SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છે પૃથ્વી પર વિચારવા લાગ્યા. અંતે પરમ ઉપકારી પરમાત્માનું સ્મરણ કરતા તેઓએ અનશન ગ્રહણ કર્યું અને તે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આ રીતે જીવાનંદે આ ભવમાં ઉત્તમ કર્મોનો સંચાર કરી પુણ્યકર્મ ઉપાર્જિત કર્યું. | ભવ દસમો પૂર્વભવના પુણ્યકર્મ આત્મા સદ્ગતિને પામી ઉત્તમકુળમાં જન્મ ધારણ કરે છે. એ રીતે જીવાનંદ અને તેના મિત્રો પછીના ભવે અશ્રુત દેવલોકમાં ઈંદ્રસમાન દેવ તરીકે અવતર્યા. દેવલોકમાં સ્વર્ગીય સુખનો આનંદ માણતા જીવાનંદ સહિત છએ મિત્રો સુખપૂર્વક જીવન પસાર કરી રહ્યાં હતા. પૂર્વકર્મના પુણ્યોદયે દેવલોકની રિદ્ધિ-સિદ્ધિને ભોગવી, જીવાનંદ અને તેના મિત્રોએ આ રીતે અશ્રુત દેવલોકનું બાવીસ સાગરોપમનું દેવ તરીકે આયુષ્ય પૂર્ણ કર્યું. આ રીતે ધન સાર્થવાહના જીવે જીવાનંદના ભવ પછી દસમાં ભવે દેવલોકનું આયુષ્ય ભોગવ્યું. Dભવ અગિયારમો જંબૂઢીપના મહાવિદેહક્ષેત્રના પૂર્વ સમુદ્રની નજીક પુષ્કલાવતી નામનો વિજય આવેલો છે. તેમાં પુંડરીકિણી નામની નગરી હતી. આ નગરીમાં લક્ષ્મીપતિઓનો પાર ન હતો, તેથી રિદ્ધિ - સિદ્ધિમાં તે નગરી ખૂબ જ આગળ હતી. આ નગરીમાં વજસેન નામના મહાન શક્તિશાળી રાજા હતો. તેમની ધારિણી નામની પટ્ટરાણી હતી. જીવાનંદનો જીવ તેમની કુક્ષીમાં પુત્ર રૂપે અવતર્યો. પુત્રનું નામ વજનાભ રાખવામાં આવ્યું. જીવાનંદની સાથેના અન્ય ચાર મિત્રો પણ ધારિણી રાણીની કુક્ષીએ પુત્ર તરીકે અવતર્યા. તેઓના નામ અનુક્રમે બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ રાખવામાં આવ્યા. પૂર્વભવનો સ્નેહ આ ભવમાં બંધુપણાને પામ્યો. • છઠ્ઠા મિત્ર કેશવનો જીવ સુયશા નામે રાજપુત્ર થયા. નાનપણથી જ સુયશા વજનાભનો મિત્ર બની ગયો. આ રીતે વક્સેન રાજાના પાંચ પુત્રો અને સુયશા સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. મણિનું દર્પણ જે રીતે પદાર્થોના પ્રતિબિંબને સુસ્પષ્ટ રીતે ઝીલે છે એ રીતે નિર્મળ હૃદયવાળા વજનાભ અને સાથી મિત્રો પરસ્પર પ્રેમના બંધનથી અને ગુણના પ્રતાપે એકબીજામાં સ્નેહ અને લાગણીનાં પ્રતિબિંબ ઝીલવા લાગ્યા. સમગ્ર નગરમાં પણ આ મિત્રો શોભાસ્પદ બની સૌના આદરપાત્ર બન્યા. એક વખત લોકાંતિક દેવોએ આવીને વસેન રાજાને વિનંતી કરી, “હે સ્વામિનુ! આપ તીર્થ પ્રવર્તાવો.” એટલે વસેને વજનાભ કુંવરને ગાદીએ પ્રસ્થાપિત કરી સાંવત્સરિક દાન આપવાની શરૂઆત કરી. ચિંતામણી રત્ન કે કલ્પવૃક્ષ કરતાં પણ આ દાનનો મહિમા અનેકગણો હતો. દેવેન્દ્ર, દાનવેન્દ્ર અને અનેક રાજા - મહારાજાઓએ વસેન રાજાનો દીક્ષા મહોત્સવ કર્યો. તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. પૃથ્વી પરના અજ્ઞાનનાં અંધારાને દૂર કરવા તેઓ પૃથ્વી પર વિહરવા લાગ્યા. II in ninni Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy