SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા કેવી રીતે વ ંદન કરું?' એ પ્રમાણે માનથી ઉન્નત ગ્રીવાવાળા થઈ કાર્યોત્સર્ગ ધારણ કરીને ત્યાંજ ઉભા રહ્યા. ભરતચક્રી તેમને વાંદી સામયશાને બાહુબલિનું રાજ્ય આપીને સ્વસ્થાને ગયા. બાહુબલિએ પણ એક વર્ષ પ′′ત શાંત, વાત, આતપ આદિ પરીસહેાને સહન કરતાં દાવાનલથી દાઝેલા ઝાડના ઠુંઠા જેવુ. પેાતાનુ શરીર કરી નાખ્યુ. તેનું શરીર વેલાએથી થી ટાઈ ગયુ, તેના પગમાં દની શૂળીએ ઉગી નીકળી. તેની આસપાસ રાડાએ થઈ ગયા, તેની દાઢી વિગેરેના કેશામાં પક્ષીઓએ માળા નાંખીને પ્રસવ કર્યાં. વર્ષને અંતે ભગવાન ઋષભદેવે બાહુબલિને પ્રતિબેાધ કરવાને માટે બ્રાહ્મી અને સુંદરી નામની તેની બે બહેનાને માકલી. ભગવાને તેમને હ્યું કે તમારે ત્યાં જઈને એ પ્રમાણે કહેવુ કે- બન્ધુ! હાથી ઉપરથી ઉતરી. તે બહેને બાહુબલી સમીપે જઈ તેને વાંઢી એ પ્રમાણે બોલી કે હે ભાઈ! હાથી ઉપરથી ઉતરા. ’ એ પ્રમાણેનાં પેાતાની બહેનેાનાં વચન સાંભળી તે મનમાં વિચાર કરવા લાગ્યા કે મે' સર્વ સગના ત્યાગ કર્યું છે તા મારે હાથી કયાંથી? મારી બહેને આ શુ કહે છે ? અરે ! મે જાણ્યુ'. હું' માન રૂપી હાથી ઉપર ચડયેા છું, તેથી તેમનુ કહેવુ સત્ય છે. અરે! દુષ્ટ ચિત્તને ધારણ કરનાર એવા મને ધિક્કાર છે ! મારા તે નાના ભાઈએ મારે વદ્ય છે. તેથી તેમને વાંદવાને હું જાઉ.” એ પ્રમાણે નિશ્ચય કરીને ચરણુ ઉપાડતાં જ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ. પછી પ્રભુ પાસે જઈ વાંઢીને કેવળજ્ઞાનીએની સભામાં બેઠા. માટે મદથી ધમ થતા નથી એ ચેાગ્ય હ્યુ' છે. મુમુક્ષુએ ધર્માંક માં વિનય જ કરવા, પણ માન રાખવું નહિ.” આ કથાના એ ઉપદેશ છે, Jain Education International ૭૯ ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy