SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આ સર્ગ અગિયારમે. [નળ અને હંસને વાર્તાલાપ હંસનું કુંદનપુર પ્રતિ ગામના દમયંતીના વનપ્રદેશનું વર્ણન ] ? રાજહંસની ઉપર્યુક્ત ગૂઢાર્થવાળી વાણી સાંભળીને અત્યંત વિરહાતુર બનેલ -- -- નળરાજા શોક-સંતાપ કરવા લાગ્યા. બાદ ઊંડા અને ઉષ્ણુ નિસાસા નાખીને નયનને તીરછી રીતે ફેરવતો તે કામજન્ય ઘેલછાથી ખલના પામતી વાણીપૂર્વક બે કે-“આવી રીતે અલૌકિક એક એક વચનને અનેક વાર સાંભળીને ખરેખર શરૂઆતથી મેહરૂપી મહાસાગરમાં અડધા ડૂબેલા મને તેં પૂરેપૂરો ડુબાડી દીધો છે. હે સT લાંબા સમય સુધી દમયંતીના વર્ણનના બહાનાથી દીર્ઘકાળ પર્યત જીતતા તેં શું મારી સાથે કલેશ માંડ્યો છે? હું શું કરું? હું કયાં જાઉં? હું હવે કેનું શરણ સ્વીકારું ? ખરેખર આબરૂને અંતરાયભૂત નીવડતી શરમ મારે ત્યાગ કરતી નથી. અરે ! જાણે આ પૃથ્વીમંડળ ભમી રહ્યું હોય, આકાશપટનું પતન થઈ રહ્યું હોય, દરેક દિશાઓ શૂન્ય થઈ ગઈ હોય અને મારા ગાત્રે બળું -બળું થતાં હોય તેમ જણાય છે. અફસોસ ! હે પિતાજી! હે માતુશ્રી ! હજુ તમારા બંનેને હું અનુણી થયો નથીકંઈ પણ બદલો વાળી શક્યો નથી તેવામાં આ મારા પ્રાણે ચાલ્યા જાય છે. અફસોસ ! આ વિશ્વ નાયક વિનાનું બની રહ્યું છે.” આ પ્રમાણે બબડત “ પુણ્યક ” નળરાજા ગળું રંધાઈ જવાથી અને આંખ મીંચાઈ જવાથી પૃથ્વી પર ઢળી પડે, એટલે સરોવરના જળથી ભીંજાયેલા, બરફ જેવા ઠંડા જળબિંદુઓને વષોવતા ને ગભરાયેલા તે સર્વ પક્ષીઓ પોતાની પાંખ દ્વારા થોડો સમય સુધી તેને પવન નાખવા લાગ્યા. બાદ રાહુના ગ્રહણથી છૂટા થયેલા ઉજજ્વળ કાંતિવાળા ચંદ્રની માફક તે રાજા ફરી પિતાના મૂળ રવભાવને પામે ત્યારે તેને હંસે કહ્યું કે –“ તે વૈદભ-દમયંતી તારા માટે દુષ્પાય નથી, પણ તને પ્રાપ્ત થયેલી જ માની લે; કારણ કે દૂર રહેવા છતાં પણ સૂર્યને કમલિની તે નજીક છે. તારા બધા પ્રધાને બાજુએ રહો, હું પક્ષી હોવા છતાં પણ દમયંતીને તારામાં જ લયલીન બનાવીશ અર્થાત તને પ્રાપ્ત કરાવીશ, તેમાં લેશ માત્ર પણ શંકા ન રાખીશ. આપની મહેરબાનીથી આ કાર્ય હું સુખપૂર્વક સાધી શકીશ. શું મંત્રેલી ધૂળવડે સર્ષ વશીભૂત બનતો નથી ? આ બધો હંસીઓનો સમુદાય તારી સમીપમાં જ ભલે રહ્યો હે રાજન ! મને કુંડનપુર જવા માટે જ દી રજા આપ. જે તે રાજકન્યા મારા સમજાવ્યા પછી પણ તારી સિવાય બીજા કેઈને પસંદ કરશે તો હે મહારાજ ! તમારે આ મારી હંસી–સોમકલા મને પાછી મેંપવી નહિં.” ત્યારે રાજા બે કે-“ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy