SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૧૫૫ “ દ્રવ્યમાં, જીવિતત્ર્યમાં, ભાગમાં અને આહારકમ માં અતૃપ્ત રહ્યા સતાજ સવે પ્રાણીએ ગયેલા છે, જશે અને જાય છે.'' વળી કહ્યું છે કે. - ભાગા ન ભુક્તા વયમેવભુક્તા-સ્તાન તખ્ત વયમેવ તપ્તાઃ। કાલેા ન યાતા વયમેવ યાતા—તૃષ્ણા ન જીર્ણો વયમેવ જીર્ણો ભાગે ભાગવાચા નથી પણ અમે જ ભાગવાયા છીએ, તપ તપ્યુ નથી, પણ અમે જ તખ્યા છીએ, કાળ ગયા નથી પણુ અમે જ ગયા છીએ, અને અમારી તૃષ્ણા જીણુ થઈ નથી પણ અમે પાતે જ જીણ થયા છીએ.” માટે સાંસારિક સુખા સુ ભ છે, પરંતુ આ આધિરત્ન પરમ દુર્લભ છે. કહ્યું છે કે— સુલહે। વિમાણુવાસે, એગચ્છત્તાવિ મેણી સુલહા । દૃલ્લહા પુણ જીવાણું, જિષ્ણુ દવરસાસણે બેહિ ।। “ વિમાનવાસી એટલે દેવતા થવું તે સુલભ છે અને એકછત્ર પૃથ્વી પણ સુલભ છે. અર્થાત્ ચક્રવતી' થવુ તે સુલભ છે, પરંતુ જિનેન્દ્રના શ્રેષ્ઠ શાસનમાં એધિબીજ પામવુ' તે જીવાને પરમ દુ ́ભ છે.” આ પ્રમાણે વિચાર કરીને તે બાળક પેાતાની માતાને ઉદ્વેગ પમાડવા માટે ગાઢ સ્વરથી રૂત્તન કરવા લાગ્યા. માતાએ ઘણા ઉપાયેા કર્યાં, પરંતુ તે જરા પણ રાતા બંધ થતા નથી. જો કે માતાનું મન તેના પર સ્નેહયુક્ત હતું તાપણુ આથી વિરક્ત થઈ ગયું. ખાળક પણ જેમ જેમ માતાનું મન વિરક્ત થતુ જાણવા લાગ્યા તેમ તેમ તે બમણું રૂદન કરવા લાગ્યા. એ પ્રમાણે છ માસ વ્યતીત થયા. એ સમયે શ્રી સિ‘હગિરિ ’ સૂરિ ત્યાં પધાર્યાં. નગરના લેાકેા તેમને વંદન કરવાને ગયા. ગુરુએ દેશના દીધી. દેશનાને અંતે સભા વીખરાઈ જતાં ધનગિરિએ 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy