________________
[ ૨૦૨ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
બેલી કે-“હે તાત! તમારું અપમાન મને સફળ થયું, કેમકે ગુરુનું અપમાન પણ વાંછિતને આપનાર થાય છે. જો તમે મને તે વખત અપમાન દેખાડયું ન હોત, તે હે તાત ! તમારે પુત્ર અહીં કેમ આવત? રાજ્યને કેમ પામત? તમારું ગૌરવ કેમ કરત? તથા મારું વાંછિત કેમ પૂર્ણ કરત” આ પ્રમાણે બોલીને તે મૌન રહી. પછી શૂરપાળ રાજાએ મોટી વાણીથી સર્વ સામંતને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું, કે-“હે સામંત ! આ મારા પિતા છે, તથા આ મારા ભાઈઓ છે. આ મારી માતા છે, અને આ ત્રણ પ્રગટ રીતે ભેજાઈ છે, તેથી આ સર્વે મારા ગુરુને તમે આદરથી પ્રણામ કરો.” આ પ્રમાણે કહેલા તેઓએ તે પ્રમાણે કર્યું, કેમકે સ્વામીની આજ્ઞા ઉલંઘન કરી શકાય નહીં. પછી શુરપાળ રાજાએ તે સર્વે (ત્રણે) પિતાના મોટા ભાઈઓને ઘણા દેશે આપવાવડે મંડલેશ્વર (માંડલિક રાજા) કર્યા. અને તે માતાપિતાને ગૌરવ સહિત પોતાની પાસે રાખ્યા. આ પ્રમાણે કૃતકૃત્ય કૃતાર્થ ) થયેલે તે પિતાના રાજ્યનું પાલન કરવા લાગ્યું. પછી કઈક દિવસ તે નગરમાં શ્રુતસાગર નામના શ્રેષ્ઠ સૂરિ આવ્યા, અને નગરની બહાર રહ્યા. તેને નમવા માટે ધાર્મિક લોકોને નગરમાંથી નીકળતા જોઈને તે રાજાએ મુખ્ય મંત્રીને તેનું કારણ પૂછ્યું, ત્યારે પરમાર્થને જાણીને તેણે રાજાને આ પ્રમાણે કહ્યું કે “ આ નગરમાં આજે જ્ઞાનવાળા કેઈક શ્રેષ્ઠ સરિ આવ્યા છે. રાજા બે કે-“હે મંત્રી ! જેમ આ નગરના લાકે જાય છે, તેમ આપણે પણ પ્રગટ રીતે આચાર્યને નમવા જઈએ.” ત્યારે “બહુ સારું” એમ તેણે કહ્યું ત્યારે પિતા અને પત્ની સહિત તે ત્યાં જઈને અને તે સૂરિને નમીને તેની સન્મુખ બેઠે. સૂરિએ પણ તેને સંસારરૂપી સાગરને તરવામાં મેટા વહાણ જેવો સર્વ કહેલે ધર્મ કહો. ત્યારે શ્રાવક ધર્મને ગુરુની પાસે ગ્રહણ કરીને તે રાજા ફરીથી તેને નમીને પિતાને ઘેર આવ્યા. એ પ્રમાણે હંમેશાં સૂરિને વાંદવા માટે તે જાતે હતો. પછી એક દિવસ તેણે તે ભગવાનને આ પ્રમાણે પૂછયું, કે-“હે પ્રભુ! પૂર્વભવે મેં શું સુકૃત કર્યું હતું કે જેથી મેં કષ્ટ વિના પણ આ શ્રેષ્ઠ રાજ્યલક્ષમી પ્રાપ્ત કરી?” ત્યારે શાસ્ત્રના સમુદ્રરૂપ હર્ષિત મુખવાળા તે સુગુરુ બેલ્યા કે-“હે રાજા ! પૂર્વભવે તે અતિથિસંવિભાગ કર્યો હતો. આ જ ભરતક્ષેત્રમાં ભૂમિપ્રતિષ્ઠ નામના શ્રેષ્ઠ નગરમાં વીરદેવ નામને શ્રેષ્ઠ શ્રાવક હતો. તેને સુવ્રતા નામની શ્રાવિકા શ્રેષ્ઠ ભાર્યા હતી. તે બને તત્પર થઈને ગૃહવાસનું પાલન કરતા હતા. કોઈક વખત અષ્ટમીને દિવસે તે વિરદેવે પૌષધ ગ્રહણ કર્યો અને પારણાને દિવસે તેણે ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું કે “તે ધન્ય પુરુષે છે, કે જેઓ પર્વને દિવસે શ્રેષ્ઠ પૌષધ કરીને તેના પારણાને દિવસે ભાવપૂર્વક સારા સાધુને દાન આપે છે.” આગળીયા રહિત(ખુલા) દ્વાર તરફ અવકન કરતા તેણે પિતાના આવાસમાં આવતા અને તપથી કૃશ થયેલા બે સાધુને જોયા, ત્યારે તેમની સન્મુખ જઈને તથા તેમના બે ચરણને નમીને સારી ભક્તિથી ભક્ત પાનવડે તેમને પ્રતિલાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org