SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર વામાં આવ્યું ત્યારે ગુરૂ મહારાજે તેને કહ્યું કે –“હે ભદ્ર! જે સંઘપતિ હોય તેણે દરેક પ્રયાણે નવું મેટું ચૈત્ય કરાવવું જોઈએ. તેવી શક્તિ ન હોય તે જે ઠેકાણે (નગરમાં) તિલક થયું હોય ત્યાં તે અવશ્ય સંઘપતિએ મોક્ષલક્ષ્મીના દેહરૂપ જિનગૃહ કરાવવું જોઈએ.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી સંઘપતિએ ત્યાં એક ઠેકાણે શીધ્રપણે ચૈત્ય કરાવવાને આરંભ કર્યો. પરંતુ દિવસે જેટલું કામ કર્યું હોય તેટલું શત્રિમાં પડી જવા લાગ્યું. આ પ્રમાણે બે ત્રણ સ્થાનકે બદલ્યાં તોપણ તે પડી જવા લાગ્યું. કેમકે ત્યાં રહેલ ક્ષેત્ર પાળ (દેવ) ઉદ્ધત હોવાથી મંત્રીનું કરાવાતું નવું ચૈત્ય સહન કરતું નહોતું. તેથી તે ઠેકાણે પહેલાનું શ્રી નેમિનાથનું નાનું ચૈત્ય હતું, તેને જ નવેસરથી મેટું કરાવવા માંડ્યું, તેને પણ તે ક્ષેત્રપાળ પાડી નાંખવા લાગ્યું. ત્યારે મંત્રી શીવ્રતાથી પરાણે (પરાક્રમ અને સત્તાવડે) કરાવવા લાગ્યું, એટલે તે ક્ષેત્રપાળ કોધ પામી સંધના જનને વિષે મસ્તકની પીડા, જવર અને મરકીને ઉત્પન્ન કરી ઉપદ્રવ કરવા લાગ્યા. તે વખતે સંઘના મુખ્ય જનેએ મંત્રીને કહ્યું કે –“હે મંત્રો! તમે ફેગટ બળ (બળાત્કાર) ન કરે. કેમકે મનુષ્ય દેવને કદાપિ બળથી જીતી શકતા નથી. જુઓ કે દ્રોપદીએ ઈઝેલા કમળને લેવા માટે પાંચ પાંડવે અનુક્રમે અગાધ સરોવરમાં પડ્યા હતા, તેમને તે બળવાન દેવે શું બાંધ્યા નહતા ? આમ કરવાથી સંઘના ઘણું લેક અત્યંત પીડાય છે, તેથી બુદ્ધિમાન પુરૂષે તે તેવા દેવને સંતોષ પમાડી પ્રાસાદ કરાવી જોઈએ.” આ પ્રમાણે તેમનું વચન સાંભળી મંત્રીએ તે ક્ષેત્રપાળને ધૂપ ઉવેખી, પુષ્પપૂજા કરી બળિબાકળા વિગેરે વડે આરાધ્યું, ત્યારે તે દેવ તેની સન્મુખ પ્રગટ થઈને બોલ્યા કે—“ આ ચૈત્યને એક પથ્થર પણ ઉપાડવા નહીં દઉં, તેમજ આ ગામની સીમા (હદ) ને વિષે કઈ પણ ઠેકાણે નવું ચેત્ય કરવા નહીં આપું.” ત્યારે મંત્રીએ કહ્યું કે–“તે આજ ચૈત્યની તરફ કરવા દે.” આ પ્રમાણે તે મંત્રીની વાણીથી ભક્તિવડે વશ થયેલા દેવે તેને તેમ કરવાની અનુમતિ આપી. ત્યારપછી મંત્રીએ તે ચૈત્યને વચ્ચે રાખીને પાણી નીકળે ત્યાંસુધી ઉડે પાયે ખેદી મેઘમંડાદિકવડે સહિત સાત માળને પ્રાસાદ કરાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy