________________
5 ચરિત્ર ત્રિષષ્ઠિ શલાકા પુરુષ' પુસ્તકમાં જણાવેલાં છે.
પ્રભુ શ્રેયાંસનાથ સમવસરણમાં પધાર્યા છે તે જાણી ત્રિપુષ્ટ વાસુદેવ આદિ પણ ત્યાં પધાર્યા. ઈન્દ્ર પ્રભુની સ્તુતિ કરી અને દેશના ફરમાવવા વિનંતી કરી. પ્રભુએ કર્મોની નિર્જરા કરવાનો ધર્મ સમજાવ્યો. આ સાંભળી ઘણાં લોકોએ દીક્ષા લીધી. બળભદ્ર અને વાસુદેવે સમક્તિની પ્રાપ્તિ કરી. પોરસી પૂર્ણ થતા પ્રભુએ દેશના સમાપ્ત કરી. એ સમયે ત્રિપુષ્ટ વાસુદેવના પુરુષો આઠશેરના પ્રમાણવાળો બળી લાવ્યા. તે બળી પ્રભુ પાસે ઉડાડ્યો. તેનો અર્ધો ભાગ નીચે પડ્યા પહેલા જ દેવતાઓએ લઈ લીધો. બાકીના અર્ધામાંથી અર્ધ રાજાઓએ અને બાકી બચેલો ભાગ અન્ય સૌએ ગ્રહણ કર્યો. પ્રભુએ દેશના સમાપ્ત કરી ત્યારે તેમના છોંતેર ગણધરોમાંથી મુખ્ય એવા ગોશુભ ગણધરે દેશના આપી. જ્યારે આ દેશના પૂર્ણ થઈ ત્યારે સમવસરણમાં બિરાજમાન સૌ પ્રભુને વંદન કરી સ્વસ્થાને પાછા ગયા.
જ્ઞાનરૂપી સૂર્યની જેમ પ્રભુ ત્યાંથી વિહાર કરતા જ્ઞાનનો પ્રકાશ ફેલાવતા બે માસે ઉણા એકવીશ લાખ વર્ષ સુધી પૃથ્વી તલ પર વિચર્યા. તેમને ચોરાશી હજાર સાધુ, એક લાખને ત્રણ હજાર સાધ્વી, તેરસો ચૌદ હજાર વૈકેય લબ્ધિવાળા, પાંચ હજાર વાદ લબ્ધિવાળા, બે લાખને ઓગણએંશી હજાર શ્રાવકો અને ચાર લાખને અડતાળીશ હજાર શ્રાવિકા જેટલો પરિવાર થયો તેમજ ઈશ્વર નામે યક્ષ અને માનવી નામે યક્ષણી અનુક્રમે શાસનદેવ તથા શાસનદેવી થયા.
પોતાનો નિર્વાણકાળ નજીક આવેલો જાણી પ્રભુએ સમેતશિખર પર આવી એક હજાર મુનિઓ સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસના અંતે શ્રાવણ સુદ ત્રીજને ઘનિષ્ઠા નક્ષત્ર હજાર મુનિઓ સાથે પ્રભુ નિર્વાણ પામ્યા.
પ્રભુએ કુમાર વયમાં એકવીસ લાખ વર્ષ કુમાર અવસ્થામાં, રાજ્ય ચલાવવામાં બેતાલીસ લાખ વર્ષ અને દીક્ષાપર્યાયમાં એકવીસ લાખ વર્ષ ગાળી કુલ ચોરાસી લાખ વરસનું આયુષ્ય પૂર્ણ કર્યું. દેવતાઓએ આવીને પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો.
શ્રી શીતલનાથ પ્રભુના નિર્વાણકાળ પછી છાસઠ લાખ અને છત્રીસ હજાર વર્ષે તથા સો સાગરોપમે ઊણા એક કોટી સાગરોપમે શ્રી શ્રેયાંસનાથ પ્રભુ નિર્વાણ પામ્યા.
લોકાલોકમાં વ્યાપ્ત જ્ઞાનવાળા, રાગદ્વેષની ઉપર વિજય મેળવનારા, પાપથી મુક્ત કરાવનારા શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું ચરિત્ર આલેખન કરવામાં ક્ષતિ રહી હોય તો ક્ષમા પ્રાર્થી આ ચરિત્ર પૂર્ણ કરૂં છું.
LLL
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org