SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી અધોલોક ત્રિકાણમય રત્નપ્રભા પૃથ્વી = પ્રથમનરક ૪િ ૧૪ રાજલોક પ્રમાણ આ લોકમાં જેના ત્રણ વિભાગો છે એવા જે ઉર્ધ્વલોક-મધ્યલોક અને અધોલોક તરીકે ઓળખાય છે. એમાં નીચે જે અધોલોક છે, તે લગભગ સાધિક ૭ રાજલોક પ્રમાણ છે અને એમાં ઉત્તરોત્તર ક્રમશઃ વૃદ્ધિ પામતી ઊંધા મૂકેલા છત્રાતિછત્રા આકારે ૭ પૃથ્વીઓ આવેલી છે. જે સાતેય ઘનોદધિ, ઘનવાત, તનવાત એમ ત્રણ વલયો પર અધિષ્ઠિત છે. જેમના નામો અનુક્રમે ગોત્રથી (૧) રત્નપ્રભા, (૨) શર્કરા પ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ:પ્રભા અને (૭) તમસ્તમ પ્રભા છે અને રૂઢિ નામો અનુક્રમે (૧) ઘમ્મા, (૨) વંશા, (૩) શૈલા, (૪) અંજના (૫) રિષ્ટા, (૬) મઘા અને (૭) માઘવતી છે. ૪િ સાતે પૃથ્વીની સૌથી ઉપર રહેલી રત્નપ્રભા પૃથ્વી રત્નની બાહુલ્યતાથી સાન્વર્થ નામવાળી છે. તેની જાડાઈ ૧,૮૦,૦૦૦ યોજન છે. એમાં પ્રથમ ખરકાંડ (૧૬,000 યોજન), દ્વિતીય પંકબહુલકાંડ (૮૪,OOO યોજન) અને તૃતીય અણુબહુલ (જલ) કાંડ (૮૦,000 યોજન) એમ અનુક્રમે ત્રણ કાંડ આવેલા છે. ૨ જ સૌથી ઉપરના ખરકાંડમાં ૧૦ પ્રકારના રત્નોની અપેક્ષાએ હજાર-હજાર યોજનના ૧૬ વિભાગો આવેલા છે. (૧) રત્ન કાંડ, (૨) વજ કાંડ, (૩) વૈડૂર્ય કાંડ, (૪) લોહિત કાંડ, (૫) મસારગલ કાંડ, (૬) હંસગર્ભ કાંડ, (૭) પુલક કાંડ, (૮) સૌગન્ધિક કાંડ, (૯) જ્યોતિરસ કાંડ (૧૦) અંજન કાંડ, (૧૧) અંજનપુલક કાંડ, (૧૨) રજત કાંડ, (૧૩) સુવર્ણ કાંડ, (૧૪) અંક કાંડ, (૧૫) સ્ફટિક કાંડ અને (૧૬) રિષ્ટ કાંડ.૩ કિ આ રીતે કાંડની વ્યવસ્થા માત્ર પ્રથમ પૃથ્વીમાં જ છે. રત્નપ્રભા પૃથ્વીમાં વ્યંતર-વાણવ્યંતર-અસુરકુમારાદિના ભવનો યથાયોગ્ય સ્થાને આવેલા છે. જેની જાણકારી આગળ આવશે. આ પૃથ્વીમાં ત્રણ ત્રણ હજાર યોજન જાડાઈના કુલ ૧૩ પ્રતરો આવેલા છે અને એ પ્રતરોમાં કુલ ૩૦ લાખ નરકાવાસો છે. જેની રચનામાં મધ્યમાં ઈન્દ્રક, દિશા-વિદિશામાં શ્રેણિબદ્ધ તેમજ અન્ય પુષ્પાવકીર્ણ નારકાવાસો છે. આ રચના સાતે નારકીના તમામ પ્રતરોમાં સમજવી. Lજ રત્નપ્રભા પૃથ્વીને વિટળાઈને રહેલા ઉપરના ભાગે ઘનોદધિ (દ યોજન) ઘનવાત (૪ યોજન) તેમજ તનવાત (૧ યોજન) એમ કુલ ૧૨ યોજનના વલયો છે. વળી, નીચેના ભાગે ઘનોદધિ ૨૦,૦00 યોજન અને ઘનવાત તેમજ તનવાત અસંખ્ય યોજનાત્મક હોય છે. ત્યારબાદ અસંખ્ય યોજન આકાશ અને ત્યારબાદ બીજી પૃથ્વી એમ અનુક્રમે સાતેય નારકોમાં સમજવું. ઘનોદધિ આદિની જાડાઈ વગેરેમાં જે ફરક છે તેની વિશેષ જાણકારી આગળ આવશે. જિ એમ કહેવાય છે કે, મિથ્યાષ્ટિ, મહા આરંભી, મહા-પરિગ્રહી, માંસાહારી, પંચેન્દ્રિયાદિ પ્રાણીઓનો વધ કરનાર, તીવ ક્રોધાદિ કરનાર, રૌદ્ર પરિણામી વગેરે પ્રકારના જીવો નરકના આયુષ્યને બાંધી આ નરકોમાં ઉત્પન્ન થાય છે. ૪િ આ નરકોમાં ઉત્પન્ન થતાં જીવો ફરી નરકગતિમાં ઉત્પન્ન થતાં નથી. કારણ કે, મહા-આરંભ, મહા પરિગ્રહ વગેરે નરક બંધના કારણો ત્યાં નથી તેમજ સરાગ સંયમાદિ જે દેવગતિ બંધના કારણોનો પણ અભાવ હોવાથી નારકો મરીને દેવગતિમાં પણ જન્મતા નથી, પરંતુ મનુષ્ય અથવા તિર્યંચગતિમાં જ જન્મે છે. Iણ આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થતાં જીવો આગળ કહેવાતી ૧૩ પ્રતરોમાં ઉત્પન્ન થતા હોય છે અને ત્યાં ઉત્પન્ન થયેલા છે તે પ્રતિરોમાં નારકોનું જે આયુષ્ય હોય તે જઘન્ય-ઉત્કૃષ્ટાદિના ભેદથી કહેવાય છે... પ્રત પ્રતર પ્રતર જધ. આયુ. ઉત્ક. આયુ. | ૧૦,000 વર્ષ ૧૯૦,૦૦૦ વર્ષ ૧૦ લાખ વર્ષ | ૯૦ લાખ વર્ષ | જશે. આયુ. - સાગરોપમાં કે, સાગરોપમ | ૩. સાગરોપમ ઉત્કૃ. યુ. ( સાગરોપમ સાગરોપમ ૪. સાગરોપમ ૧૦ | જશે. આયુ. ઉત્ક. આયુ. * સાગરોપમ | ડ સાગરોપમ કદ સાગરોપમ સાગરોપમ સાગરોપમ - સાગરોપમ દસાગરોપમ દ સાગરોપમ દ સાગરોપમ ૧સાગરોપમ | ૯૦ લાખ વર્ષ | ૧ પૂર્વ ક્રોડ વર્ષ ૪ | ‘પૂર્વ ક્રિોડ વર્ષ | = સાગરોપમ | સાગરોપમ | | સાગરોપમ ૧૨ & Tય – ૩૯ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy