SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વધરકુમારનું બીજું નામ પેથડશાહ હતું. પેથડશાહના ગુરૂશ્રીધર્મ છેષસૂરિ હતા. તેઓની પાસે પાંચલાખ ટંકનું તેઓએ પરિગ્રહ પરિમાણ કર્યું હતું. બત્રીસ વર્ષની ભરયુવાન વયે પિતાની સ્ત્રી સહિત ચતુર્થવ્રત ગ્રહણ કર્યું હતું. ગુરૂમહારાજના નગર પ્રવેશ મહોત્સવમાં બહેતર હજાર સોનામહેરને ખર્ચ કર્યો હતો. ગુરૂશ્રીની દેશના સાંભળી ૧૮ લાખ દ્રવ્ય ખરચ કરી ૭૨ દેવકુલિકા સહિત “શત્રુંજયાવતાર” નામનું વિશાળ જૈન ચૈત્ય માંડવગઢમાં બનાવ્યું હતું. બાકી બીજા ઘણુ જિન મંદીર બંધાવ્યા હતા. તે હકીકત આ ગ્રંથના ચેથા તરંગમાં આપેલ છે જે મનન કરવા જેવી છે. બંને વખતે પ્રતિક્રમણ અને ત્રિકાલ પ્રભુપૂજા કરવાને તે ખાસ નિયમ હતો. ચરિત્ર નાયકે બ્રહ્મચર્ય કેવા સંગમાં ગ્રહણ કર્યું તેને અધિકાર ખાસ જાણવા જેવો પાંચમા તરંગમાં જણાવેલ છે, જે વાંચતા આ મહાન પુરૂષ ખરેખર જૈન નરરત્ન હતા એમ જણશે. તે સિવાય તેમની દેવગુરૂભકિત, રાજ્યમાં કરાવેલ સાત વ્યસનને નિષેધ, તેમની અપૂર્વ તીર્થ યાત્રા, દેવ, ગુરૂ ભકિત અને જ્ઞાન ભંડારોની સ્થાપના, તેમના પુત્ર ઝાંઝણની ધર્મભકિત તથા શ્રી ચતુર્વિધ સંઘ સાથે જુદા જુદા તીર્થોની યાત્રાઓના પ્રસંગે દરેક તીર્થે કરેલ દેવ, ગુરૂ, ધર્મ અને સ્વામીબંધુની અપૂર્વ–અલૌકિક સેવા, ઉચ્ચ ધર્મભાવના, અનુપમ ઉદારતા અને અપરિમિત દ્રવ્ય વ્યય વગેરેનું વર્ણન. આઠમા તરંગમાં આપવામાં આવેલ છે જે મનન પૂર્વક પઠનપાઠન કરતાં શ્રદ્ધાળુ જનના મરાય વિકસ્વર થાય છે. અને આત્મિક આનંદ પ્રગટ થાય છે આ ગ્રંથમાં પૃથ્વીરકુમાર અને ઝાંઝણુકુમારના ચરિત્ર સાથે અંતર્ગત કથા તથા આખા ચરિત્રમાં સ્થળે સ્થળે ઉપદેશક-બોધક-શિક્ષાઓ પણ આપેલ છે. આ પૃથ્વીધર કુમારનું વર્ણન શ્રી મુનિસુંદર સૂરિકૃત પટ્ટાવલીમાં, શ્રીરત્નમંડને ગીકૃત ઉપદેશ તરંગિણીમાં, પંડિત સેમધર્મ વિરચિત ઉપદેશ સપ્તતિમાં, ઉપદેશ સાલમાં, ઝાંઝણ પ્રબંધમાં, તથા ગુર્જર પ્રાચીન કાવ્યસંગ્રહમાં મળી શકે છે, પરંતુ એ બધાને મૂળ આધાર અમારા તરફથી પ્રગટ થયેલ મૂળ ગ્રંથ સુકૃતસાગર છે. તેના કર્તા શ્રી રત્નમંડનગણી છે. જે શ્રીમદ્ રત્નશેખરસૂરિજીના સમકાલીન હતા. તે સૂરીશ્વરજીને જન્મ વિક્રમ સંવત ૧૪૫૭, દીક્ષા ૧૪૬૩, પંડિત દ૧૪૮૩, ઉપાધ્યાય પદ ૧૪૯૩ આચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy