________________
કોટો સૌજન્ય
Jain Education International
શ્રી કુંથુનાથ ભગવાન
શ્રીમતી રંભાબેન છગનલાલ પારેખ પરિવાર–ભાવનગર
સ્તુતિ
જેની મૂર્તિ અમૃત ઝરતી, ધર્મનો બોધ આપે, જાણે મીઠું વચન વદતી શોક સંતાપ કાપે; જ્યુની સેવા પ્રણયભરથી સર્વ દેવો કરે છે, તે શ્રી કુંથ-જિન ચરણમાં ચિત્ત મારું ઠરે છે.
ચૈત્યવંદન
કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય; સિરિ માતા ઉરે અવતર્યો, શૂર નરપતિ તાય. કાયા પાંત્રીસ ધનુષ્યની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય,
સ્તવન
૧
૨
For Private & Personal Use Only
3
કુંથુજિન મનડું કિમહી ન બાજે,
જિજિમ જતન કરીને રાખું, તિમતિમ અલગુ ભાજહો; રજની વાસ૨ વસતી ઉજડ, ગયણ પાયાલે જાયે; સ્વપખાયને મોડું થોથું. એહ ઉખાણો ન્યાયેહો. મુગતિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે વયીડું કાંઈ એવું ચિતે, નાખું અલવે પાસેહો. આગમ આગમધરને હાથે, નાવે કિણ વિધિ આકું; ફિહાં કિણ જો હઠ કરી હટકું, તો વ્યાળતણી પરે વાંકુહો. જો ઠગ કહું તો ઠગતું ન દેખું, સાહુકાર પિણ નાહિ; સર્વ માહે ને સહુથી અલગું, એ અચરિજ મનમાહિહો. જે જે કહ્યું તે કાન ન ધારે, આપમતે ૨હે કાલો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલોહો. મ્હે જાણ્યું એ લિંગનપુસક, સકળ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝેલેહો. મનસાધ્યું તિણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી; ઈમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટીહો મન દુરારાધ્ય તે સિ આપ્યું, તે આગમથી મતિઆણું; આનંદધનપ્રભુ મારૂં આણો, તો સાચું કકર જાણું હો.
થોય
કુંજિન નાથ, જે કેર છે સનાથ, તારે ભવ પાથ, જે ગ્રહી ભવ્ય હાથ; એહનો તજે સાથ, બાવળ દીએ બાથ, તરે સૂરનર સાથ, જે સુણે એક ગાથ.
- 17 ".
ફોટો સૌજન્ય
કુ. ૧
કું. ૨
૨૫
કું.૭
કું.૮
www.jainelibrary.org