________________
[ ૧૫૪ ].
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
સાંભળ્યું છે.” ત્યારે નવા મેઘની ધારાથી હણાયેલા કદંબ વૃક્ષની જેમ ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંચુવાળ રાજા શોભવા લાગ્યો. પછી તેણે તે દાસીઓને એક મુગટ વિના પિતાના શરીરમાં રહેલા સર્વ ભૂષણ તથા સાત પેઢી સુધી ચાલે તેવી વૃત્તિ (આજીવિકા ) આપી. ત્યારપછી હર્ષ પામેલા તેણે શત્રુને નિવારણ કર્યા વિના દાન અપાવ્યું અને પુત્રજન્મનો મહોત્સવ કરાવ્યું. પછી બારમે દિવસે સમગ્ર બંધુવર્ગને ભેજન કરાવીને ગૌરવવડે તેમની સમક્ષ રાજાએ એમ કહ્યું કે “આ જિનેવર ગર્ભમાં આવ્યા ત્યારે જેથી કરીને અશિવની શાંતિ થઈ છે, તેથી કરીને આ પુત્રરત્નનું નામ શાંતિ એવું સુંદર નામ હો.” રમણીય, સારા ગુણથી બનેલું અને પહેલાં ચિત્તવડે વિચારેલું આ નામ સર્વ માણસોને સંમત થયું. પછી એ અંગૂઠામાં સ્થાપન કરેલા અમૃતના આહાર વાળા અને વિશિષ્ટ રૂ૫ તથા લાવણ્ય વડે યુક્ત તે પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામ્યા. તેના હાથપગનાં તળિયાં કાંઈક રાતા અને લક્ષણોએ કરીને સહિત હતા, સિનગ્ધ, તામ્ર( રાતા ), જાડા અને ઊંચા દર્પણની જેવા ન હતા, પાદ કાચબાની જેવા ઊંચા હતા, મૃગલીની જંઘાના આકારવાળા બે જંઘા હતી, હાથીની સૂંઢ જેવા બે ઉરૂ(સાથળ) હતા, કેડને ભાગ વિસ્તારવાળો હતો, ગંભીર અને દક્ષિણ આવર્તવાળી નાભિ હતી, મધ્યભાગ વજી જે હતે, નગરના દરવાજાના કમાડ જેવું દઢ વક્ષસ્થળ હતું, નગરના આગળિયા જેવા બે બાહ હતા, શંખનો જેવી શ્રેષ્ઠ ગ્રીવા હતી, બિંબની જેવા બે હોઠ હતા, કુંદ પુષ્પ જેવા દાંત હતા, પુરુષના આચરણ જેવો ઊચે અને સરળ નાસિકારૂપી વંશ હો, કમળના પત્ર જેવાં નેત્રો હતાં, અષ્ટમીના ચંદ્ર જેવું કપાળ હતું, હડાળ જેવા બે કાન હતા, છત્રના આકારવાળું મસ્તક હતું, સ્નિગ્ધ ભમરાના કુળ જેવા શ્યામ અને અતિ કોમળ કેશ હતા, કમળના ગંધ જેવો શ્વાસ હતો, શ્રેષ્ઠ સુવર્ણની જેવી કાંતિવાળું શરીર હતું, આવું તેના અંગનું લક્ષણ હતું, તથા બીજું કુરંગ (હરણ), ત્રણ જ્ઞાનવડે યુક્ત અને સર્વ કળાઓના પારગામી આવા યૌવન પામેલા પ્રભુ સર્વજનેમાં ઉત્કૃષ્ટ થયા. અનુ. કમે પચીશ હજાર વર્ષો વ્યતીત થયાં ત્યારે પિતાએ પ્રભુને રાજ્ય ઉપર સ્થાપન કર્યા તથા સારા રૂપવાળી અનેક કુલકન્યાઓને પરણાવી. તેમને સમગ્ર અંતઃપુરમાં યશોમતી મુખ્ય થઈ. પછી દઢરથને જીવ સર્વાર્થ વિમાનમાંથી ચવીને ચક્રના સ્વપ્નથી સૂચવેલે યશોમતીની કુક્ષિમાં આવ્યું. પછી સમયને વિષે પુત્ર જન્મ્યો. તેનું સ્વપ્નને અનુસારે મહેસવપૂર્વક ચકાયુધ નામ પાડ્યું. અનુક્રમે કળાના સમૂહવડે સંપૂર્ણ તે યૌવનને પાયે, તેને પણ રાજકન્યાઓનું પાણિગ્રહણ કરાવ્યું.
એક દિવસ તેની આયુધશાળામાં સૂર્યબિંબની જેવી કાંતિવાળું, હજાર આરાવાળું અને અનુપમ ચક્રરત્ન ઉત્પન્ન થયું. શસ્ત્રશાળાના આરક્ષક પુરુષે પ્રભુને તે ચકની ઉત્પત્તિ નિવેદન કરી ત્યારે તેણે ત્યાં આવીને તેને અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. તે ચક્ર શાળામાંથી નીકળીને આકાશમાર્ગે ચાલ્યું, તેની પાછળ સૈન્ય સહિત શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org