SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા આ ત્રિભુવનને વિષે એના જેવી બીજી કાઈ સ્ત્રી નથી. તેના અંગના લાવણ્યનું શું વર્ણન કરુ...! તે મરી ગયે સતે તને પરણીને જે વિષયસુખના આનંદ લઉ' છું તે આનંદ, દુકાળમાં ગેાધમ, તંદુલ આદિ ધાન્ય નહિ મળવાથી હલકાં કાંગ, કૈાદરા, શામેા વિગેરે તૃણધાન્ય ખાઈ ને જે આનંદ મળે તેના જેવા છે. કહ્યું છે કે " ‘ હેળવીયેા હીરે, રૂડે રચણાયરતણે; ફૂટરે ફટિક તણે, મણિએ મન માને નહિ. “ રત્નાકરના રૂડા હીરાથી હળેલા માણસનું મન ફુટડાં કે ઉજળાં એવા ફૅટકના મણિથી માને નહિ. ” _* આ પ્રમાણેનાં કુમારનાં વચન સાંભળીને રત્નવતી રાષથી એલી કે– મે' કેવુ કર્યુ? તે દુષ્ટ સ્ત્રીને કેવી શિક્ષા આપી ? અહીંથી ગધમૂષિકાને માકલી, તે સ મે' જ કર્યું* હતું. જેવી તે તમારી ઇષ્ટ હતી, તેવું મેં કર્યું; તે હવે તમે શુ' સેવકની પેઠે તેના ગુણા વારવાર ગાયા કરેા છે ?’ એ પ્રમાણે સાંભળીને કુમાર કમલવતીને તદ્ન નિષ્કલંક માની, ક્રોધથી લાલચેાળ થઈ, રત્નવતીને હસ્તથી પકડી. લાત મારી, તિરસ્કાર કરીને ઓલ્યા કે - હૈ મલિન કર્મ કરવાવાળી! તને ધિક્કાર છે! તેં આજ્ઞા આપીને કુકમ કરાવ્યું, પણ તેથી તેં તારા પેાતાના જીવને જ દુ:ખસમુદ્રમાં નાંખ્યા છે. તારા જેવી સ્ત્રીના કરતાં કુતરી પશુ વધારે સારી છે, કે જે ભસતી હોય પણ અન્ન આપવાથી વશ થાય છે તે ભસતી નથી. પરંતુ વહુમાનિતા એવી પણ માનિની ( સ્ત્રી ) કર્દિ પણુ પાતાની થતી નથી. ?” એ પ્રમાણે કહીને પછી વિચારવા લાગ્યા કે− અરે! વૃથા કલ`કચિંતામાં પડેલી મારી પ્રિયા કમલવતી જરૂર મૃત્યુવશ થઈ હશે, તા હવે મારા જીવનથી સચું...!' એ પ્રમાણે વિચાર કરી તેણે પેાતાના સેવકાને આજ્ઞા કરી કે–તમે મારા આવાસની પાસે એક માટી ચિતા રચા, કે જેથી કમલવતીના વિરહથી દુ:ખી થયેલા હું તેમાં પડીને મરણ પામું.' એ પ્રમાણે કહી પરાણે ચિંતા કરાવી, અને સવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy