________________
શોભામાં વધારો કરતા હતા. તે સાથે ત્યાં આવેલાં ચૈત્યોની શોભા તો અવર્ણનીય હતી. સુવર્ણકમળો પર તો સૂર્યનાં કિરણો પડતાં જેવી શોભા ધારણ કરે એવી શોભા આ ચૈત્યોની જોવા મળતી હતી. આવી નગરીમાં સંવર નામનો રાજા હતો. આ રાજા પ્રજાનો સાચો રક્ષક અને ધર્મનો પણ રક્ષક હતો. તેના રાજ્યમાં પ્રજા સુખનો અનુભવ કરતી હતી. રાજકારભારની સાથે તેણે ધર્મનાં કાર્યો પણ એટલા જ રસપૂર્વક કરવામાં આનંદ અનુભવ્યો હતો.
સંવર રાજાને સિદ્ધાર્થી નામની રાણી હતી. પુણ્યાનુબંધી પુણ્યના પરિણામે રાણી પણ ગુણવાન અને પ્રેમાળ હતી. સુંદર રૂપ-લાવણ્ય અને સપ્રમાણ દેહાકૃતિ ધરાવતી રાણી સિદ્ધાર્થી સંવર રાજાની સાથે યોગ્ય પતિવ્રતા ધર્મનું પાલન કરતી હતી.
આ સિદ્ધાર્થા રાણીની કુક્ષીમાં મહાબલ રાજાના જીવે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને પુત્ર તરીકે ચ્યવન કર્યું. વૈશાખ સુદ ચોથના દિવસે જ્યારે જીવ ચ્યવીને આવ્યો ત્યારે ત્રણે જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. નારકીના જીવોએ ક્ષણિક સુખનો અનુભવ કર્યો.
એક વખત માતા સિદ્ધાર્થીને રાત્રીના છેલ્લા પ્રહરમાં હાથી, વૃષભ, કેસરી સિંહ, શ્રીદેવી, પુષ્પની માળ, પરિપૂર્ણ ચંદ્ર, સૂર્ય, પૂર્ણ કુંભ, કમળોથી છવાયેલું સરોવર, ઉછળતા તરંગોવાળો સમુદ્ર, મનોહર દેવવિમાન, રત્નનો ઢગલો અને નિર્ધમ અગ્નિ જેવા ચૌદ મહાસ્વપ્નો જોયાં. સવારે ઊઠીને જ્યારે સિદ્ધાર્થ રાણીએ પોતાને આવેલાં ચૌદ સ્વપ્નોની વાત રાજાને કહી ત્યારે રાજાએ કોઈ મહાન પુત્રના આગમનનો સંકેત કર્યો. સુપન પાઠકોને બોલાવવામાં આવ્યા. તેમણે જણાવ્યું, “તમારો પુત્ર ચોથા તીર્થંકર પરમાત્મા થશે.”
આ વાત સાંભળી માતા - પિતાના આનંદનો પાર ન રહ્યો. સમયાંતરે મહા સુદ બીજને દિવસે ચંદ્ર જ્યારે અભિચિ નક્ષત્રમાં હતો ત્યારે સિદ્ધાર્થ રાણીએ સુવર્ણના વર્ણવાળાં અને વાનરના લાંછનવાળાં પુત્રને જન્મ આપ્યો. પ્રભુના જન્મ પહેલાં સમગ્ર નગરીમાં હર્ષ અને આનંદ છવાયો હતો તેથી તેમના પિતાએ તેમનું નામ અભિનંદન રાખ્યું.
પુત્રનાં લક્ષણ પારણામાંથી એ કહેવત અનુસાર, તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે ઈન્દ્રનું આસન કંપાયમાન થઈ, અન્ય દેવો અને ઈન્દ્રો સાથે શકેન્દ્ર પણ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. નક્કી થયેલી ક્લિાઓ અનુસાર પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. બાળવયથી વૃદ્ધિ પામતા અભિનંદનકુમાર સાડા ત્રણસો ધનુષ્યની કાયા ધરાવતા અત્યંત તેજસ્વી લાગતા હતા.
યુવાન વયે પહોંચતા પિતાએ અભિનંદન કુમારના લગ્ન અનેક રાજકન્યાઓ સાથે કરાવ્યા. તેમની સાથે સાડાબાર લાખ પૂર્વ વર્ષ પસાર થયા પછી, તમામ સુખ - સાહ્યબી અને સમૃદ્ધિ તેમજ કૌટુંબિક પ્રેમના સબંધોને છોડી સંયમ માર્ગે જવાની ઈચ્છા તેમને જન્મી. આ જ વખતે લોકાંતિક દેવતાઓએ આવીને પ્રભુને આજ્ઞા કરી કે આપ તીર્થ પ્રવર્તાવો. આ સાંભળી પ્રભુએ વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. ઈન્દ્રની આજ્ઞા અનુસાર જુદી જુદી જગ્યાએથી દેવતાઓ અનેક પ્રકારના ધન-સંપતિ લાવવા લાગ્યા. આ રીતે પ્રભુએ એક વર્ષ સુધી દાન આપ્યું. એ પછી ચોસઠ ઈન્દ્રોએ પ્રભુનો દીક્ષાભિષેક કર્યો. પ્રભુને વસ્ત્રાલંકારથી વિભૂષિત કરી અર્થસિદ્ધ નામની શિબિકા પર બેસાડયા. ત્યાંથી તેઓ સહસ્ત્રાગ્ર વનમાં ગયા. ત્યાં પોતાના આભુષણો ઊતાર્યા એટલે ઈન્દ્ર દેવદુષ્ય વસ્ત્ર પ્રભુના ખભા ઉપર ધારણ કર્યું. એ વખતે પ્રભુને છઠ્ઠલપ હતું. આ સમયે પ્રભુએ પંચમુષ્ઠિ લોચ કર્યો. ઈન્દ્ર પ્રભુના કેશને વસ્ત્રોમાં ગ્રહણ કરી ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. ઈન્દ્રો, દેવતાઓ, | દેવીઓ, મનુષ્યો આદિ સૌએ હર્ષનાદ સાથે પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો.
LTLTLTLT
(૫૪) પuuuuu
LILIITI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org