SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ जं किंचि परमतत्तं परमप्पयकारणं च जं किंचि । तत्थ वि सो नवकारो झाइज्जइ परमजोगीहिं ॥ ११॥ જે કાંઈ પરમતત્ત્વ છે અને જે કાંઈ પરમપદનું કારણ છે તેમાં પણ આ નવકારને જ પરમયોગીઓ વિચારે છે. ૧૧ जो गुणइ लक्खमेगं पूओइ विहीइ जिणनमुक्कारो । तित्थयरनामगुत्तं सो बंधइ नत्थि संदेहो ॥१२॥ જે એક લાખ નવકારને ગણે અને શ્રી જિનેશ્વરદેવને વિધિપૂર્વક પૂજે તે શ્રી તીર્થંકરનામગોત્રને બાંધે તેમાં સંદેહ નથી. ૧૨ सविसयं विजयाणं पवराणं जत्थ सासओ कालो । तत्थ वि जिणनवकारो इय एस पढिज्जइ निच्चं ॥१३॥ પાંચ મહાવિદેહની પ્રવર ૧૬૦ વિજયો કે જ્યાં શાશ્વતકાળ છે, ત્યાં પણ આ શ્રી જિનનવકાર નિરન્તર ભણાય છે. ૧૩ एरावइहिं पंचहिं पंचहिं भरहेहिं सु च्चिय पढंति । जिणनवकारो एसो सासयसिवसुक्खदायारो ॥१४॥ પાંચ ઐરાવત અને પાંચ ભરતમાં પણ શાશ્વત સુખને દેનાર આજ નવકાર ગણાય છે. ૧૪ जेण मरतेण इमो नवकारो पाविओ कयत्थेण । सो देवलोइ गंतुं परपयंतं पि पावेइ ॥ १५ ॥ મરતી વખતે જે કૃતાર્થ પુરુષે આ નવકાર પ્રાપ્ત કર્યો તે દેવલોકને વિષે જાય છે અને પરમપદને પણ પામે છે. ૧૫ एसो अणाइकालो अणाइजीवो अणाइजिणधम्मो । तइया वि ते पढंता एसु च्चिय जिणनमुक्कारं ॥१६॥ આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જિનધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ નવકાર ભવ્ય જીવો ભણે છે. ૧૬ जे केइ गया मुक्खं गच्छंति य केऽवि कम्ममलमुक्का । ते सव्वे च्चिय जाणसु जिणनवकारप्पभावेणं ॥ १७॥ જે કોઈ મોક્ષે ગયા છે અને જે કોઈ કર્મમળથી રહિત બનીને મોક્ષે જાય છે, તે સર્વે પણ શ્રી જિન-નવકારના જ પ્રભાવે છે એમ જાણો. ૧૭ न हु तस्स किंचि पहवइ डाइणिवेयालरक्खमारिभयं । नवकारपभावेणं नासंति सयलदुरियाई ॥१८॥ નવકારના પ્રભાવથી ડાકિની, વેતાલ, રાક્ષસ અને મારિ વગેરેનો ભય કાંઈ કરી શકતો નથી તથા તેનાથી સકલપાપો નાશ પામે છે. ૧૮ वाहिजलजलणतक्करहरिकरिसंगामविसहरभयाइं । नासंति तक्खणेणं जिणनवकारप्पभावेणं ॥१९॥ શ્રી જિનનવકારના પ્રભાવથી વ્યાધિ, જલ, અગ્નિ, ચોર, સિંહ, હાથી, સંગ્રામ, સર્પ આદિના ભયો તત્પણ નાશ પામે છે. ૧૯ इय एसो नवकारो भणिओ सुरसिद्धखयरपमुहेहिं । जो पढइ भत्तिजुत्तो सो पावइ परमनिव्वाणं ॥२०॥ આ નવકારને સુર, સિદ્ધ, ખેચર વગેરે ભણે છે. તેને જે કોઈ ભક્તિયુક્ત બનીને ભણે છે તે પરમનિર્વાણને પામે છે. ૨૦ अडविगिरिरन्नमज्झे भयं पणासेइ सुमरिओ मंतो । रक्खइ भवियसयाई माया जह पुत्तभंडाइं ॥२१॥ અટવી, પર્વત કે અરણ્યની મધ્યમાં સ્મરણ કરાયેલો આ નવકાર ભયનો નાશ કરે છે અને માતા જેમ પુત્રદૌહિત્રોનું રક્ષણ કરે છે, તેમ સેંકડો ભવ્યોનું રક્ષણ કરે છે. ૨૧ નવકારસલપ્રકરણ ૪૪૧ ON ૪૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy