SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી 99 ૬ પ્રકારના સંઘયણ CF સંઘયણ એટલે મનોબલ+કાયબલ સૂચક હાડકાની રચના...શરીરની મજબૂતાઈ હાડકાની રચના ઉપર આધાર રાખે છે. ૪ એક હાડકા સાથે બીજું હાડકું જોડાય તે સાંધાને “સંઘયણ” કહેવાય છે. સંઘયણ નામકર્મના ઉદયે તે નક્કી થાય છે, તેના ૬ ભેદ છે. II સંઘયણના ૬ પ્રકાર II (૧) વજઋષભનારાચ સંઘયણ = વજ્રનો અર્થ છે ખીલો. ઋષભ એટલે વેષ્ટન (પટ્ટો), નારાચ એટલે મર્કટ બંધ, મર્કટ બંધથી બાંધેલાં બે હાડકાં ઉપર ત્રીજા હાડકાનું વેષ્ટન હોય અને તે ત્રણે હાડકાને ભેદનાર અર્થાત્ મજબૂત બનાવનાર એક હાડકાનો ખીલો હોય છે. (રેલના ડબ્બા એકબીજાને જોડે તેમ.) તેને વજઋષભનારાચ સંઘયણ કહેવાય છે. તે જ ભવે મોક્ષે જનારા તેમજ સર્વે શલાકા પુરુષો આ સંઘયણવાળા જ હોય છે. (૨) ઋષભનારાચ સંઘયણ = હાડકાનો બંને બાજુ મર્કટ બંધ હોય અને તેના ઉપર ૧ હાડકાનું વેસ્ટન હોય, પરંતુ બંનેને જોડનાર ખીલી નથી હોતી તે છે ઋષભનારાચ સંઘયણ... (૩) નારાચ સંઘયણ = બંને બાજુ મર્કટ બંધ હોય પરંતુ વેષ્ટન અને ખીલી બંને ન હોય તે નારાચ સંઘયણ. (૪) અર્ધનારાચ સંઘયણ = જેમાં એક બાજુ મર્કટ બંધ હોય અને બીજી બાજુ ખીલી હોય તે અર્ધનારાચ સંઘયણ. (૫) કિલિકા સંઘયણ = જેમાં મર્કટ બંધ કે વેષ્ટન બંને ન હોય પરંતુ ખીલીથી બંને હાડકાં જોડાયાં હોય તે કિલિકા સંઘયણ કહેવાય. (૬) છેવટું સંઘયણ = જેમાં મર્કટ બંધ, વેષ્ટન કે ખીલી ન હોય પરંતુ એમ જ બંને હાડકાં માત્ર સામ સામે જોડેલાં હોય તે છેવટું કે સેવાર્તા સંઘયણ કહેવાય છે. ૪ આ ૬ પ્રકારનાં સંઘયણો ઔદારિક શરીરમાં જ હોય છે. બીજા અન્ય શરીરોમાં હોતાં નથી. ૪ મોક્ષમાં જનાર જીવ ફરજિયાત વજઋષભનારાચ સંઘયણ વાળો હોય તો જ જઈ શકે છે. ry દેવ-ના૨ક અને એકેન્દ્રિય જીવોને કોઈપણ સંઘયણ હોતા નથી, વિકલેન્દ્રિય, સંમુચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ અને સંમુચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યોને સેવાર્ત - છેવકું સંઘયણ હોય છે તેમજ ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોને ૬ (છ પ્રકારે) (બધા જ) સંધયણો હોઈ શકે છે. સંઘયણાશ્રયી દેવાદિ ગતિ યંત્ર ૧ વજઋષભનારાચ સંઘયણવાળા ઋષભનારાચ સંઘયણવાળા ર |૩ |નારાચ સંઘયણવાળા ૪ | અર્ધનારાચ સંઘયણવાળા ૫ |કિલિકા સંઘયણવાળા ૬ |છેવટું સંઘયણવાળા ભવનપતિથી સિદ્ધશિલા સુધી ભવનપતિથી અચ્યુત સુધી ભવનપતિથી પ્રાણત સુધી ભવનપતિથી સહસ્ત્રાર સુધી વજઋષભનારાચ સંઘયણ ઋષભનારાચ સંઘયણ નારાચ સંઘયણ અર્ધનારાચ સંઘયણ કિલિકા સંઘયણ છેવટ્ટુ સંઘયણ ઇસ તા.ક. : હાલના સર્વ તિર્યંચ અને મનુષ્યો છેવટું સંઘયણ અને હુંડક સંસ્થાનવાળા જાણવા * તેમજ પહેલું સંઘયણ અને પહેલું સંસ્થાન આત્મા પુણ્યોદયે પામે. બાકીના પાંચ સંઘયણ અને સંસ્થાન પાપોદયે ભોગવે... તેમ જાણવું. Jain Education International ભવનપતિથી લાંતક સુધી ભવનપતિથી ચોથા કલ્પ સુધી 9. પ્રકીર્ણક મ ૩ ४ ૫ સંઘયણાશ્રયી નરકતિ યંત્ર ૬ For Private & Personal Use Only સાતમી ના૨ક સુધી છઠ્ઠી ના૨ક સુધી પાંચમી નારક સુધી ચોથી નારક સુધી ત્રીજી નારક સુધી બીજી નારક સુધી ૨૨૫ www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy