SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ ઉપદેશમાળા મનને મારવાથી ઈન્દ્રિયે મરે છે, ઈન્દ્રિયોને મારવાથી કમ મરે છે અને કર્મને મારવાથી મનુષ્ય મોક્ષને પામે છે; માટે મનને મારવું એ જ શ્રેષ્ઠ છે.” વળી પ્રભુએ કહ્યું કે-“હે શ્રેણિક! જે અવસરે તે પ્રસન્નચંદ્રને વદ્યા હતા તે અવસરે તારા ચોપદાર દુર્મુખનાં વચન સાંભળીને તે ધ્યાનથી ચલિત થયા હતા, અને શત્રુઓની સાથે મનમાં યુદ્ધ કરતા હતા. તું તે એમ જાણતું હતું કે આ એક મેટા મુનીશ્વર છે, તે એકાગ્ર મનથી ધ્યાન કરે છે, પરંતુ તેણે તે અવસરે શત્રુઓ સાથે મનમાં મેટું યુદ્ધ આરંભેલું હતું; તે તે યુદ્ધથી તેણે સાતમી નરકે જવા ગ્ય આયુષ્યનાં પુદ્ગલ મેળવ્યાં હતાં. પણ તે પુગલે નિકાચિત બંધથી બાંધેલા નહોતાં. ત્યાર પછી તું તે તેમને બાંદીને અહીં આવ્યા અને તેણે તે મનમાં થતા યુદ્ધમાં વડે સર્વ શત્રુઓને હણ્યા અને શત્રે પણ સઘળાં ખપી ગયાં. એવામાં એક શત્રુને સન્મુખ ઉભેલ દીઠે પણ પિતાની પાસે એકે શસ્ત્ર રહ્યું નહતું તેથી રૌદ્ર ધ્યાનમાં મગ્ન થયેલા પ્રસન્નચંદ્ર વિચાર્યું કે-“આ મારા મસ્તક પર બાંધેલા લોઢાના પાટાથી આ શત્રુને મારૂં” એવી બુદ્ધિથી તેણે સાક્ષાત્ પોતાને હાથ માથા ઉપર મૂક્યા કે તરત જ પોતાનું મસ્તક નવીન લેચ કરેલું માથું જોઈને તે રૌદ્રધ્યાનથી પાછા વળ્યા અને વિચારવા લાગ્યા કે-અહે! મને ધિક્કાર છે! અજ્ઞાનથી જેની મતિ અંધ થઈ ગયેલી છે એવા મેં હૈદ્રધ્યાનમાં મગ્ન થઈને આ શું ચિતવું? જેણે સર્વ સાવદ્ય સંગને ત્યાગ કર્યો છે, વેગને ગ્રહણ કરેલ છે અને ભેગને વમી નાંખ્યા છે એવા મને આ યુદ્ધ ઘટતું નથી. કોને પુત્ર! કેની પ્રજા ! કનું અંતઃપુર! અરે દુરાત્માનું જીવતે આ શે વિચાર કર્યો ! આ સર્વ અનિત્ય છે.” કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy