SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૦ ]. શ્રી દમયંતી ચરિત્ર ઃ આંધ ૫ મો. સર્ગ ત્રીજે. સુખપૂર્વક રહેવાને માટે પોતાની પત્નીને પિયર મોકલતાં નલે ખરેખર મને તેમજ પિતાની જાતને-બંનેને દુઃખ કર્યું છે, તો હું એકલી કુંઠિનપુર કઈ રીતે જઈશ અને સેવક વિનાના આર્યપુત્રનું શું થશે ? સ્વામીની પાસે રહેનારી મને દુઃખમાં પણ સુખ થાત અને મારી સેવાથી સ્વામી નલને પણ કષ્ટ ન થાત. મારા સ્વજનોથી, શરીરથી કે સુખથી મને શું પ્રજન છે? ખરેખર સ્વામીના વિયોગથી હું જીવતી છતાં મરેલા જેવી જ છું. છેદાઈ ગયેલી લતાને જેમ કયારે નકામો છે તેમ પતિ વિનાની મને રાજભવ નકામો છે. વનને વિષે, સ્વામી પાસે રહેલા મારા માટે ખરી પડેલા પાંદડાંઓનું ભજન અથવા તે ઊગેલ ધાન્યની મુઠીને પકાવવાવડે જીવન વિતાવવું એ શ્રેષ્ઠ છે. ધૂમાડા વિનાના અગ્નિ સરખા વિયેગથી જે પ્રાણીઓ દાઝે છે તેઓ જળમાં રહેવા છતાં પણ દાઝે છે અને બરફથી પણ બળે છે. ખરેખર, હીન ભાગ્યવાળી મારા માટે આ સમય સ્વામીની સેવાનો હતો, જ્યારે તે જ અવસરે નસીબે મને સ્વામીથી અળગી કરી. તે બગલીઓને જન્મ ધન્યવાદને પાત્ર છે કે જે વર્ષાઋતુમાં વૃક્ષના અગ્રભાગ પર રહેલા સ્વામીને હમેશાં સંભાળે છે-રક્ષા કરે છે. હરણુંઓના ગુણોનું પણ હું શું વર્ણન કરું ? કે જે પિતાના સ્વામી પર પડતા શિકારીના બાણેને પોતાના શરીર પર ઝીલી લે છે. જીવવા છતાં મરેલા જેવી અને આશા વિનાની મારાથી શું પ્રયોજન છે ? મારા પ્રાણભૂત જે સ્વામી હતા તેને જ મેં બેઈ નાખ્યા છે. જેમ સૂર્યનાં કિરણને કુમુદ સહન ન કરી શકે તેમ રાજલક્ષ્મીનો ઉપગ કરવામાં આસક્ત નલરાજાનું શરીર કલેશને સહન કરી શકે તેમ નથી. જેને 5 અવસરે જલપાન, ભજન, શમ્યા, રસ્નાન અને શરીરશુશ્રષા નથી તે નલરાજા કેવી રીતે જીવી શકશે? સામાન્ય માણસ પણ આવા વનવાસનાં કષ્ટ સહન ન કરી શકે તે વિલાસી એ નલરાજા કઈ રીતે સહન કરી શકે? તેથી જ મને પ્રાત:કાળે તેવા પ્રકારનું દુખ સ્વપ્ન આવ્યું જે સ્વપ્ન નલરાજાના શરીરમાં પણ કંઈક વિકૃતિ (ફેરફારો થયો છે તેમ સૂચવી રહેલ છે. સ્વામિના આદેશને કરવાને માટે, આશારૂપી પાશથી બંધાયેલા મારા જીવનને ધારણ કરતી મારા વૃક્ષસ્થલના બે ટુકડા થઈ જતા નથી. જઈને હું શું કરીશ? હવે પછી મારું શું બનશે? કઈ રીતે હું નલરાજાને મેળવી શકીશ? તેમાંનું કંઈ પણ હું સમજી શકતી નથી અથવા તે આવા પ્રકારના સંકલ્પ-વિક૯પ કરવાથી શું લાભ છે? ખરેખર નલરાજા વિજયશાલી છે. નલરાજાની આકૃતિ જ એવા પ્રકારની છે કે જે લાંબા સમય સુધી દુઃખી રહી શકે નહિ. સૂર્યનું ગ્રહણ ક્ષણમાત્ર થાય છે, પૃથ્વીકંપ પણ ક્ષણવાર થાય છે, સ્વપ્ન સરખી સજજન પુરુષની વિપત્તિ કદીપણુ લાંબો સમય ટકી શકતી નથી, તે હવે હું પિતાના ઘરે જઈને, હમેશાં પ્રયત્ન કરતી હું નલરાજાની પ્રવૃત્તિના સમાચાર મેળવીશ. પ્રયત્નને શું અસાધ્ય છે? નલરાજાને પ્રાપ્ત કર્યા બાદ પૃીને વિષે ફરીથી ક્ષણમાત્રમાં આર્યાવર્તનું રાજ્ય સ્થપાશે. અસ્ત થયેલે સૂર્ય ઊગે છે-ઉદય પામે છે, ક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy