SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. મંત્રી પરસ્ત્રીપર ગયેલી દષ્ટિને પાછી ખેંચી લેતે હતે, તથા જેમ ખરાબ પુષ્પાદિકને ત્યાગ કરવામાં આવે છે તેમ માર્ગમાં અનુકૂળ અંગવાળી સ્ત્રીઓને તે ત્યાગ કરતે હતે. મનની મલિનતાને ત્યાગ કરનાર, વાણીના વિકારને વર્જનાર અને કાયાની કુચેષ્ટાને નાશ કરનાર તે મંત્રી તે ચેથા વ્રતને ત્રણ શુદ્ધિએ પાળતું હતું. કહ્યું છે કે" सीमा खानिषु वनखानिरगदकारेषु धन्वन्तरिः कर्णस्त्यागिषु देवतासु कमला दीपोत्सवः पर्वसु । ओंकारः सकलाक्षरेषु गुरुषु व्योम स्थिरेषु स्थिरा, श्रीरामो नयतत्परेषु परमं ब्रह्म व्रतेषु व्रतम् ।। ६ ॥ સર્વ ખાણોમાં વજીરત્નની ખાણ પરમ સીમા છે (શ્રેષમાં શ્રેષ્ઠ છે ), વૈદ્યોમાં ધન્વન્તરિ વૈદ્ય, દાતારમાં કર્ણ, દેવીઓમાં લક્ષ્મી, પમાં દિવાળી, સર્વ અક્ષરમાં કાર, મોટા પદાર્થોમાં આકાશ, સ્થિર પદાર્થોમાં પૃથ્વી અને નીતિવાળાઓને વિષે શ્રીરામ પરમ સીમા છે, તેમ સર્વ વ્રતમાં બ્રહ્મ ચર્યાવ્રત પરમ સીમા છે.” ત્યારપછી આર્યજનેને આશ્ચર્ય કરનાર બ્રહ્મચર્યના પ્રભાવથી કાંતિવાળા તેના દેહને પણ અનહદ મહિમા થયે. તે આ પ્રમાણે જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર નાશી જાય છે, તેમ તે મંત્રીની દષ્ટિથી ભૂત, પ્રેત, બટું દિવ્ય અને કે મનુષ્યને શાકિનીનું વળગવું ઇત્યાદિ સર્વ નાશ પામે છે, કાલવાણુની જેમ તે મંત્રીના પગ ધોયાનું પાણી પીવાથી વર, ઉદરપીડા, મસ્તકનું શૂળ અને પ્રસૂતિની વ્યથા વિગેરે સર્વ રોગ નાશ પામે છે. જેમ દિવ્ય શસ્ત્રથી શત્રુઓને નાશ થાય છે, તેમ તે મંત્રીનું પહેલું વસ્ત્ર પહેરવાથી પણ જવરાદિક દુષ્ટ રેગ અને દુઃખે કરીને નિવારી શકાય તેવા વ્યંતરાદિક તત્કાળ નાશ પામતા હતા. એકદા કેઈ શેઠીયાએ સવાલાખ રૂપીયાના મૂલ્યવાળું દક્ષીણ દેશમાં બનેલું દૃકુળ રાજાને ભેટ કર્યું. રાજાએ પ્રીતિના વશથી તે દુકૂળ ચંદ્રિકા જેવા કે મળ બીજાં ચાર વસ્ત્રો સહિત મંત્રીને પહેરા ૧ કાલ એટલે ઈશ્વર તેના સ્નાત્રાદિકનું જળ પીવાથી રોગે નાશ પામે છે અથવા કાલ નામની દિવ્ય ઔષધિ જાણવી. ૨ રેશમી વસ્ત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy