SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩ર ]. શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૬ છે. સગું બીજે. ) તું રાગ રહિત લેગીની માફક રહેલો જણાય છે. પૂર્વે કપાલના કાર્યને માટે તે અદશ્યપણું ધારણ કર્યું હતું તે શું તે એક જ વખત કરવાનું હતું ? અત્યારે તે પ્રમાણે ન કરી શકાય ? ” ઉપર પ્રમાણે ત્રણે ગાથાના અર્થયુત વિવિધ પ્રકારની કથાઓ રચીને હાલતાચાલતા પટહ સરખા તે ચરપુરુષો લોકોને વિષે સર્વત્ર તે કથાઓ કહેવા લાગ્યા. તેથી નલનું ચરિત્ર સેંકડો પ્રકારે પૃથ્વી પીઠને વિષે વિસ્તરી ગયું અને સંકેતને નહીં જાણનારા લોકો માટે તે ઉત્કંઠાનું પણ કારણ બની ગયું. હવે ભીમરાજાના આદેશથી ચરપુરુષના આ સમૂહમાં જતાં એવા સુદેવ તથા શાંડિયા નામના બંને દતેને વિચક્ષણ દમયંતીએ જણાવ્યું કે “હે સુદેવ અને શાંડિય! તમે ચરપુરુષનું કાર્ય સ્વીકાર્યું છે, છતાં આ વિષયમાં મારા મનને નિર્ણય થતો નથી, કારણ કે વિશાળ પૃથ્વીપીઠને વિષે કરોડો પુરુષમાં “આ અમુક છે” એમ જાણવાને માટે સ્થાનભ્રષ્ટ થયેલો પુરુષ કઈ રીતે શોધી શકાય? કઈ સ્થળે નામ, રૂપ અને ગુણ મળતા આવે છે તેમજ ખેતીની માફક નામમાં પણ સરખાપણું હોય છે. મૂઢ, એક માર્ગને જ પકડનારા, ચાલનારા, બાહ્ય વસ્તુઓને જોનારા માણસો કઈ રીતે સાચા માણસના હૃદયને જાણી શકે? તે તેને ચક્કસ પ્રકારે જાણવાને માટે અપ્રમાદી એવા તમને બંનેને હું વિદ્યાની માફક વિશિષ્ટ સમજણ આપીશ. માયાવી વિવિધ પ્રકારના રૂપને ધારણ કરનાર, સર્વ સથળે વિચરનાર અને સર્વ વસ્તુને જાણનાર નલ પ્રમાદી પુરુષોની નજરે ચઢશે નહીં. ચતુર, સામાના હૃદયમાં દાખલ થઈને વસ્તુને જાણ લેનાર તેમજ હૃદયના ભાવને જાણનારા તમારા બંનેની ચતુરાઈ-કુશળતા પ્રત્યે મને પૂરેપૂરો વિશ્વાસ છે, તે રાજર્ષિ વેરસેન રાજાના પુત્ર અને નિષધા નગરીના સ્વામી નલરાજાનું વાસ્તિવક રહસ્ય તમે સાંભળે– તે નાન કર્યા સિવાય ભોજન કરતા નથી, દૈનિક નિત્ય કરવાનું ચૂકતા નથી, દિવસે કદી નિદ્રા લેતા નથી અને હાસ્ય વગર બોલતા નથી. તેની પ્રશંસા કરવાથી તે મગરૂબ (ગવીણ) બનતા નથી, શોકમાં તે ગ્લાન બનતા નથી અને ક્રોધને અંગે પિતાના આશ્રિત જનને ત્યાગ કરતા નથી. તેમની ક્રિયાથી સંતપુરુષે તુષ્ટ બને છે, સ્ત્રીના નેત્ર ભીંજાય છે, વીંઝાવાને કારણે ખળે તૂટી પડે છે અને તેના સિંહનાદથી હસ્તીઓ વ્યાકુળ બની જાય છે. આ પ્રમાણે તેના લાખ ગુણોની ગણના કરી શકાય તેમ નથી, પરંતુ તેના કેટલાક અસાધારણ અને અલૌકિક ગુણ છે. સમસ્ત અશ્વકલાને જાણનાર, શેરીઓને વિષે પણ રથ ચલાવનાર તે નલરાજાની જેવો કોઈપણ ઘોડેસ્વાર કે સારથી નથી. આ વિશ્વમાં, અગ્નિ દેવના વરદાનથી પ્રાપ્ત થયેલ સુર્યપાક રસવતી (રસોઈ) બનાવવાનું તેના સિવાય કંઈપણ જાણતું નથી. ચિત્રપટમાં આળેખાયેલ મારી આકૃતિના દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy