SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) પ્રાકૃતિક સ્વરૂપમાં માત્ર જૈનધર્મ જ સદા વિદ્યમાન રહેલ છે એમ પણ નિર્દિષ્ટ થાય છે. તીર્થંકર ભગવતાએ જૈનધર્મ પેાતાના ધર્મહાવાથી નહીં પણ તે સત્ય ધર્મ હોવાથી, જૈનધર્મના ઉપદેશ આપ્યા હતા. જૈનધર્મ અહિંસાપ્રધાન, નૈસર્ગિક સત્ય ધર્મી હાવાથી જ, જિન ભગવતાએ પેાતાના જીવનકાળમાં એ ધર્મના એધ આપ્યા કર્યાં હતા. જૈન સાધુ તરીકે મને જૈનધર્મીમાં નિ:સીમ પ્રતીતિ છે. જૈનધર્મના સિદ્ધાન્તામાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આથી જ હું જૈનધર્મ અને તેની અહિંસા–પ્રધાનતા સંબંધી મારા વિચારો વ્યક્ત કરૂ છું. આ મારા વિચારી યુરોપીયન વિદ્વાનાને રૂચિકર થઈ પડે કે નહિ તેની મને ભાગ્યે જ દરકાર છે. આમ છતાં, જે યુરોપીયન વિદ્વાનેા પાત્ય ધર્મ, પાર્વાત્ય વિચારણા અને પાર્વાત્ય સાહિત્યનાં અધ્યયનમાં અત્યંત મગ્ન થયા છે તેમને મારા વિચારા કદાચ સૂચક થઇ પડશે એમ હું માનુ છું. મારે આ પત્ર પૂરા થાય ત્યારે, એક સત્યમિત્ર તરીકે, આપની પાસે હું કાઇ વસ્તુની યાચના કરીશ, આપની પાસેથી હું કાઇ વસ્તુ માગી લઇશ. મારા પત્ર હજી અપૂર્ણ છે. આ સ્થિતિમાં હું તમારી પાસેથી માત્ર એક જ વસ્તુ આગ્રહપૂર્વક માગી લઉં છું. આ વસ્તુ માત્ર એ જ કે, જૈનધર્મ વૈદિક ધર્મ થી પુરાતન ધર્મ છે એ સત્ય વસ્તુ પ્રત્યે તમારે ખાસ લક્ષ રાખવું. ભારતીય તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં તમે જે કઇ કાર્ય કરી શકયા છે તેવુ કદ કાર્ય જૈનધર્મની પ્રાચીનતાના પ્રશ્નને અંગે તમે કરી શકેા છે કે નહિ તે તમારે જોવાનું છે. જૈનધર્મના તાત્ત્વિક સિદ્ધાન્તા વિષયક તમારાં પ્રગટ અને અપ્રગટ સાહિત્ય ઉપરથી, એ સિદ્ધાન્તાની પ્રાચીનતાના સબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005231
Book TitleJain Dharm nu Utkrushta Swarup
Original Sutra AuthorN/A
AuthorYashovijay Jain Granthmala
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy