________________
પ. પૂ. આચાર્ય શ્રી ભદ્રબાહુસાગરજીના જીવન પરિચય
ગુજરાતના ચરોતરની ભૂમિ પર આણંદ પાસે ખેડવા નામનુ રમણીય અને નાચ્છુક ગામડું છે. આ ગામમાં ભીખાભાઈ ગુલામચદ તથા તેમના ધર્મપત્ની જાસુએન ધર્મ સસ્કારી હતા. તેમને છ પુત્ર અને બે પુત્રીઓ. શ્રી ભગુભાઈ-આપણાં, ચરિત્ર નાયક સૂરિજી ભદ્રબાહુસાગરજીના જન્મ સં-૧૯૭૪ ના કા. સુ. ૫ નારાજ થયેલ. તેમણે અભ્યાસ મેટ્રિક સુધી કર્યો અને ધાર્મિક અભ્યાસ મહેસાણામાં કર્યાં. તેમણે જીવ-વિચાર, નવતત્ત્વ વગેરેના અભ્યાસ કર્યાં, તેમજ ઉપધાન તપ કર્યાં. ત્યારબાદ દીક્ષા લેવાના નિય કર્યાં. પરંતુ માતા-પિતાએ રજા ન આપી, તેથી શ્રી ભગુભાઈ પૂ. બુદ્ધિવિજયજી મહારાજ સાહેબ પાસે ઊંઝ પહોંચ્યા, અને દીક્ષા આપવા વિન'તી કરી. શ્રી ઊંઝા સથે માત-પિતાની અનુમતિ મગાવી પણ તે ન મળી. વળી ભગુભાઈ ને તેએ ઘેર લઈ ગયા, પણ ભગુભાઈ એ તે ચતુત લીધુ હતું. ધંધા-વેપારનો ત્યાગ કરી જીવન વીતાવવાના નિષ્ણુય કરેલ-અને તેનુ પચ્ચખાણ પણ લીધું. આ કસાટી ત્રણ વર્ષાં ચાલી. પ. પૂ. શાંતમૂર્તિ કૈલાસસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ સ. ૨૦૦૧ માં વીજાપુર બીરાજતા હતા ત્યારે શ્રી ભગુભાઈ ત્યાં પહોંચી ગયા અને દીક્ષા માટે વિનંતી કરી. ત્યાંથી મહુડી જઈ દીક્ષા ગ્રહણ કરી. તેમના વડીલ બધુ દેાડતા આવ્યા પણ આપણા ચરિત્ર નાયકે કહી દીધુ` કે સાધુવેષ લીધે છે તે હવે છેડીશ નહિ. તમે રાજી ખુશીથી રજા ન આપી તેથી આ પ્રમાણે કરવુ પડયુ છે. તેમની વડી દીક્ષા ૨૦૦૧ ના અષાઢ સુદ ૬ના થઈ, ત્યારે કુટુંબ હાજરી આપી. શ્રી ભદ્રબાહુસાગરજીએ કલ્પસૂત્રનું વાંચન કર્યું.. આજે ૪૦ વર્ષના દીક્ષા પર્યાય થયેા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org