઞા મળી હશે. આ કથન શંકાસ્પદ છે. કારણકે ભગવાન મહાવીરના શબ્દો તેમાં છે અને ઈતરમાં નથી એવું કહી શકાય નહિ અને દશવૈકાલિકના ઘણા કથન ઈતર આગમાંથી લીધા હોય એમ સ્પષ્ટ દેખાય છે, તેથી તે અભિપ્રાયનું નિરાકરણ કરવા સારુ Dr. Walther Schubring (ડો. બિંગ) કહે છે કે – "This designation seems to mean that these four works are intended to serve the Jain Monks and Nuns in the beginning () of their career. " આ સૂત્રો જૈન સાધુ તેમજ સાધ્વીને સાધુજીવનના મૂળમાં જે યમનિયમાદિ (વર્તણુક)ની આવશ્યકતા છે તેની આરાધના 1 See:- Utt. Su. Introduction. Pago no. 79 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy