SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી ----- પ્રકીર્ષક પ-ઈન્દ્રિયોને faષે ભજન-ભિન્ન વિષયોનું સ્થાપના યંત્ર 94) જ્ઞાનસારના રચયિતા મહો.શ્રી યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે... पतङ्गभृङ्गमीनेभसारङ्गा यांति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद्, दुष्टैस्तैः किं न पंचभिः ॥ (ज्ञानसार-८/७) એટલે ફક્ત એકેક ઇન્દ્રિયના દોષની પ્રબળતાથી ઉપર જણાવેલા પતંગાદિના થતા માઠા હાલ આપણે સહુ સાક્ષાત્ જોઈ શકીએ છીએ. એકેક ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થનારાં તે પ્રાણીઓ પણ પોતાના પ્રાણ ખોઈ બેસતા નજરે દેખાય છે, તો પછી તે પાંચ ઇન્દ્રિયોના પ્રબળ વિકારને વશ થયેલા પામર પ્રાણીઓનું તો કહેવું જ શું? જી પ્રશમરતિકારે આ બાબતમાં બહુ સારો ઉલ્લેખ કરી બતાવ્યો છે, તે આ પ્રમાણે – “મનોહર અને મધુર એવી ગાંધર્વની વીણા અને સ્ત્રીઓના આભૂષણના અવાજ વિગેરેથી શ્રોત્રેન્દ્રિયમાં લીન હૃદયવાળો જીવ હરણની પેઠે વિનાશને પામે છે. ગતિ, વિલાસ, ઈંગિત, આકાર, હાસ્ય, લીલા અને કટાક્ષથી વિહ્યલ થયેલો અને વિચિત્ર રૂપમાં લીન ચક્ષુવાળો જીવ પતંગની જેમ પરવશ થઈ પ્રાણ તજે છે. સ્નાન, વિલેપન, ગંધવટ્ટી, વર્ણક (રંગ), ધૂપ, ખુશબો તથા પટવાસવડે કરીને ગંધભ્રમિત મનવાળો પ્રાણી મધુકરની પેઠે વિનાશ પામે છે. મિષ્ટાન્ન, પાન, માંસ, મદિરા આદિ મધુર રસના વિષયમાં વૃદ્ધ થયેલો આત્મા ગલયંત્રમાં ફાંસથી વિંધાયેલા માછલાની પેઠે વિનાશને પામે છે. શયન, આસન, અંગમર્દન, રતિક્રીડા, સ્નાન અને અનુલેપનમાં આસક્ત થયેલો મૂઢાત્મા સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં મૂંઝાઈને ગજેંદ્રની પેઠે બંધન પામે છે. એવી રીતે જેમની શિષ્ટજનોને ઈષ્ટ એવી દૃષ્ટિ અને ચેષ્ટા પ્રણષ્ટ થઈ છે એવા ઇન્દ્રિયોને પરવશ પડેલા પ્રાણીઓના અનેક દોષો બહુ રીતે બાધાકારી થાય છે. એકેક-એકેક ઇન્દ્રિયની વિષયાસક્તિથી રાગદ્વેષાતુર થયેલા તે પ્રાણીઓ વિનાશને પામે છે, તો પછી પાંચે ઇન્દ્રિયોના વિષયોને પરવશ પડેલા માનવીનું તો કહેવું જ શું? તો ચાલો મિત્રો ! હવે એક નજર આ પાંચે ઇન્દ્રિયોના ભિન્ન ભિન્ન વિષયોના સ્થાપના યંત્ર વિષે જાણી લઈએ. ક્રમ નવ પ્રકારે વિષય સ્પર્શેન્દ્રિય રસનેન્દ્રિય ધ્રાણેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય શ્રોત્રેન્દ્રિય દીર્ધ પ્રમાણ... અંગુલનો અસંખ્યાતમો અંગુલનો અસંખ્યાતમો | અંગુલનો અસંખ્યાતમો | અંગુલનો અસંખ્યાતમો | અંગુલનો અસંખ્યાતમો ભાગ ભાગ ભાગ ભાગ વિસ્તાર પ્રમાણ સ્વદેહ પ્રમાણ આત્માગુલ પૃથકૃત્વ આત્માગુલનો આત્માગુલનો અસંખ્યાતમો ભાગ આત્માગુલનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાતમો ભાગ | ૩ | ઉત્કૃ. વિષય ગ્રહણાંતર | ૯ યોજન આત્માંગુલે | ૯ યોજન આત્માગુલે | ૯ યોજન આત્માંગુલે સાધિક ૧ લાખ યોજન | ૧૨ યોજને આમાંગુલે (આત્માંગુલે) જઘ. વિષય ગ્રહણાંતર અંગુલનો અંસ, ભાગ અંગુલનો અંસ, ભાગ | અંગુલનો અંસ, ભાગ | અંગુલનો અંસ, ભાગ અંગુલનો અંસ , ભાગ. પ્રાપ્યકારી કે અપ્રાપ્યકારી | પ્રાકારી પ્રાપ્યકારી પ્રાપ્યકારી અપ્રાકારી પ્રાપ્યકારી બદ્ધસ્કૃષ્ટ-સ્કૃષ્ટ કે બદ્ધસ્કૃષ્ટ બદ્ધસ્પષ્ટ બદ્ધસ્પષ્ટ અસ્કૃષ્ટ સ્પષ્ટ અસ્પૃષ્ટ.. પ્રમાણ અલ્પબદુત્વ | રસેન્દ્રિયથી અસં.ગુણ | ઘાણે.થી અસં. ગુણ કેટલા પ્રદેશવાળી છે? | રસેન્દ્રિયથી અસં. ગુણ | પ્રાણે થી અસં. ગુણ શ્રોત્રેથી સંવે.ગુણ | સર્વથી અભાવગાહના | ચક્ષુથી સંખ્યયગુણ | શ્રોત્રે.થી અસં. ગુણ.. | અનંત પ્રદેશી. ચક્ષુથી સંખ્યયગુણ દ્રવ્યન્દ્રિય કેટલી છે? ન ૨૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy