SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ટ પ્રસ્તાવઃ સૂરપાળનું પિતાના માતપિતાદિકનું ઓળખવું. [ ૧૮ ] તર્જના કરી તો પણ તે પરાભવને સહન કરતી, પતિની આજ્ઞાને કરતી અને કુળના દૂષણનું રક્ષણ કરતી તે પણ તે સસરાની સાથે તે નગરમાં આવી. આ તરફ સર્વ લોકનું હિત ઈચ્છનારા તે રાજાએ તે નગરમાં એક સરોવર દાવાનો આરંભ કર્યો હતો. ત્યાં ધન રહિત ઘણું જ કામ કરતા હતા. ત્યારે કુટુંબ સહિત તે મહીપાળ પણ તે કામ કરવા લાગ્યું. એક દિવસ સર્વ લોકેએ રાજાને આ પ્રમાણે વિનંતિ કરી, કે-“હે પ્રભુ! આ તળાવને વિષે તમે દષ્ટિને પ્રસાદ કરે.” ત્યારે લોકોના આગ્રહથી હાથી ઉપર ચડીને સર્વ સેના સહિત તે પૂરપાળ રાજા ત્યાં આવ્યું. પછી સર્વ કર્મ કરોને જોતાં રાજાએ કુટુંબ સહિત તે પોતાના પિતા મહીપાળને દેખ્યો તથા વિયોગની અવસ્થાથી દુર્બળ અંગવાળી અને પરપુરુષને જોવાના કાર્યમાં પરાક્ષુખવાળી તે શીલમતીને જોઈ. અને તેણે વિચાર્યું કે-“દૈવયોગે મારા કુટુંબની આ કર્મકર અવસ્થા કેવી થઈ છે? અરે ! કુકર્મને વિપાક કેવો છે?” પછી દરેક સર્વ કર્મકાને જોઈને તે રાજાએ તે પિતાના કુટુંબને ઉદ્દેશીને પંચકુળને કહ્યું (પૂછયું ), કે-“આ નવ મનુષ્ય અહીં સારું કામ કરે છે. તેમને શું આપ છો ?” એમ રાજાએ કહ્યું ત્યારે તે પંચકળે કાં, કે“હે પ્રભુ! તમારી આજ્ઞા પ્રમાણે સર્વ ચાકરોને એક એક રૂપીયે અને મધ્યમ ધાન્યનું ભજન અપાય છે.” ફરીથી રાજા બોલ્યા કે “સારું કામ કરનારા આ મનુષ્યને કાંઈક વિશેષ કરો, કેમકે લેકમાં આવું કહેવાય છે, કે-“જ્યારે સાજન અને અસજજનને વિષે સ્વામીને વિશેષ ન હોય, ત્યારે સજજનને પણ સારા ગુણને ઉત્સાહ વધતો નથી. આ મનુષ્યને બમણુ વૃત્તિ અને ઉત્તમ ધાન્યનું ભજન આપવું” એમ રાજાએ કહ્યું ત્યારે તે પંચકુલે તેઓને બોલાવીને કહ્યું, કે-“હે કર્મ કરે! આ દેવે તમારા ઉપર આ માટે પ્રસાદ કર્યો છે.” ત્યારે તે મહીપાલ વિગેરે “મહાપ્રસાદ કર્યો ” એમ બોલ્યા. રાજાએ તેને કહ્યું કે-“શું તારે એક પુત્ર બે ભાયાવાળે છે? કેમકે આ પુત્રો ત્રણ દેખાય છે, અને ભાર્યા ચાર દેખાય છે.” ત્યારે તેણે તેને પુત્રના પ્રવાસની વાત કહી. પછી “તું કયાંથી આવ્યો છે ?” એમ રાજાએ તેને ફરીથી પૂછયું. તેણે પણ “કાંચનપુરથી આવ્યો છું,” એમ કહ્યું. ત્યારે રાજાએ શીલમતીને છાશ લેવા માટે પોતાને ઘેર બોલાવી. પછી રાજા પિતાને ઘેર ગયે. સર્વ લોકે વિરમય પામ્યા. અને આ પ્રમાણે છેલ્યા કે-“અહા ! કેઈની સાથે અમારા સ્વામી આટલું બોલતા નથી.” પછી તે શીલમતી છાશને માટે રાજાને ઘેર ગઈ. તેણે આદેશ કરેલ પ્રતિહારીએ રાજાને તે કહી. તે રાજાએ તેણીને કહ્યું કે-“હે ભદ્રા ! તારો કંચુક કેમ આમ છે?” ત્યારે લજજાવડે નમ્ર થયેલી તેનું કાંઈપણ બેલી નહીં. પછી રાજાએ તેને છાશ વિગેરે ઘણું અપાવ્યું. તે પિતાને ઘેર ગઈ. ત્યાં સસરા વિગેરેએ તેણીને કહ્યું કે-“હે વત્સ! તું ન કંચુક પહેર, કેમકે રાજાને ઘેર ગયેલી તું વગેવાઈશ(નિંદા પામીશ).” ત્યારે તેણીએ તે વચન માન્યું નહિ. બીજે દિવસે રાજાને ઘેર તે ગઈ. તેને રાજાએ કહ્યું કે–“હે ભદ્રા! મેં આપેલા આ કંચુકને તું ગ્રહણ કર.” તેને નહીં ગ્રહણ કરતી તેણને જાણે ક્રોધ પામ્યા હેય તેમ રાજાએ કહ્યું કે-“આ નહીં કરવાથી તારું સારું કલ્યાણ) નહીં થાય.” તે બેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy