________________
મંગલાચરણ
શ્રુતજ્ઞાનની દેવી, હે મા શારદા !
સંસારના વિષચક્રથી અનેક આત્માઓને મોક્ષરૂપી અમૃતરસનું પાન કરાવનાર જો કોઈ પણ આ પૃથ્વી પર હોય તો તે છે મનોહર કીર્તિસમાન, પરમપાવક અને ઉજ્જવળ જ્યોત સમાન શ્રી તીર્થકર ભગવંતો.
આવા પરમકૃપાળુ તીર્થંકર પરમાત્માઓના જીવનચરિત્રો જૈન સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તે વખતના દેશ, કાળ, રાજ્યનીતિ, ધર્મનાં ફરમાનો, લૌકિક તેમજ લોકોત્તર ધર્મ શિક્ષણના પાઠે, જિનેશ્વરભાષિત આગમોનું રહસ્ય વગેરે ભવિજીવોને માટે સંસારસાગરને પાર કરવા દીવાદાંડી સમાન છે. તેઓના જીવન ચરિત્રો આલેખવાનો આ એક વિનમ્ર પ્રયાસ
હે મા સરસ્વતી !
આપની કુપાવર્ષાની અમીછાંટ આ પ્રયત્નને સફળ બનાવવા સદાય વરસતી રહે. આપના ચરણકમળમાં આપની ચરણ સ્પર્શના સાથે, નત મસ્તકે, અંજલિપૂર્વક પ્રાર્થના છે કે આ ચરિત્રગઠન કાર્યમાં આપની કૃપા આ કલમમાં સામર્થ્ય પ્રગટાવે અને શ્રુતજ્ઞાનની જેમ વહેતી વાણીની સરવાણીમાં થોડાં બિંદુઓ મેળવી ધન્યતાનો અનુભવ થાય અને નિર્વિને પરિપૂર્ણ થાય. મારી અલ્પમતિથી આવું ભગીરથ કાર્ય કરવામાં કાંઈ શાસ્ત્ર વિરૂદ્ધ આલેખન થાય તો ક્ષમા પ્રાર્થનાપૂર્વક અભ્યર્થના.
શ્રી ઋષભદેવ પ્રભુનું ચરિત્ર | વર્તમાન ચોવીસીના તીર્થકરોમાંથી યુગાદિનાથ, પરમ પાવક પ્રકાશપૂંજની ઉજ્જવળ યશગાથા સમાન, ત્રિભુવનવર્સી, ચિંતામણીરત્ન સમાન અને જેમના પુનિત ચરણોમાં સૂર્ય અને ચંદ્ર પણ પોતાની જાતને નમાવતા ગૌરવ અનુભવે એવા શ્રી ઋષભદેવનું ચરિત્ર સંક્ષેપવાની અનુમતિ સાથે વિનમ્ર પ્રયાસ કરું છું.
શ્રી ઋષભદેવ ભગવાનના તેર ભવો નીચે પ્રમાણે છે. ભવ પહેલો - ધન સાર્થવાહ, ભવ બીજો- યુગાલિક, ભવ ત્રીજો - સૌધર્મ દેવલોકમાં દેવ, ભવ ચોથો – મહાબળ રાજા, ભવ પાંચમો – ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ, ભવ છન્ને - વજલ્લંઘ નામે રાજા, ભવ સાતમો – યુગાલિક, ભવ આઠમો - સૌધર્મ દેવલોકમાં દેવ, ભવ નવમો - જીવાનંદ નામે વૈદ્ય, ભવ દસમો - અચુત દેવલોકમાં દેવ, ભવ અગિયારમો - વક્તાભ નામે ચક્રવર્તી, ભવ બારમો - સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવ અને ભવ તેરમો D - શ્રી ઋષભદેવ તીર્થકર. હવે ઉપર પ્રમાણે ભવનું સંક્ષિપ્ત વર્ણન આ મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org