SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ તરંગ. * ૧૧૧ “ જે વિવાહપ્રજ્ઞપ્તિ ઉત્તર સહિત છત્રીસ હજાર પ્રશ્નોને ધારણ કરે છે, જે ચાળીશ શતકને વિષે ઉદેશાઓની શ્રેણિને ચોતરફથી વિસ્તરે છે, જેમાં દેદીપ્યમાન ભાંગારૂપી મોટા તરંગે છે, જે સાત નય અને ગમા ( સૂત્રના અલાવા એ કરીને ગહન છે, તથા જેમાં પ્રવેશ કરવો અશક્ય છે તે વિવાહપ્રજ્ઞપ્તિ નામનું પાંચમું અંગ જય પામે છે, તેનું બીજું નામ ભગવતી છે, વળી તે વિચિત્ર અર્થને કાશ-ખજાનો છે.” તેવા પ્રકારની બુદ્ધિના બળથી રહિત એવો જે મુનિ તે ભગવતીને ભણવા માટે શક્તિમાન ન હોય, તે વિધિપૂર્વક યોગવહન કરી અંગની વાચના લે છે. “જે પુરૂષ તે તે અંગના તપવડે, ભણાવવાવડે, ભણવાવડે, સાંભળવાવડે, વાંચવાવડે અને પુસ્તક લખાવવાવડે અંગ વિગેરે આગમની ભક્તિ કરે છે, તે સર્વશપણું પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી મંત્રીએ કહ્યું કે-“મેઘ ઘટાની જેવી શ્રીવીર ભગવાનની વાણી સાંભળવાથી અત્યંત પ્રીતિવાળે થયેલ મારે ચિત્તરૂપી મયૂર નૃત્ય કરે છે, તેથી હે પૂજ્ય! આપ તે મુનિને આજ્ઞા આપે, કે જેથી તે પ્રથમથી વાંચે, કેમકે તે પાંચમું અંગ હું સાંભળવા ઈચ્છું છું.” તે સાંભળી ગુરૂએ એક મુનિને આજ્ઞા આપી, તેથી તે પ્રથમથી પાંચમા અંગને વાંચવા લાગ્યા, તેમાં જે જે ઠેકાણે. ગૌતમનું નામ આવતું તે તે વખતે એક એક સેનામહોર મૂકીને તે મંત્રી સાંભળવા લાગ્યું. તે વખતે સ્પષ્ટ અક્ષરોની શ્રેણીરૂપી હળના માર્ગના (લીટાના) સમૂહરૂપ જ્ઞાન નામના ત્રીજા ક્ષેત્રને વિષે મંત્રીરૂપી મેઘે સોનામહોરની વૃષ્ટિ કરી પાંચ દિવસમાં છત્રીશ હજાર સેનામહોરેવડે જ્ઞાનની પૂજા કરીને તેણે સત્પના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કર્યો. અખૂટ ધનના સ્વામી તે મંત્રીએ ભૃગુકચ્છ (ભરૂચ) વિગેરે નગરમાં સાત મેટા જ્ઞાનભંડાર ભરી દીધા. તે સર્વ પુસ્તકને માટે પટ્ટસૂત્ર, રેશમી દોરાનું વર્ણન અને સુવર્ણની પાટલીઓ કરાવી તે મંત્રીએ પિતાનું ધન કૃતાર્થ કર્યું. પિથડ મંત્રીએ શ્રીગુરૂની પાસે ત્રિકાળ જિનેશ્વરની પૂજા કરવાને નિયમ અંગીકાર કર્યો હતો, તે નિયમને કૃપાના સ્થાનરૂપ તે મંત્રી વ્યાપારમાં વ્યગ્રતા છતાં પણ બરાબર પાળતું હતું. સંપત્તિઓ ૧ શ્રી ભગવતીસૂત્રના ૪૧ શતક છે, અહિં ગ્રંથકાર મહારાજ ચાલીશ જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy