SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવું સર્વાંચનનો મહિમા છે સવાંચન અનેક પ્રકારનું હોય છે. એટલા માટે કયું વાંચન કોને હિતકર છે કે કોને અહિતકર છે? એનો નિર્ણય પોતાની જાતે નહિ કરતાં સદ્ગુરુ દ્વારા કરવો જોઈએ. “જેમ રોગી માણસ પોતાને કયું ઔષધ લાભ કરે તેવું છે, એનો નિર્ણય જાતે નથી કરતો પણ નિષ્ણાંત વૈદ્ય દ્વારા જ કરે છે. સીધો ફાર્મસીમાંથી ઊંચી જાતની દવાઓ લાવીને કાંઈ ખાવા માંડતો નથી. જગતમાં શરીરની વ્યાધિ મટાડવા માટે જાણકારની સલાહસુચના મુજબ જ ઔષધ અને પથ્યાપથ્યનો ખ્યાલ રાખવો આવશ્યક મનાય છે.... એ બાબતમાં કોઈ પણ સમજદાર માણસ પોતાની બુદ્ધિ ઉપર ચાલતો નથી પણ નિપુણ વૈદ્યની આધિનતા સ્વીકારે છે, એ જ પ્રમાણે કર્મરોગને નાબૂદ કરવા માટે પણ તેનો સમૂળ ઉચ્છેદ કરનાર મહાધનવંતરી વૈદ્ય સમાન સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા મુજબ શુદ્ધ સંયમને પાલનારા પરોપકાર પરાયણ આચાર્ય ભગવંતાદિની આધિનતાને સ્વીકારી તેમની સલાહ-સૂચન મુજબ જ સદ્વાંચન કરવું જોઈએ... એ જ સર્વાચનના હરોળમાં આવતો એક અદ્વિતીય કક્ષાનો અનમોલ ગ્રંથ.. એટલે “Jain Cosmology” (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) જેના ચિંતન-મનનથી સમસ્ત કર્મોનો ક્ષય કરી આપણો આત્મા પરમાનંદનો ભોક્તા બને.. એ જ અભ્યર્થના... સહ... - હું તો ૧૯૮ (૧૯ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy