________________
( ૧૬ )
જીવનને
આધ્યાત્મિક સંપૂર્ણતા પ્રાપ્ત કરવી એ માનવ ઉદ્દેશ છે. આત્માને ખંધનકારક સંચિત કર્મોનું નિવારણ કરી, સવરથી આધ્યાત્મિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી એ મનુષ્ય જીવનનું ધ્યેય છે. કર્મના સંવર અને વિનાશ નિમિત્તે, ખાદ્ય અને અભ્યંતર તપ અત્યંત આવશ્યક છે. શરીર, મન અને વાણીના સંયમ, ધર્મ ધ્યાન આદિ માહ્ય અને અભ્યંતર તપ ગણાય છે, તપથી સંસારને મેહ છૂટી જાય છે, ધાર્મિક તત્ત્વાનાં અનુ છાન માટે ઉત્કટ ઇચ્છા થાય છે, મહાપુરૂષના પરમ પવિત્ર એધ માટે પૂજ્ય બુદ્ધિ પરિણમે છે વિગેરે અનેક પ્રકારના લાભ થાય છે. તપ આદિથી કને ક્ષય થાય છે અને નવીન કોની પરિણતિ( આશ્રવ )ની સંભાવના નથી રહેતી. આશ્રવને પ્રતિરાધ થાય એ સ્થિતિમાં આત્માના નૈસર્ગિક ગુણ્ણાના અત્યંત વિકાસ થવા માંડે છે. પ્રાન્તે સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સભ્યચારિત્રરૂપ આત્માની ત્રણ મહાન્ કુદરતી શક્તિએ સંપૂર્ણ પણે ખીલી નીકળે છે. પરિણામે આત્માને મેક્ષ કે શાશ્વત સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે.
શરીર આહાર વિના ટકી શકતુ નથી. જીવનના નિભાવ માટે આહારની જરૂર છે. જેમ ઇન્જન એ અગ્નિને પાષણરૂપ છે તેમ આહાર એ જીવનને પાષણરૂપ છે. જે પ્રાણીને જીવનની લાલસા હેાય તે પ્રાણીએ આહાર અવશ્ય ગ્રહણ કરવા જોઇએ.
કોઇ પણ પ્રકારના આહારમાં પ્રાણીઓના વિનાશ અનિવાય છે એ આપણે જાણીએ છીએ. આપણા જીવનની પ્રત્યેક ક્ષણે, આપણાથી જાણ્યે અજાણ્યે હજારા જીવાની હિંસા થાય છે. ગમે તેટલી સાવચેતી લીધા છતાં, આ હિંસા કેાઈથી અટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org