________________
जं किंचि परमतत्तं परमप्पयकारणं च जं किंचि । तत्थ वि सो नवकारो झाइज्जइ परमजोगीहिं ॥ ११॥
જે કાંઈ પરમતત્ત્વ છે અને જે કાંઈ પરમપદનું કારણ છે તેમાં પણ આ નવકારને જ પરમયોગીઓ વિચારે છે. ૧૧ जो गुणइ लक्खमेगं पूओइ विहीइ जिणनमुक्कारो । तित्थयरनामगुत्तं सो बंधइ नत्थि संदेहो ॥१२॥
જે એક લાખ નવકારને ગણે અને શ્રી જિનેશ્વરદેવને વિધિપૂર્વક પૂજે તે શ્રી તીર્થંકરનામગોત્રને બાંધે તેમાં સંદેહ નથી. ૧૨ सविसयं विजयाणं पवराणं जत्थ सासओ कालो । तत्थ वि जिणनवकारो इय एस पढिज्जइ निच्चं ॥१३॥
પાંચ મહાવિદેહની પ્રવર ૧૬૦ વિજયો કે જ્યાં શાશ્વતકાળ છે, ત્યાં પણ આ શ્રી જિનનવકાર નિરન્તર ભણાય છે. ૧૩ एरावइहिं पंचहिं पंचहिं भरहेहिं सु च्चिय पढंति । जिणनवकारो एसो सासयसिवसुक्खदायारो ॥१४॥
પાંચ ઐરાવત અને પાંચ ભરતમાં પણ શાશ્વત સુખને દેનાર આજ નવકાર ગણાય છે. ૧૪ जेण मरतेण इमो नवकारो पाविओ कयत्थेण । सो देवलोइ गंतुं परपयंतं पि पावेइ ॥ १५ ॥
મરતી વખતે જે કૃતાર્થ પુરુષે આ નવકાર પ્રાપ્ત કર્યો તે દેવલોકને વિષે જાય છે અને પરમપદને પણ પામે છે. ૧૫ एसो अणाइकालो अणाइजीवो अणाइजिणधम्मो । तइया वि ते पढंता एसु च्चिय जिणनमुक्कारं ॥१६॥
આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જિનધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ નવકાર ભવ્ય જીવો ભણે છે. ૧૬ जे केइ गया मुक्खं गच्छंति य केऽवि कम्ममलमुक्का । ते सव्वे च्चिय जाणसु जिणनवकारप्पभावेणं ॥ १७॥
જે કોઈ મોક્ષે ગયા છે અને જે કોઈ કર્મમળથી રહિત બનીને મોક્ષે જાય છે, તે સર્વે પણ શ્રી જિન-નવકારના જ પ્રભાવે છે એમ જાણો. ૧૭ न हु तस्स किंचि पहवइ डाइणिवेयालरक्खमारिभयं । नवकारपभावेणं नासंति सयलदुरियाई ॥१८॥
નવકારના પ્રભાવથી ડાકિની, વેતાલ, રાક્ષસ અને મારિ વગેરેનો ભય કાંઈ કરી શકતો નથી તથા તેનાથી સકલપાપો નાશ પામે છે. ૧૮ वाहिजलजलणतक्करहरिकरिसंगामविसहरभयाइं । नासंति तक्खणेणं जिणनवकारप्पभावेणं ॥१९॥
શ્રી જિનનવકારના પ્રભાવથી વ્યાધિ, જલ, અગ્નિ, ચોર, સિંહ, હાથી, સંગ્રામ, સર્પ આદિના ભયો તત્પણ નાશ પામે છે. ૧૯ इय एसो नवकारो भणिओ सुरसिद्धखयरपमुहेहिं । जो पढइ भत्तिजुत्तो सो पावइ परमनिव्वाणं ॥२०॥
આ નવકારને સુર, સિદ્ધ, ખેચર વગેરે ભણે છે. તેને જે કોઈ ભક્તિયુક્ત બનીને ભણે છે તે પરમનિર્વાણને પામે છે. ૨૦ अडविगिरिरन्नमज्झे भयं पणासेइ सुमरिओ मंतो । रक्खइ भवियसयाई माया जह पुत्तभंडाइं ॥२१॥
અટવી, પર્વત કે અરણ્યની મધ્યમાં સ્મરણ કરાયેલો આ નવકાર ભયનો નાશ કરે છે અને માતા જેમ પુત્રદૌહિત્રોનું રક્ષણ કરે છે, તેમ સેંકડો ભવ્યોનું રક્ષણ કરે છે. ૨૧ નવકારસલપ્રકરણ
૪૪૧ ON
૪૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org