________________
[ ૨૦૪ ].
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
કરી હતી, હવે બીજા કે રાજાની તે સેવા કરે.” આ પ્રમાણે તેણુએ કહેલે તે સેવા વૃત્તિમાં ઉદ્યમી શકે. પ્રાયે કરીને ગૃહસ્થને ભાર્યાનું વચન ઉલંઘન કરાતું નથી. ત્યારપછી તેણે કેઈ એક વેપારીને આ પ્રમાણે કહ્યું કે “મારી ભાર્યા જે તારી પાસે માગે, તે તારે મારે નામે ઉધારે આપવું. હું રાજાની સેવાવડે લક્ષમી ઉપાર્જન કરીને અહીં આવીશ, તે વખતે તારું અને મારી પ્રિયાનું ઇચ્છિત પૂર્ણ કરીશ.” ત્યારપછી કાંઈક ભાતું લઈને સારા મુહુર્તે વસ્ત્ર અને શસ્ત્રાદિક સામગ્રી સહિત તે ઘરથી નીકળ્યા. પછી શંખપુર નગરમાં જઈને અનુજીવી માણસોને પ્રિય શુરસેન રાજાના સેવકપણને તે પામે. તે રાજાએ અ૫ દાનવડે અને અત્યંત પ્રિય વચનવડે ખુશી કરે તે વ્યાવ્ર ધનની આશાથી તેની સર્વ પ્રકારે સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસે તે સર્વ દ્રવ્ય તેણે ભક્ષણ કર્યું, અને બીજું નહીં મળવાથી તેણે છરી વિગેરે વસ્તુ વેચી. પછી એક વર્ષ વીતી ગયા છતાં પણ કાંઈ પણ નહીં પામવાથી ખેદવડે વ્યાસ ચિત્તવાળા તેણે આ પ્રમાણે વિચાર્યું, કે-“આ રાજા શાલ્મલી પુષ્પની જેમ પ્રથમ ઉદાર વચનવાળે અને પછી ધીમે ધીમે સાર રહિત થયે. આ કુસ્વામીની સેવા કરતાં મારી તે ખેતી સારી છે, કે જેથી પિતાના કુટુંબનો વિયોગ થાય જ નહીં. જે કે ધન રહિત મારે ઘેર જવું તે લજજા કરનારું છે, તે પણ નિષ્ફળ આરંભવાળે હું બીજું શું કરું?” આ પ્રમાણે વિચારીને તે તે સ્થાનથી ભાતા રહિત નીકળીને માર્ગને ઓળંગીને રાત્રિએ પિતાને ઘેર આવ્યું. ત્યાં ઘરની બહાર ભીંતના આંતરામાં રહેલા તેણે શુભ આહારને માગતા બાળકોને આ પ્રમાણે બોધ આપતી પ્રિયાને સાંભળી. “હે પુત્ર! તમારા પિતા રાજાની સેવા કરવા ગયા છે, તે હમણું ઘણું ધન લઈને આવશે. તે આવશે ત્યારે તમને હું શ્રેષ્ઠ ભેજન આપીશ. તથા તે તમારે યોગ્ય વસ્ત્રો પણ લાવશે. તથા તે મારે માટે પણ પ્રગટ રીતે સારા વસ્ત્રો અને અલંકાર કરાવશે, સર્વ સારૂં થશે, તેથી તમારે રૂદન કરવું નહીં.” તેણીનું તે વચન સાંભળીને વ્યાધે મનમાં આ પ્રમાણે વિચાર્યું કે-“અહો ! મારી પ્રિયા મારે વિષે મોટી સંભાવના માને છે. જે આવી અવસ્થાવાળા મને ઘેર આવે તે જાણશે તો આશા રહિત થયેલી તે હૃદય ફાટી જવાથી મરી જશે. તેથી ઘણે કાળે પણ દ્રવ્ય ઉપાર્જન કરીને મારે અહીં પોતાને ઘેર આવવું, અન્યથા કઈ રીતે આવવું નહીં. હે જીવ! તું પુરુષ કેમ જન્મે છે? ઉદરમાં વિલય કેમ ન પામ્યો? કે જેથી તું આવી નિર્ધન અવસ્થાવાળે થય? જેણે લક્ષમી ઉપાર્જન કરી નથી, કુટુંબનું પોષણ કર્યું નથી, અને દાન આપ્યું નથી, તેનો જન્મ નિરર્થક છે. પછી પોતાના આત્માને પ્રકાશ કર્યા વિના જ ( જણાવ્યા વિના જ) તે સ્થાનથી તે નીકળ્યો અને મનોહર રત્નો લેવા માટે રોહણાચળ પર્વત તરફ ચાલે. માર્ગમાં ભિક્ષાટન કરતે અને તે રેહણાચળને માણસ માણસને (દરેક માણસને) પૂછતે તે અનુક્રમે ત્યાં ગયા. કેમકે ઉદ્યમી પુરુષને દૂર શું હોય? પછી રોહણાચળની પૃથ્વીને કોદાળીવડે છેદીને શ્રેષ્ઠ રને ગ્રહણ કર્યા અને તેને કથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org