SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા એક નાનકડો તારો છે. આવા તો કરોડો તારોઓ આકાશમાં છે. ઘણા તારાઓ એટલા દૂર છે કે ત્યાંથી પ્રકાશને આપણા સુધી પહોંચતાં ત્રણ કરોડ વર્ષ લાગે છે. પૃથ્વીનું વજન ૬,000,000,000,000,000,000,૦૬૦ મેટ્રિક ટન જેટલું છે. આ બધા જ આંકડાઓની માયાજાળ દ્વારા વિજ્ઞાનીઓ સામાન્ય માણસને ભ્રમણામાં નાખીને તેમની પાસે પોતાની કલ્પિત વાત કબૂલ કરાવી લેવા ધારે છે. હકીકતમાં આ બધી જ ગણતરીઓ જે પાયા પર કરવામાં આવી છે તે પાયો ખોટો છે. ગણતરીમાં તર્ક અને વિજ્ઞાનનો અભાવ છે, તેનાથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ૪૮. પૃથ્વી સપાટ હોય તો પડી ન જવાય ? # જ્યારે જ્યારે આજના વિજ્ઞાનીઓ સમક્ષ પૃથ્વી સપાટ છે એવી હકીકત રજૂ કરવામાં આવે છે ત્યારે તેઓ એક જ સવાલ અચૂક પૂછે છે કે તો આપણે પૃથ્વીના છેડા ઊપરથી આકાશમાં ગબડી ન પડીએ ? આ સવાલનો સંતોષકારક જવાબ ન મળતાં તેઓ સ્વીકારી લે છે કે પૃથ્વી ગોળ છે. પૃથ્વીને સપાટ માની લેવાથી કોઈ આપત્તિ આવતી હોય તો તેનો ઉકેલ શોધવા જોઈએ, પણ તેટલા માત્રથી કોઈપણ જાતના તર્ક કે પુરાવા વિના તેનાથી ઊંધી વાતને કેમ સાચી માની શકાય? હકીક્તમાં સપાટ પૃથ્વી એટલી વિરાટ છે કે આપણે દક્ષિણમાં બરફના મહાસાગરથી કે ઉત્તરમાં ધ્રુવપ્રદેશથી આગળ વધી જ શક્યા નથી. આ પૃથ્વી આપણે માનીએ છીએ તેના કરતાં લાખો ગણી વિશાળ છે અને દુર્ગમ છે. આ કારણે પૃથ્વીના છેડા ઊપર પહોંચીને ત્યાંથી આકાશમાં ગબડી પડવાનો પ્રશ્ન જ પેદા થતો નથી. ૪૯. દક્ષિણ મહાસાગરમાં સફર ૪ ઓગણીસમી સદીમાં ચેલેન્જર નામની બ્રિટિશ સ્ટિમર દક્ષિણ મહાસાગરમાં ૬૯,૦૦૦ માઈલ ફરી ત્યારે ત્રણ વર્ષે તે પોતાની મૂળ જગ્યાએ પાછી ફરી હતી. વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને છે તે થિયરી સાચી હોત તો દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વીનો પરિઘ ૧૦થી ૧૨ હજાર માઈલ જ હોવા જોઈએ. આ કારણે કોઈ પણ સ્ટીમર હોકાયંત્ર મુજબ એક જ દિશામાં સફર કરે તો તે ૧૦ થી ૧૨ હજાર માઈલ પછી પોતાના મૂળ સ્થાને પાછી આવી જવી જોઈએ. ચેલેન્જર નામની સ્ટીમરે ૬૯,000 માઈલનો પ્રવાસ કર્યો. એટલા અંતરમાં તો તે છે વખત તથાકથિત ગોળ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછી આવી ગઈ હોય. હકીકત એ છે કે દક્ષિણ દિશામાં પૃથ્વીનો ઘેરાવો વધતો જાય છે, માટે સ્ટીમરને વધુ અંતર કાપવું પડે છે, આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ૫૦. પૃથ્વી સ્થિર જ દેખાય છે જ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી જૂન મહીનામાં અવકાશમાં જે સ્થળ ઊપર હોય છે ત્યાંથી ડિસેમ્બર મહિનામાં આશરે ૧૯ કરોડ માઈલ જેટલી દૂર આવી જાય છે. જો આ વાત સાચી હોય તો પૃથ્વી ઊપરથી આપણે જે ધ્રુવનો તારો જોઈએ છીએ તેનું સ્થાન પણ આ છ મહિનામાં બદલાતું દેખાવું જોઈએ. (૩૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy