SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુનાં ત્રણ બિંબો સ્થાપિત કર્યા. ચતુર્વિધ સંઘ યોગ્ય સ્થાને સ્થાપિત થયો. 9 મલ્લિનાથ પ્રભુને કુંભરાજા તથા ઇન્દ્રએ દેશના ફરમાવવા સ્તુતિ કરી ત્યારે પ્રભુએ નીચે મુજબ દેશના આપી. કર્મ અને જીવ ક્યારેય એક બીજાથી અલગ થઇ શકતા નથી. પરંતુ સાધુ અને યોગી પુરૂષો પુણ્યાનુબંધી પૂણ્યના પ્રભાવે રાગાદિ કર્મોનો નાશ કરે છે. તેઓ દરેક પરિસ્થિતિમાં સમાન સમતાભાવે રહે છે. સમતાપણાં જેવું ઉત્તમ કોઇ સુખ નથી. તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે સમતારૂપ શસ્ત્રથી રાગાદિ તત્વોનો નાશ કરે છે, એ જ શાશ્વતપદને પામી જાય છે. સમાગુણથી જ જ્ઞાન, દર્શન અને ચરિત્રનું ત્રિરત્ન પ્રાપ્ત થાય છે, માટે અતિ અદ્દભૂત સુખ પામનાર સમતાપણું ધારણ કરવું એ કલ્યાણકારી બને છે.” આ રીતે મલ્લિનાથ પ્રભુએ જીવનમાં સમતાનાં મહત્વ વિષે દેશના આપી. તેમની આવી વાણીથી છ રાજાઓએ પ્રતિબોધ પામી ચારિત્ર ગ્રહણ કર્યું. તેમને ભિષક (અભિક્ષક) સહિત અઠ્યાવીસ ગણધરો થયા. વિધિ અને ક્રમ અનુસાર પ્રભુ પછી તેમના પ્રથમ ગણધરે બીજી દેશના આપી. બીજા દિવસે તે વનમાં રહેલા વિશ્વસેન રાજાને ત્યાં પ્રભુએ પારણું કર્યું. ઇન્દ્રાદિક દેવતાઓ તેમ જ સમવસરણમાં રહેલા સૌ કોઇ પોતાની જાતને ધન્ય થયેલી માની હર્ષ અને ઉલ્લાસપૂર્વક સ્વસ્થાને ગયા. શ્રી મલ્લિનાથ પ્રભુના સમયમાં ચાર મુખવાળો, હાથીના વાહન પર બેસનાર, આઠ ભુજાઓવાળો કુબેર નામે યક્ષ શાસનદેવતા થયો અને કમળના આસન પર સ્થિત, ચાર ભૂજાવાળી વૈરોચ્યા નામની શાસનદેવી થઇ. બન્ને પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન પામ્યા પછી અને નિર્વાણ પામ્યા પહેલાનો સમય ભવ્ય જીવોને પ્રતિબોધ આપવામાં પસાર કરે છે. એ દરમિયાન એમનો પરિવાર તૈયાર થાય છે. આ મુજબ શ્રી મલ્લિનાથ પ્રભુના પરિવારમાં ચાલીસ હજાર સાધુ, પંચાવન હજાર સાધ્વી, છસો અડસઠ ચૌદ પૂર્વધારી, બે હજાર બસો અવધિજ્ઞાની, સત્તરસો પચાસ મન:પર્યવજ્ઞાની, બે હજાર બસો કેવળજ્ઞાની, બે હજાર નવસો વૈક્યિ લબ્ધિવાળા, એક હજાર ચારસો વાદલબ્ધિવાળા, એક લાખ ત્રાસી હજાર શ્રાવકો અને ત્રણ લાખ સિત્તેર હજાર શ્રાવિકાઓ હતાં. નિર્વાણ સમય નજીક આવ્યો જાણી શ્રી મલ્લિનાથ પ્રભુ સમેતશિખરમાં પધાર્યા. ત્યાં પાંચસો સાધુ અને પાંચસો સાધ્વીઓ સાથે તેમણે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસ બાદ એ તમામ સાથે ફાગણ સુદ બારસના દિવસે પ્રભુ નિર્વાણ પામ્યા. આ સમયે ઇન્દ્રનું આસન કંપિત થયું અને ઇન્દ્રાદિક દેવતાઓએ અવધિજ્ઞાન વડે પ્રભુના નિર્વાણ વિષે જાણતા તેઓ તે મહોત્સવ ઉજવવા સ્વકર્મ અનુસાર આવી પહોંચ્યા. વિધિ અનુસાર તેઓએ પ્રભુના દાંત અને દાઢ ગ્રહણ કર્યા અને શરીરની યોગ્ય ક્યિા કરી. શ્રી મલ્લિનાથ પ્રભુએ કૌમારાવસ્થામાં અને સંયમકાળ મળીને કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી અરનાથ પ્રભુના નિર્વાણ પછી કોટી હજાર વર્ષ પછી શ્રી મલ્લિનાથ પ્રભુનું નિર્વાણ થયું. આ રીતે વર્તમાન ચોવીસમાંના ઓગણીસમાં મલ્લિનાથ પ્રભુએ પૂર્વ ભવમાં કપટથી તપ કર્યું, એથી સ્ત્રીવેદ કર્મ બાંધ્યું અને સ્ત્રીના ભવમાં તીર્થકર બન્યા. ૧ ૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy