SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. હશે ? કે બીજું કંઈ કારણ હશે?” એમ વિચાર કરતે મંત્રી રાજના શયનગૃહમાં ગયે, ત્યાં શ્યામ મુખવાળા, ચિંતાથી વ્યાકુળ અને હાથ ઉપર કપલ રાખીને પત્યેકપર બેઠેલા રાજાને જોઈ તે બે કે–“હે દેવ ! દિવ્ય સ્ત્રી, અશ્વ, હસ્તી, શત્રુ, દેશ અને યુદ્ધ વિગેરેમાંથી કઈ બાબતમાં આજે તમને ચિંતા થઈ છે?” તે સાંભળી રાજાએ નિઃશ્વાસ મૂકતા કહ્યું કે “હે બુદ્ધિના નિધાન મંત્રી! તેં પ્રિયાને મેં દેશનિકાલ કરી છે, તેના વિના હું મારા પ્રાણને પણ ધારણ કરવા શક્તિમાન નથી, તે નવા સ્ત્રી રત્નને મેં વિના અપરાધે સપત્નીના કહેવાથી દેશ નિકાલ કરેલ છે, તેથી તેણીને જોયા પછી જ હવે હું ભજન કરીશ.” આ પ્રમાણે અશ્રુ સહિત રાજાએ કહ્યું ત્યારે પ્રધાન બોલ્યા કે–“હે દેવ ! તમે પીડાનું સ્થાન નથાઓ. તે તમારી રાણીને લાવવા માટે હું સર્વ વસ્તુને સાધનારે ઉદ્યમ કરીશ. ઉદ્યમ કરનારા મનુષ્યને મધ્યે બિલાડે મુખ્ય દષ્ટાંતરૂપ છે. કેમકે બિલાડા જન્મથી આરંભીને ગાય રાખતા નથી, છતાં હમેશા દૂધ પીએ છે. હે દેવ ! ઉદ્યમથી દ્રપદી અને સીતા વિગેરે જે પાછી આવી છે, તે આ લીલાવતીને તે તમે ઘેર આવેલી જ જાણો; પરંતુ આપ એવું મેટું કાંઈક પુણ્યનું કાર્ય કરે, કે જેથી મારે ઉદ્યમ સફળ થાય, કેમકે પુણ્યથી જ સર્વ અર્થની સિદ્ધિઓ થાય છે. લક્ષ્મીનું બંધન (સ્થિરતા), વિનને નાશ અને કીતિને પ્રચાર તથા બીજું પણ સર્વ પ્રકારનું વાંછિત પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.” તે સાંભળી રાજાએ તેને પૂછયું કે –“તેવું પુણ્ય કાર્ય કયું છે ? તે કહે.” ત્યારે તે બે કે –“હે સ્વામી! પોતાના આખા દેશને વિષે કાયમને માટે પાંચ પર્વએ સર્વ વ્યસનેનું નિવારણ કરે. સંસારવાસના ઉત્સવ જેવા સાતે વ્યસનથી ઉત્પન્ન થએલા પાપવડે પ્રાણીઓ પિતાના કુળને કલંકિત કરે છે, અને શરીરની ધાતુઓને મલિન કરે છે. તે વ્યસન આ ભવમાં પણ નળ વિગેરેની જેમ પ્રાણીઓને અનર્થ કરે છે, તેથી કુમારપાળ રાજાએ તે સર્વ વ્યસનને ગધેડા ઉપર બેસાડી પિતાના આખા દેશથી કાઢી મૂકયા હતા.” આવું મંત્રીનું વચન સાંભળી રાજાની આશારૂપી લતા નવપલ્લવિત થઈ, એટલે તે મંત્રીનું વચન વીકાર કરી છત્રાદિક મેટી લક્ષ્મી સહિત પ્રધાનની સાથે સભામાં ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy