SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૧૨૫ ભરક્ષેત્રમાં “લક્ષમીપુર” નગરમાં “નયસાર” નામને રાજા રાજ્ય કરતું હતું. તે રાજા ગીત, કથા, નાટક, પ્રહેલીકા, અંત લંપિકા વિગેરે માં ઘણો જ નિપુણ હતું, અને નવીન કથા સાંભળવામાં ઘણો રસિક હતા. તે દરરોજ માણસ પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળતા હતા. એક દિવસ તે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે “સર્વ લોકોએ વારા પ્રમાણે રાજા પાસે આવીને નવીન નવીન વાર્તા કહેવી.” એ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી જે માણસને વારો આવે છે તે રાજા પાસે જઈ વાર્તા કહે છે. એમ કરતાં એક દિવસ એક બ્રાહ્મણને વારે આવ્યા. તે બ્રાહ્મણ અતિ મૂખ હોવાથી તેને વાર્તા કહેતાં આવડતી નહોતી તેને એક કન્યા હતી, તે ઘણી ચતુર હતી. તેણે પોતાના પિતાને કહાં કે- “આપ નિશ્ચિત રહે, હું રાજા પાસે જઈને નવી વાર્તા કહીશ.” પછી તે રાજા સમીપે ગઈ રાજાએ તે બાળાને કહ્યું કે જે વાર્તાથી મારું મન રંજન થાય એવી વાર્તા કહે.” બ્રાહ્મણપુત્રીએ કહ્યું કે “હે રાજન ! હું મારી અનુભવેલી જ વાર્તા કહું છું તે સાવધાન થઈને સાંભળી હું પિતાના ઘરમાં નવયૌવનવતી થઈ, ત્યારે મારા પિતાએ યોગ્યકુલમાં ઉત્પન્ન થયેલા એક બ્રાહ્મણપુત્ર સાથે મારે વિવાહ કર્યો. જેની સાથે મારે વિવાહ કર્યો તે ભર્તા મારું રૂપ જેવાને માટે મારે ઘેર આવ્યા તે વખતે મારાં માતાપિતા ક્ષેત્રમાં ગયાં હતાં. હું ઘરે એકલી હતી. મેં સારી રીતે સ્નાન ભોજન આદિથી તેને અતિ સંતુષ્ટ કર્યો. પરંતુ મારું અદભુત રૂપ જોઈ તે કામવરથી અતિ પીડિત થયે. તે પલંગ ઉપર બેઠે સતે પિતાનું અંગ મરડે છે, પ્રીતિવાળાં વચનો બોલે છે, અને વારેવારે મારા તરફ દષ્ટિ કરે છે. મેં તેને અભિપ્રાય જાયે એટલે મેં તેને કહ્યું કે-“હે સ્વામી! ઉતાવળ ન કરો, પાણિગ્રહણ વિના વિષયાદિ કૃત્ય થતું નથી. ઘણે ભૂખે માણસ શું છે હાથે ખાવા લાગે છે માટે હમણું વિષયસેવન ચેગ્ય નથી.” એવું મારું વાક્ય સાંભળીને ઘણું જ કામાતુર થયેલા મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy