SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશામાળા છે.” ૧૭૧. અર્થાત્ જે યૌવનાવસ્થામાં વિષયાસક્ત હોય છતાં અંતકાળમાં પણ ધર્મ કરે છે તે આત્માનું હિત સાધી શકે છે. અહીં ઉપરની કથામાં કહેતાં અવિશિષ્ટ રહેલ અર્ણિકાપુત્રને પ્રથમ સંબંધ જાણું લે. પ૪. અણિકાપુત્ર સંબંધ ઉત્તરમથુરા નગરીમાં કઈ વ્યાપારીના કામદેવ અને દેવદત્ત નામના બે પુત્ર રહેતા હતા, તે બંનેને પરસ્પર અતિ ગાઢ મિત્રતા હતી. તેઓ એકતા પિતાના માતા-પિતાની આજ્ઞા લઈને વ્યાપારાર્થે દક્ષિણમથુરાએ ગયા. ત્યાં તેમને જયસિંહ નામના એક વણિકપુત્ર સાથે મૈત્રી થઈ. જયસિંહને અર્ણિક નામે બેન હતી. તે ઘણું રૂપવતી હતી. એક દિવસ જયસિંહે પોતાની બેન અણિકાને કહ્યું કે “આજ સરસ રસોઈ બનાવ, કારણ કે મારા બે મિત્ર કામદેવ ને દેવદત્ત આપણે ત્યાં ભજન કરવાના છે. તેથી અર્ણિકાએ ઉત્તમ રસેઈ બનાવી. પછી ભેજન સમયે ત્રણે મિત્રો એક પાત્રમાં ભેળા જમવા બેઠા. અર્ણિકોએ ભેજન પીરસ્યું. પછી તે અર્ણિકા તેમની પાસે ઉભી રહીને પોતાના વસ્ત્રના છેડાથી વાયુ નાખવા લાગી. તે વખતે તેના હાથના કંકણને રણકાર, તેનાં સ્તન, ઉદર ને કટિપ્રદેશ તથા નેત્ર ને વદનનો વિલાસ જોઈને દેવદત્ત અત્યંત કામાતુર થયે. તેમજ ઘીના પાત્રની અંદર પ્રતિબિંબિત થયેલું તેનું રૂપ જોઈને તે અતિ કામરાગથી પરવશ બની ગયે. તેને ભોજન વિષરૂપ થયું, તેથી તેણે કંઈ પણ ખાધું નહિ અને જલદી ઉઠી ગયે. બીજે દિવસે તેણે પિતાને અભિપ્રાય કામદેવની મારફત જયસિંહને જણાવ્યું. ત્યારે જયસિંહે કહ્યું કે “હે મિત્ર! મારી આ બેન મને અતિપ્રિય છે અને તમે તો પરદેશી છે, તેથી તેને વિયેગ મારાથી કેવી રીતે સહન થઈ શકે? માટે જે કંઈ આ અર્ણિકાનું પાણિગ્રહણ કરીને મારા ઘરમાં જ વાસ કરશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy