SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ ઉપદેશમાળા ત્યાગ કરીને સુશ્રાવકપણું અંગીકાર કરવું તે અતિ શ્રેષ્ઠ છે; અર્થાત્ તું અતિ શ્રેષ્ઠ એવા સુશ્રાવકપણાને અંગીકાર.” ૫૦૧. અરિહંતચેઈઆણું, સુસાહ પૂયારઓ દઢાયારો સુસાવગ વરતરં, ન સાહુલેણુ ચુઅઘો છે પ૦૨ અર્થ–“વળી હે ભવ્ય પ્રાણી ! જો તું સાધુપણું ધારણ કરવા અસમર્થ હે, તે અરિહંતના ચૈત્ય (બિંબ)ની પૂજામાં તત્પર અને સુસાધુ એટલે ઉત્તમ સાધુઓની સત્કાર સન્માનાદિરૂપ પુજામાં આસક્ત અને દઢાચારવાળે ( અણુવ્રત પાળવામાં કુશળ) એ સુશ્રાવક થા તે ઘણું શ્રેષ્ઠ છે, એટલે તેવું શ્રાવકપણું ધારણ કરવું તે બહુ સારું છે. પરંતુ સાધુવેષે કરીને–સાધુશેષ ધારણ કરીને ધર્મથી યુત–ભ્રષ્ટ થવું એ શ્રેષ્ઠ નથી. કેમકે આચારભ્રષ્ટ થઈને માત્ર વેષ ધારણ કરવાથી કોઈ પણ ફળ નથી.” ૫૦૨. સવં તિ ભાણિઊણું, વિરઈ ખલુ જસ સલ્વિયા નથિ ! સે સવપિરવાઈ ચુક્કઈ સં ચ સવં ચ છે પ૦૩ અર્થ–“સર્વ એટલે “સવ્વ સાવજ જેગ પચ્ચક્કામ” હુ સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન (નિષેધ) કરું છું એમ પ્રતિજ્ઞા કરવાવડે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરીને પણ જેને નિશ્ચ સર્વ (સંપૂર્ણ) ષકાયના પાલન રૂપ વિરતિ નથી તે સર્વ વિરતિને કહેનારે (હું સર્વવિરતિ છું એમ પ્રલાપ કરનારો) દેશવિરતિને (શ્રાવક ધર્મને) અને સર્વવિરતિને (સાધુધર્મને) બંનેને ચૂકે છે હારે છે, અર્થાત્ બનેથી ભ્રષ્ટ થાય છે.” ૫૦૩. જે જહવાય ન કુણઈ, મિચ્છદિઠી તઓ હુ કો અને ! વુઇઅ મિચ્છત્ત, પમ્સ સંકે જણેમાણો છે પ૦૪ છે અર્થ–“જે પુરુષ યથાવાદ એટલે જેવું વચન બોલે તેવું ગાથા ૫૨–એઈઆણું પુઆરઓ સુસ્સાવ ઠુતધર્મ ! ગાથા ૫૦૩-ભાણિઉણું વિરઈ સવિયા=સબિકા-સર્વા વિરઇવાહી ગાથા પ૦૪–વઈ મિચ્છા જણે માણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy