SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયસમાધિ ૧૭ ગ્રતા કેળવાશે” તેમ ધારી અભ્યાસ કરે, (૩) “મારા આત્માને સધર્મમાં બરાબર સ્થિર કરીશ” એમ માની અભ્યાસ કરે અને (૪) જે હું ધર્મમાં બરાબર સ્થિર હઈશ તો અન્યને પણ ધર્મમાં સ્થાપી શકીશ. તે પ્રમાણે ચાર પદો થાય છે. તે પિકી ચોથું પદ ખાસ યાદ રાખવું. અહીં તે વિષયને લૅક કહેવાય છે – [3] શ્રુતસમાધિમાં રત થયેલ સાધુ સત્રોને ભણુને જ્ઞાનની, એકાગ્ર ચિત્તની, ધર્મસ્થરતાની અને અન્યને ધર્મમાં સ્થિર કરવાની . શક્તિ કેળવે છે. માટે સાધકે મૃતસમાધિમાં રક્ત થવું ઘટે. આ ચાર પ્રકારની ખરેખર તપસમાધિ પણ થાય છે અને તે આ પ્રમાણે છેઃ-(૧) સાધક ઐહિક સ્વાર્થ (આલેકના સુખ) સારુ તપ ન કરે, (૨) પારલૌકિક (સ્વર્ગાદિ) સુખ સારુ તપ ન કરે, (૩) કીર્તિ, વર્ણ, (લાઘા) શબ્દ કે લેકને માટે તપ ન કરે અને (૪) નિર્જ (પાપકર્મને વીખેરવું તે) સિવાય કોઈપણ બીજા કારણે ત૫ ન કરે તે પૈકી ચોથા પદને બરાબર યાદ રાખે. તેને શ્લેક આ પ્રમાણે છે – [૪] તપસમાધિમાં હમેશાં જોડાયેલે સાધક ભિન્નભિન્ન પ્રકારના સદ્દગુણોના ભંડારરૂપ તપશ્ચર્યામાં હમેશાં રક્ત થાય અને કોઈપણ પ્રકારની આશા રાખ્યા સિવાય તે નિર્જરાર્થીજ (કર્મને ક્ષીણ કરવાની ભાવના રાખનાર) બને તો તે સાધુ તપદ્વારા તે પ્રાચીન પાપને પણ દૂર કરી શકે. નેંધ –સર્વ દિશાવ્યાપી ચશને કીર્તિ, અમુક દિશાવ્યાપી ચશને વર્ણ. ગામમાં જ ફેલાતાં ચશને શબ્દ અને કુળમાં જ ફેલાતા મર્યાદિત ચશને લેક કહેવાય છે. આચારસમાધિ પણ ચાર પ્રકારની હોય છે. તે આ પ્રમાણે છે – કઈ પણ સાધક (૧) અહિક સ્વાર્થ સારુ શ્રમણના સદાચારોને ન સેવે, (૨) પરલૌકિક સ્વાર્થ સાર પણ સદાચારને ન સેવે, (૩) કીર્તિ, વર્ણ, શબ્દ કે શ્લોકને માટે પણ સાધુના આચાર ન પાળે અને (૪) (અર્થાત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy