SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૪] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૭ મ. સગે બીજો. નથી તેમજ સાંભળ્યો પણ નથી.” આ પ્રમાણે વિચારણા કરતાં હતુપર્ણ રાજાના મસ્તક પરથી સાફે, રથના તીવ્ર વેગને કારણે, ચિંતાની સાથેસાથ અચાનક ભૂમિપ્રદેશ પર પડી ગયે. તે સાફ લઈ લેવાને માટે કુન્જને રથ અટકાવવાને માટે રાજાએ જણાવ્યું ત્યારે તેણે હાસ્યપૂર્વક કહ્યું કે “તમારે સારે અત્યારે પચીશ એજન જેટલે દૂર પડ્યો છે. જે મારી ઈચ્છા પ્રમાણે અશ્વોની પ્રાપ્તિ થઈ હત તે આપણા રથની ગતિ બમણું હેત. આપ હવે સાફા સંબંધી વ્યાકુળતા તજી દે, કારણ કે આપણે વિદર્ભ દેશની લગોલગ આવી પહોંચ્યા છીએ.” કુજનું આવું કથન સાંભળીને આશ્ચર્ય પામેલા કાપર્ણ રાજાએ હાસ્યપૂર્વક કહ્યું કે–“પાછા વળતાં હું તને કાઈક કોતુક બતાવીશ. દરેક પ્રકારના પદાર્થોની ગણત્રી લીલામાત્રમાં કરી શકું છું. અત્યારે તે સંબંધી પરીક્ષા કરવામાં નિરર્થક કાળક્ષેપ થાય.” ઋતુપર્ણ રાજાનું આવું સૂચન સાંભળીને, વિદ્યાના ઈચ્છુક નલે, કાળક્ષેપના ભયનો ત્યાગ કરીને, તે સંબંધી હમણાં જ પરીક્ષા કરવાને માટે તૈયાર થયે, એટલે કુજથી પ્રેરાયેલા ઋતુપર્ણ રાજાએ કોઈએક બેહડાના વૃક્ષના ફળની સંખ્યા એકસઠ હજાર દર્શાવી. પછી મુજે રથમાંથી ઊતરીને, બેહડાના ઝાડને પાદપ્રહાર કરીને, તેના ઉપરના સર્વ ફળો નીચે પાડ્યા. તે વખતે તે વૃક્ષના મધ્યભાગમાંથી કેઈએક ભયંકર આકૃતિવાળ, મુશ્કેલીથી જોવા લાયક, દુધવાળા, હીનભાગી અને દુર્બલ પુરુષ બહાર નીકળ્યો. તે પુરુષ જે કે પૂર્વે દીર્ઘ કાયાવાળો હતો છતાં અત્યંત લઘુ-લઘુ બનીને છેવટે કણ–પ્રમાણ જેવડો બનીને હાથ જોડીને ઊભે રહ્યો. નલે તેને ક્રોધપૂર્વક પૂછયું કે–“તું કોણ છે?” એટલે મસ્તક નમાવીને ગદ્દગદ્દ વાણીથી તે કહેવા લાગ્યો કે–“હે રાજન! હું દીન છું. હે દયાળુ! મારા પર ક્રોધ ન કરો. હે પવિત્ર કીતિવાળા! ખિન્નતાવાળા મને શાંતભાવથી નીહાળે. જેણે તમારું રાજ્ય હરી લીધું, જેણે તમને ઘૂત રમવાની કુબુદ્ધિ આપી, જે તમારી પ્રિયા દમયંતીના ત્યાગમાં કારણભૂત બન્યો અને જેણે તમને આવા પ્રકારના સંકટમાં નાખ્યા તે હું દુરાત્મા, દુરાચારી અને ભયંકર કલિ છું. સમસ્ત દેવેની સમક્ષ મેં તમારા વધીને માટે પ્રતિજ્ઞા કરી હતી. લાંબા સમય સુધી તમારા દેહમાં રહીને તમારે નાશ હું ન કરી શક્યો એટલું જ નહીં પણ તમારા ધિર્યને પણ નાશ ન કરી શક્યો. ખરેખર, આ સત્ય હકીકત છે કે-દુર્જને કદીપણ સજજનોના પૈર્યને હણું શકતા નથી. સાગરને વિષે નિરંતર બળવા છતાં વડવાનલ સાગરને શું કરી શકે? રાજયથી ભ્રષ્ટ થવાથી ચામૂઢ બનેલા તમે કોઈપણ સ્થળે દીનતા દર્શાવી નહીં તેમજ નિત્યકર્મોને પણ ત્યાગ કર્યો નહીં. સહનશીલતા, દાન, સંતોષ, સત્ય ગુણવાળા અને પારકાના દ્રવ્યને નહીં ચાહનાર તમે દિવસે વ્યતીત કર્યા છે. આકાંક્ષારહિત, ઈર્ષ્યા વિનાના, કેઈની પણ હિંસા ન કરનાર, નિંદા નહીં કરનાર તેમજ દુઃખને વિષે પણ સહનશીલતાવાળા આપના જેવા અન્યને કેઈપણ સ્થળે મેં જોયેલ નથી. સૂયો કદાપિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy