SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા પૃથ્વીના ગોળાના બીજે છેડે નીકળી શકાય. આજ સુધી વિજ્ઞાનીઓ આવું બોગદું ખોદી શક્યા નથી, જેના ઊપરથી સાબિત થઈ જાય છે કે પૃથ્વીનો આકર ગોળ નથી. વિજ્ઞાનીઓ ધારો કે બોગદું ન ખોદી શકે તો પણ લેસર કિરણો તો એક છેડેથી બીજા છેડા સુધી જમીન સોંસરવાં ઉતારી શકે છે. આમ કરવામાં પણ વિજ્ઞાનીઓને સફળતા મળી નથી. વિજ્ઞાનીઓએ હવે હીડન ફોટોન નામના પ્રકાશના કણોની શોધ કરી છે, જે દીવાલની આરપાર નીકળી જાય છે. આ હીડન ફોટોન પૃથ્વીની આરપાર જઈ શકતા નથી, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૧૬. પૃથ્વીની પ્રદક્ષિણા' દરમિયાન મળતી સાબિતી $° કોઈ વ્યક્તિ ઉત્તર ધ્રુવને કેન્દ્રમાં રાખીને પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં સતત મુસાફરી કરે તો વર્તુળાકાર રસ્તે પાછો પોતાના મૂળ સ્થાન સુધી આવી શકે છે. આ માટે પૃથ્વી દડા જેવી ગોળ હોવી જરૂરી નથી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં કોઈ ચોક્કસ અક્ષાંશે તેનો ઘેરાવો એકસરખો હોવો જોઈએ. કોઈ વ્યક્તિ ધારો કે ૪પ ડિગ્રી ઉત્તર અક્ષાંશે પૃથ્વીની પ્રદક્ષિણા કરે તો તે અમુક અંતર કાપીને તેના મૂળ સ્થાને પાછો આવી શકે છે. હવે આ જ વ્યક્તિ ૪૫ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ ઊપર પૃથ્વીની પ્રદક્ષિણા કરે તો પણ તેણે એટલું જ અંતર કાપવું પડવું જોઈએ, પણ હકીકતમાં તેણે ઉત્તર અક્ષાંશની સરખામણીએ દક્ષિણ અક્ષાંશ ઉપર લગભગ બમણું અંતર કાપવું પડે છે, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નહીં પણ સપાટ છે. ૧૭. આપણી આંખો ખોટી નથી TR કુદરતે આપણને સૃષ્ટિને અને તેના સ્વરૂપને નિહાળવા માટે આંખો આપી છે. આપણે સગી આંખો દ્વારા પૃથ્વીનું જ સ્વરૂપ નિહાળીએ છીએ તે જ તેનું સાચું સ્વરૂપ છે. આપણે કોઈ પણ વિશાળ મેદાનમાં ઊભા રહીને નિરીક્ષણ કરીએ તો જમીન આપણને બહિર્ગોળ નથી દેખાતી પણ સપાટ જ દેખાય છે, કારણ કે તે હકીકતમાં સપાટ છે. આપણે દરિયાકિનારે ઊભા રહીને પાણીની સપાટી સામે જોઈએ ત્યારે પણ તે સપાટ દેખાય છે, કારણ કે તે હકીકતમાં સપાટ છે. અવકાશમાં ગયા હોવાનો દાવો કરતા કોઈ અવકાશયાત્રીઓ આપને છેતરવા માટે એમ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે તો આપણને તે વાત શા માટે માની લેવી જોઈએ? વિજ્ઞાન એમ કહે છે કે આપણે કોઈ વસ્તુ પ્રત્યક્ષ પુરાવા વિના માની લેવી જોઈએ નહીં. પૃથ્વી ગોળ જેવી હોવાનો પણ કોઈ પ્રત્યક્ષ પુરાવો નથી. ૧૮. પૃથ્વીની ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા થતી નથી. જ આજ સુધી જેટલા વહાણવટીઓ અથવા પાઈલટોએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોવાનો દાવો કર્યો છે, તેમણે પૃથ્વીની પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા જ કરી છે, પૃથ્વી દડા જેવી ગોળ ન હોય તો પણ તેની સપાટી ઉપર ઉત્તર ધ્રુવને કેન્દ્ર બનાવીને વર્તુળાકાર પ્રદક્ષિણા કરી શકાય છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો તેની પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા જેટલી જ સહેલાઈથી ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા પણ થઈ શકવી જોઈએ. આજ સુધી કોઈ સ્ટીમર પૃથ્વીની ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરી શકી નથી. પૃથ્વીની જો ઉત્તર દક્ષિણ પ્રદક્ષિણા કરવી (૩૦૨ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy