________________
થયા. ગામલોકો પાસેથી આખી હકીકત જાણી એટલે તેઓએ ગામલોકોને પ્રભુ મહાવીરની ઓળખ કરાવી. આ રીતે મહાન ઉપસર્ગમાંથી પ્રભુ મુકત બન્યા.
શ્રી મહાવીર પરમાત્મા જેવા મહાપુરુષો દુર્જન સામે પણ ક્રોધ કરતા નથી.
કેટલોક સમય પસાર કર્યા પછી પ્રભુ પૃચંપા નામની નગરીમાં પધાર્યા. ત્યાં ચાર માસનું તપ કરી ગામની બહાર પારણું કર્યું. ત્યાંથી કૃતાંગલ (કૃતમંગળ) પ્રદેશમાં આવ્યા. ત્યાં દેવળમાં એકાંત જગ્યાએ કાયોત્સર્ગ રહ્યા. આજુ બાજુ પાંખડીઓનો મેળો ભરાયો હતો. આ જોઈગોશાળાએ તેમને ઠપકો આપી, સાચો ધર્મ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેઓને ગોશાળાની વાત ન ગમી એટલે તેને બહાર કાઢી મૂક્યો. છતાં દયાલાવીને તેઓએ ગોશાળાને પાછો આવવા દીધો.
સવાર થતાં પ્રભુકાયોત્સર્ગ પૂર્ણ કરી શ્રાવસ્તિનગરીની બહાર ફરીથી કાયોત્સર્ગની પ્રતિમાએ રહ્યા. ભિક્ષાનો સમયથતા ગોશાળાએ પ્રભુને વિનંતી કરી ત્યારે સિદ્ધાર્થે કહ્યું, “અમારે ઉપવાસ છે.”ગોશાળાએ પૂછયું, “આજે મને આહારમાં શું મળશે?' આ સાંભળી સિદ્ધાર્થે કહ્યું, “આજે તું મનુષ્યનું માંસ ખાઇશ.'' આ વાત સાંભળતા જ ગોશાળો જ્યાં માનવમાંસની શક્યતા ન હોય. તે નગરમાં પિતૃદત્ત ગૃહસ્થની ભદ્રા નામની પત્નિએ એક મૃત બાળકને જન્મ આપ્યો. શિવદત્ત નામના નિમિત્તિઓએ કહ્યું “જો તું તરતના જન્મેલા મૃત બાળકને પીસીને તેમાં દૂધનાખી મધ તથા ઘી મેળવીખીર બનાવી કોઇ તપસ્વીને આપીશ તો તારા સંતાન જીવશે.” તેના ગયા પછી તારે તારા ઘરનું બારણું ફેરવી નાખવું, જેથી તેમના ગુસ્સાનો ભોગ ન બનવું પડે.”
આ મુજબ તૈયારી કરી પિતૃદત્ત ભિક્ષુકની રાહ જોવા લાગ્યો. આ સમયે જ ગોશાળો તેમના ઘેર ભિક્ષા લેવા ગયો. તે તો ખીર જોઈને ખુશ થઇ ગયો. ગોશાળે પેટ ભરીને ભોજન લીધું. તે ખુશ થતો થતો પ્રભુ પાસે ગયો અને કહ્યું, “આજ તો ખીરનું ભોજન કરીને આવ્યો છું.” સિદ્ધાર્થે કહ્યું, “અમારુ વચન ખોટું ન પડે. વમન કરવાથી તને સાચો ખ્યાલ આવશે.''ગોશાળો આ વાતની ખાતરી કરવા માગતો હતો, એટલે તેણે મોઢામાં આંગળા નાખી વમન કર્યું. તેમાં માંસ, નખ વગેરે ઝીણાં અવયવો જોવા મળ્યાં. આ જોઈને ગોશાળો ખૂબજ ગુસ્સે થયો. તે દોડ્યો પેલા પિતૃદત્ત ગૃહસ્થનાં ઘેર ઘરનું બારણું પહેલા જે દિશામાં હતું ત્યાંથી બદલાયેલું હતું એટલે ગોશાળાને ઘર જડ્યું નહીં. અંતે ગુસ્સે થઇને બોલ્યો, “જો મારા ધર્માચાર્યનું તપતેજહોયતોઆ પ્રદેશબળી જાઓ.''સાન્નિધ્યમાં રહેલા બંતર દેવોએ વિચાર્યું કે પ્રભુનું માહાત્મ ઘટવું ન જોઇએ. આથી દેવોએ તે પ્રદેશ બાળી નાખ્યો.
પ્રભુ ત્યાંથી વિહાર કરતા હરિદ્રનામે ગામમાં ગયા. ત્યાં હરિદ્રનામનાં વૃક્ષનીચે કાયોત્સર્ગ રહ્યા. આ વૃક્ષની છાયામાં જ શ્રાવસ્તિ નગરી તરફ જતો કોઇ મોટો સાથે પણ ઉતર્યો. ત્યાં તાપણું કરી તેણે રાત પસાર કરી. સવારે તે આગ ઠાર્યા વગર જ ત્યાંથી નીકળી ગયો. અગ્નિ સળગતો ગયો તેમ આગળ પ્રસરતો ગયો અને પ્રભુ પાસે આવી ગયો. ગોશાળો દૂર ભાગી ગયો, પરંતુ પ્રભુ તો ત્યાંજ સ્થિર થઇને ઉભા રહ્યા. કર્મરૂપી અગ્નિને બાળતા પ્રભુને આ અગ્નિનો શું ડર હોય? પ્રભુના પગ આગમાં બળીને શ્યામ થઈગયા. અગ્નિ શાંત થયા પછી પ્રભુ લાંગલ ગામે ગામમાં વાસુદેવનાં મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામના બાળકો રમતા હતા, ત્યારે ગોશાળો વિકૃત રૂપ ધારણ કરીને તે બાળકોને બીવડાવવા લાગ્યો. બાળકો ભયથી નાસભાગ કરવા લાગ્યા. કોઇનાં કપડાં ફાટ્યાં. કોઇને ઇજા થઇ. તેથી તેમના માતા-પિતાએ ગોશાળાને માર્યો. આ વાતની જાણ થતાં બીજા વૃદ્ધ લોકો ત્યાં આવ્યા. તેઓએ પ્રભુને જોયા એટલે ગોશાળાને પ્રભુનો સેવક માનીને છોડી મૂક્યો.
ZS
uu
(186)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org