SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી અધોલોક 22 સાતમી નરક આ તમસ્તમપ્રભા (માધવતી) નામની સાતમી નરક પૃથ્વીમાં અતિશય ઘોર અંધકાર હોવાથી ગોત્ર વડે “તમસ્તમપ્રભા” કહેવાય છે. જેની લંબાઈ પહોળાઈ ૭ રાજલોક પ્રમાણ છે. એના પણ ૩ વલય છે. (ઘનોદધિ વગેરે...) જે સૌથી ઉપરના ભાગે ચારે તરફ પહેલું ૮ યોજનનું, બીજું ૬ યોજનાનું અને ત્રીજું ર યોજનાનું છે એવી રીતે આ નરકની સીમા પૂરા ૧૬ યોજને પૂરી થાય છે. ત્યાંથી પછી ચારે બાજુ તરફ “અલોક” શરૂ થાય છે. જ આ નરકની જાડાઈ ૧,૦૮,૦OO યોજનની છે". તેમાં પૂર્વની જેમ નીચે તથા ઊપર પર, ૫OO યોજન મૂકીને મધ્યમાં એક જ ૩,000 યોજન ઊંચું પ્રતર છે. એમાં ૧ લાખ યોજન પહોળો “અપ્રતિષ્ઠાન” નામનો એક નરકેન્દ્ર છે. એ નરકેન્દ્રની(૧) પૂર્વ દિશામાં - કાલ, (૨) પશ્ચિમ દિશામાં - મહાકાળ, (૩) ઉત્તર દિશામાં - મહારૌરવ અને (૪) દક્ષિણ દિશામાં - રૌરવ.. નામના ત્રિકોણાકારે ૧-૧ નરકાવાસ છે, જે બહુ ભયંકર છે અને એની લંબાઈ પહોળાઈ તથા ઘેરાવો અસંખ્ય યોજનનો છે. દરેકમાં અસંખ્ય ઉત્પત્તિ સ્થાનો આવેલાં છે. વિદિશામાં પંક્તિઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી અહીં વિદિશામાં એક પણ નરકાવાસ નથી અને આ સહુથી છેલ્લે ઓગણપચાસમું પ્રતર છે તેમ જાણવું. Lજ અહીં વેદના ૨ પ્રકારે છે. (૧) ક્ષેત્રવેદના, (૨) પરસ્પરકૃત વેદના... અહીં “ક્ષેત્રવેદના” શીત જ છે અને બીજી પરસ્પરકૃત શસ્ત્રો વગરની વેદના છે. કારણ કે, મઘા અને માઘવતી (૬-૭ની નારકી)ના નારકો ભવસ્વભાવથી જ શસ્ત્રો વિકુવી શકતા નથી. એમની પાસે શસ્ત્રો ન હોવાથી તેઓ વજનાં મુખવાળા કંથવાના રૂપ કરી એક બીજાના શરીરમાં પેસીને પીડા કરે છે. “૬ઠી ૭મી નરકની પૃથ્વીના નારકો મોટા-રાવણ અને વજસમાન મુખવાળા છાણના કીડા જેવા કુંથવાના રૂપ કરીને એક બીજાના શરીરને ઘોડાની જેમ ચઢી ચઢીને ખાતા ખાતા તથા શેરડીના કીડાની જેમ કોતરતા કોતરતા અંદર ઊંડે પેસીને વેદના ઉપજાવે છે..” ઇત્યાદિ આ પ્રમાણે જીવાભિગમસૂત્રમાં ઉલ્લેખ છે. I અહીં ૭મી નરકના જીવોનું સ્વભાવિક દેહમાન ૨,૦૦૦ હાથ (૫૦૦ ધનુષ્ય) પ્રમાણ હોય છે અને દરેક નરકનું ઉત્તર વૈક્રિય દેહમાન ઉત્કૃષ્ટથી પણ સ્વ-સ્વ દેહ પ્રમાણથી બમણું હોય છે. તેમજ અહીંની આયુષ્ય સ્થિતિ જઘન્યથી ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે તથા અહીં નારકોનું ઉદ્વર્તન અને ઉત્પત્તિ વચ્ચેનું અંતર પણ જઘન્યથી ૧ સમયનું ને ઉત્કૃષ્ટથી ૬ માસનું જાણવું તથા આ નારકોના અવધિજ્ઞાનનો વિષય જઘન્યથી અર્ધા () અને ઉત્કૃષ્ટથી ૧ ગાઉ જાણવો. એમ કહેવાય છે કે ઉત્કૃષ્ટથી પણ સમૂછિમ તિર્યંચો પહેલી નરક સુધી જ ઉત્પન્ન થઈ શકે છે. ગર્ભજ સરીસૃપ (ભૂજપરિસર્પ) બીજી નરક સુધી, ગીધાદિ પાપી પક્ષીઓ ત્રીજી નરક સુધી, સિહ વગેરે હિંસક ચતુષ્પદો ચોથી નરક સુધી, ઉરપરિસર્પ (સાપાદિ) પાંચમી નરક સુધી, સ્ત્રીઓ (મહિલાઓ) છઠ્ઠી નરક સુધી અને મહાઆરંભમાં નિમગ્ન આવા પુરુષો (માણસો) અને મત્સ્યાદિ જળચરો યાવતું સાતમી નરક સુધી ઉત્પન્ન થાય છે. * વળી એમ પણ કહેવાય છે કે પ્રથમ નારકીમાંથી નીકળેલો જીવ ચક્રવર્તી બની શકે. પહેલી-બીજી નારકીમાંથી નીકળેલા જીવ બળદેવ-વાસુદેવ બની શકે. પહેલી ત્રણ નારકીમાંથી નીકળેલો જીવ તીર્થકર બની શકે, પહેલી ચાર કળેલો જીવ અંતઃક્રિયા કરી શકે. (અર્થાત કેવળી બની શકે.) પહેલી પાંચ નારકીમાંથી નીકળેલો જીવ સર્વવિરતિ (દીક્ષા) લઈ શકે. ૧ થી ૬ નારકીમાંથી નીકળેલો જીવ દેશવિરતિ પ્રાપ્ત કરી શકે છે. તેમજ ૧ થી ૭ નારકીમાંથી નીકળેલો જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકે છે.... તેમ જાણવું. * એમ કહેવાય છે કે આ સાતમી તારકીના જીવોને પ,૬૮,૯૯,૫૮૪ પ્રકારના રોગ હોય છે. (રિષ્ઠસમુચ્ચય ગ્રંથમાંથી) ( ૧૫ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy