________________
પ્રભુનાં ત્રણ બિંબો સ્થાપ્યા. ચક્રયુધ રાજાને ખબર પડતા તે પણ રાજપરિવાર સાથે પ્રભુને વંદન કરવા પધાર્યા. શાંતિનાથ ભગવાને સુમધુર વાણીમાં દેશના આપતા કહ્યું :
“સંસાર અનેક દુઃખોની પરંપરાનું મૂળ છે. ચાર કષાયો તેના પાયામાં છે. ઈન્દ્રિયોનો જય કરવાથી કષાયોનો નાશ થાય છે. જેમ અગ્નિથી સુવર્ણ શુદ્ધ થાય છે એ રીતે કષાયોથી રહિત આત્મા માટે ઈન્દ્રિયોનું શમન આવશ્યક છે. મોહમાં અંધ બનેલ હંમેશા પોતાના વિનાશને નોતરે છે. દીપમાંથી પ્રગટ થતી શિખાના મોહમાં ફસાઈને પતંગિયું પોતાના પ્રાણ પાથરી દે છે. આ રીતે ઈન્દ્રિયોનાં સુખનું પરિણામ, શુભ-અશુભનો વિચાર અને રાગ-વિરાગની સમજ વગેરે વિષે વિચારના૨ મનની શુદ્ધિથી ઈન્દ્રિયોને જીતી કષાયને ક્ષીણ કરે છે.’’
આ પ્રમાણે દેશ સાંભળીને ચક્રયુધે પણ સંસારના મોહમાં ફસાવાને બદલે દીક્ષા ગ્રહણ કરવાની માગણી પ્રભુ પાસે કરી. પ્રભુની સંમતિ મળતા તેણે પોતાના પુત્ર કુરુચંદ્રને રાજ્ય સોંપ્યું અને પાંત્રીસ રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. આ ઉપરાંત અન્ય સ્ત્રી, પુરુષોએ પણ ચારિત્ર અંગીકાર કર્યું. ચાયુધ અને અન્ય પાંત્રીસ ગણધરોને પ્રભુએ આપેલા ઉપદેશ મુજબ દ્વાદશાંગીની રચના થઈ. આ પછી મુખ્ય ગણધર ચક્રાયુધે ઉપદેશ ફરમાવ્યો. તે સમાપ્ત થતા સૌ પોતાના સ્થાને ગયા.
શ્રી શાંતિનાથ પ્રભુના તીર્થમાં સુવરના વાહનવાળો, શ્યામ વર્ણવાળો, ડુક્કર જેવા મુખવાળો અને ચાર હાથમાં બીજોરૂ, કમળ વગેરે ધારણ કરનાર ગરૂડ નામે યક્ષ શાસન દેવતા થયો અને ગૌર વર્ણવાળી, કમળના આસન ૫૨ સ્થિત, ચાર ભૂજાવાળી નિર્વાણી શાસનદેવી થઈ.
શ્રી શાંતિનાથ ભગવાનના પરિવારમાં બાસઠ હજાર સાધુઓ, એકસઠ હજાર છસો સાધ્વીઓ, આઠસો ચૌદ પૂર્વધર,ત્રણ હજાર અવધિજ્ઞાનીઓ,ચાર હજા૨ મનઃપર્યવજ્ઞાનીઓ,ચાર હજા૨ ત્રણસો કેવળજ્ઞાનીઓ, છ હજાર વૈયિલબ્ધિવાળા, બે હજાર ચારસો વાદલબ્ધિવાળા, બે લાખ નેવું હજાર શ્રાવકો, ત્રણ લાખ ત્રાણું હજાર શ્રાવિકાઓ હતા.
પોતાનો નિર્વાણ સમય નજીક આવે ત્યારે તીર્થંક૨ ૫૨માત્મા અગાઉથી જ તે જાણી લે છે અને એ મુજબ કર્મો કરે છે. શ્રી શાંતિનાથ પ્રભુ પણ પોતાનો નિર્વાણ સમય નજીક આવેલો જાણી સમેતશિખર પધાર્યા. ત્યાં નવસો મુનિઓની સાથે એક મહિનાનું અનશન કરી જેઠ વદ તેરસના રોજ ઉત્તમ નક્ષત્રના સમયે તે મુનિઓની સાથે પ્રભુ નિર્વાણ પામ્યા. આ રીતે શ્રી શાંતિનાથ પ્રભુએ કુમા૨પણામાં, માંડલિક રાજાપણામાં, ચક્વર્તીપણામાં અને ચારિત્રપણામાં પચીસ પચીસ હજાર વર્ષો પસાર કરી કુલ એક લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
નિર્વાણ કલ્યાણક ઉજવવા માટે પણ દેવોએ સ્વકર્મ સંપન્ન કર્યું. આ રીતે શ્રી શાંતિનાથ ભગવાને ચવર્તી તેમ જ તીર્થંકરપણામાં પોતાનો ધર્મ બજાવી ગૃહસ્થીઓને પણ ઉપયોગી બાબતો સમજાવી.
આ રીતે શ્રી શાંતિનાથ ભગવાનનાં ચરિત્રમાંથી પ્રેરણા પામનાર પણ જીવનમાં ધીર, ગંભીર અને શાંત પ્રકૃતિને પામે છે.
જેઓએ સંસારની અસારતા સમજાવવા માટે, ઘાસનાં તણખલા જેવા સુખનો ત્યાગ કર્યો અને લક્ષ્મીનાં ભંડારને લાત મારી, એવા પ્રભુ શ્રી શાંતિનાથના ચરિત્ર આલેખનમાં કોઈ ક્ષતિ રહેવા પામી હોય તો ક્ષમા પ્રાર્થના.
Jain Education International
૯૮
For Private & Personal Use Only
---
----
www.jainelibrary.org